SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જૈન તત્ત્વવિજ્ઞાન (Jain Metaphysics) ૧. પ્રાસ્તાવિક (Introductory) : બ્રેડલે દર્શાવે છે તેમ તત્ત્વવિજ્ઞાન માત્ર આભાસની વિરુદ્ધ વાસ્તવિકતા– (Reality)ને જાણવાના પ્રયાસ છે. તે વાસ્તવિકતા, અસ્તિત્વ, તત્ત્વ કે દ્રવ્યના અંતિમ સ્વરૂપને સમજવાને અને ગ્રહણ કરવાના પ્રયાસ છે. વાસ્તવિકતા તત્ત્વવિજ્ઞાનના ચાવીરૂપ પ્રત્યય છે અને તેમાં વન અને જગતના ખ્યાલનો સમાવેશ થાય છે. પ્રત્યેક ઈન વિશ્વના અસ્તિત્વને સ્વીકારે છે, પરંતુ તે પ્રત્યેક તેના વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી તેને સિદ્ધ કરવા મથે છે. આ રીતે, વિશ્વનું પ્રત્યેકદર્શીન લાકના સ્વરૂપને સમજવાના પ્રયાસ છે. લેાક અનુભવના વિષય છે, મૂર્ત જગત છે. વાસ્તવમાં અલાક પણ લેાક જ છે. જૈન તત્ત્વવિજ્ઞાન વાસ્તવિકતાના સ્વરૂપ અંગે ચર્ચા કરે છે. વાસ્તવિકતાની આ સૃષ્ટિમાં લાક અને અન્લાકના સમાવેશ થાય છે. લાક (મૂર્ત જગત) આપણા અનુભવના વિષય છે અને અ-લેાક આથી પર છે અને તેમાં શુદ્ધ અવકાશના સમાવેશ થાય છે. જૈન તત્ત્વવિજ્ઞાન દૃષ્ટાના મનની બહાર સ્વતંત્ર રીતે અસ્તિત્વમાન એવી સૃષ્ટિને નિર્દેશે છે. આમ, સૃષ્ટિ અહીં મનની રચનામાત્ર નથી પર ંતુ તેને સ્વતંત્ર અસ્તિત્વ છે. આમ જૈનદર્શન વાસ્તવવાદી છે. સ ંગ્રહ નયના દૃષ્ટિબિંદુથી, દ્રવ્ય-સત્ એક છે, વાસ્તવિકતા એક છે અને આ વાર્તાવકતા અસ્તિત્વ ( સત્ ) છે. સત્ એકમાત્ર દ્રવ્ય છે ( એકતત્ત્વવાદ), જૈન સત્તામીમાંસા (Ontology) સા સ્વરૂપની ચર્ચા કરે છે. જૈન તત્ત્વવિજ્ઞાન (Metaphysics) વિશ્વને જીવ અને અજીવ (જેમાં પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળના સમાવેશ થાય છે તે) એવા બે સ્વતંત્ર પદાર્થોં (Categories)માં વિભાજિત કરે છે (દ્વૈતવાદ ). જૈન તત્ત્વવિજ્ઞાનમાં જીવ, પુદ્ગલ, ધ, અધર્મ આકાશ અને કાળ એમ કુલ ષડદ્રવ્યની ચર્ચાવિચારણા કરવામાં આવે છે ( અનેકતત્ત્વવાદ ). જૈન તત્ત્વવિજ્ઞાન આ રીતે વાસ્તવાદી અને અનેકત્ત્વવાદી છે, કારણ કે તે પદાર્થો અને જીવાની અનેકતામાં માને છે અને આ પ્રત્યેક વાસ્તવિક છે અને આપણા જ્ઞાનના પદાથે પણ વાસ્તવિક છે, માત્ર વિચાર નથી એમ પણ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy