________________
પૂર્વભૂમિકા
જૈન તત્વજ્ઞ અન્ય શક્યતાઓનું પણ પૃથકકરણ કરે છે. દેહવિહેણું ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર કરીએ અને સર્જન માટે તેને જવાબદાર માનીએ. સર્જન (૧) કાં તે તેના વ્યક્તિગત તરંગને લીધે હોય, (૨) કાં તે માનવીનાં સારાં– બુરા કાર્યોને લીધે હેય, (૩) કાં તો માનવી પર ઈશ્વરની કૃપાને લીધે હોય, (૪) અથવા તે સર્જન સ્વયં ઈશ્વરે માનેલ રમત તરીકે છે. જેના મતે, આ ચારમાંને કોઈપણ વિકલ્પ ઈશ્વરને પૂર્ણ તત્વ તરીકેની પ્રતિષ્ઠા આપતો નથી. (૧) પ્રથમ વિકલ્પ સૃષ્ટિને નિયંત્રિત કરતાં સર્વ પ્રાકૃતિક નિયમોને કારાણે મૂકે છે. (૨) બીજો વિકલ્પ સ્વીકારતાં, ઈશ્વરનું સ્વાતંત્ર્ય હણાય છે, કારણ કે આ કિસ્સામાં તે માનવીના સારા-માઠા અનુભવ માટે જવાબદાર રહેતા નથી. (૩) ત્રીજો વિકલ્પ પણ સતિષકારક નથી, કારણ કે આ જગતમાંની યાતનાની હાજરીની સમજુતી આપવા તે સમર્થ નથી. આ સંદર્ભમાં સારા અને ખરાબ કાર્યોને સુખ અને દુઃખ માટે જવાબદાર માનવામાં આવે તે ઈશ્વર અનાવશ્યક તવ બની રહે છે. (૪) અંતિમ વિકલ્પ ઈશ્વરના ભાગે લક્ષ્યહીનતા સૂચવે છે. જેન ચિંતક દર્શાવે છે કે આ સર્વ દલીલોને આશય એ છે કે ઈશ્વરના અસ્તિત્વ માટેની દલીલ સંપૂર્ણ રીતે નિરાશાજનક, નિરથર્ક કાર્ય છે અને વધુ સારો વિકલ્પ તે આ ધારણાને સદંતર ત્યાગ છે.
સમાપનઃ જેના દર્શન પ્રચલિત અર્થમાં ઈશ્વરને ઇન્કાર કરે છે તેમ છતાં તેને નિરીશ્વરવાદી કહી શકાય નહીં. જેના દર્શન આત્મા, સર્વજ્ઞ, તીર્થકર, સ્વર્ગ, પરલેક, વગેરેના અસ્તિત્વને તેમજ મુક્તિ–મેલના સિદ્ધાંતમાં માને છે. અલબત્ત, મોક્ષ કે અન્ય કોઈપણ પ્રશ્નરની સિદ્ધિ અર્થે સ્વતંત્ર ઈશ્વરની કલ્પનાને અહીં કેઈ સ્થાન નથી. જેના મતે, આત્મા પરમાત્મા–ઈશ્વર બની શકે છે. આમ, જેનદર્શન ઈશ્વરમાં, દેવત્વમાં અને અનેક દેવામાં માને છે. જેને તીર્થકરોને પૂજનીય, વંદનીય માને છે. અહીં જિન કે તીર્થકર માનવજાત માટને આદર્શ છે. અહીં જિન કે તીર્થકર દેવની ઉપાસના ઈશ્વરને પ્રસન્ન કરવા માટે નથી પરંતુ પિતાના હૃદય-ચિત્ત-ની શુદ્ધિ અર્થે છે. સારાયે દુઃખેના ઉત્પાદક રાગ-દ્વેષના નિવારણાર્થે રાગ-દ્વેષને જીતનાર જિનેશ્વરનું અવલંબન પરમ ઉપયોગી અને આવશ્યક માનવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org