________________
-૨૮
જૈનદર્શન નાસ્તિક શબ્દનું ત્રીજું અર્થઘટન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કારણ કે નાસ્તિક’ શબ્દની સામાન્ય સમજ તેને અનિવાર્ય રીતે “નિરીશ્વરવાદ' શબ્દની સમાન માને છે. જૈન દર્શનને નિરુપાધિક રીતે નિરીશ્વરવાદી હોવાનું કહેવું એ અયોગ્ય અને અતાત્વિક બંને છે, કારણ કે જેના દર્શન સર્વોપરી રીતે વૈયક્તિક ઈશ્વર-સર્જક ઈશ્વર-ને જ માત્ર ઈન્કાર કરે છે, ઈશ્વરત્વ સ્વયંને નહીં. જૈન દર્શન માનવીને ઈશ્વરત્વની કક્ષાપર્યત લાવી મૂકે છે અને સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય અને સ્વસ્થ જીવન દ્વારા શક્ય તેટલું ઈશ્વરત્વ નજદીક પહોંચવાની તેને પ્રેરણા આપે છે. અહીં ઈશ્વરના પ્રત્યયનું ગહન વિલેષણ જોવા મળે છે. વિશ્વનાં મોટા ભાગનાં દર્શને માં ઈશ્વરની કલ્પના દૃષ્ટિગોચર થાય છે. ઈશ્વરને સંપૂર્ણ સર્વોપરી, પવિત્ર, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપક, સચ્ચિદાનંદ સ્વરૂપ માનવામાં આવે છે. તે સર્જક, પાલક અને સંહારક તેમ જ ઉદ્ધારક છે. સૃષ્ટિ પરિણામ છે અને ઈશ્વર તેનું સર્વોપરી કારણ છે. કાર્યકારણ નિયમ મુજબ
જ્યારે એમ માનવામાં આવે ત્યારે અનવસ્થાદેષ થાય છે. તદુપરાંત ઈશ્વર સૃષ્ટિના સર્જક છે એમ કહીએ ત્યારે ઈશ્વરમાં સર્જનની ઈચ્છા નિર્દિષ્ટ થાય છે. ઈચ્છા અભાવરૂપ વસ્તુ કે હકીક્તની નિર્દેશક છે અને ઈશ્વર અપૂર્ણ હોઈ શકે નહીં. આ રીતે સર્જક ઈવરને ખ્યાલ ઈશ્વરને માનવી બનાવે છે અને તેને જરૂરત અને અપૂર્ણતાની નિમ્ન કક્ષાએ લાવી મૂકે છે. સંસારમાં પાપ, દુઃખ, દર્દો, ગરીબી, યાતના, અસમાનતા વગેરે હોવાનું કારણ શું છે ? ઈશ્વર જ્યારે શુભ તત્ત્વ છે, સર્વશક્તિમાન છે, સંપૂર્ણ છે ત્યારે તે આવું બધું કેમ પ્રવર્તા દે છે ? તદુપરાંત, જ્યારે ઈશ્વર સર્વ શક્તિમાન અને સર્વજ્ઞ છે ત્યારે પાપી જીવો અને ખાસ કરીને તેના અસ્તિત્વને ઇનકારનાર (નાસ્તિક) જગતમાં કેમ છે ?
(૧) આચાર્ય જિનસેન પૂછે છે :
“જે ઈશ્વરે વિશ્વનું સર્જન કર્યું હોય તે તે તેના સર્જન પૂર્વે ક્યાં હતા? જે તે દિ(અવકાશ)માં ન હોય તો તેણે વિશ્વને ક્યાં સ્થિત કર્યું -
સ્થાન આપ્યું ? ઈશ્વર જેવા અરૂપી અને અ-ભૌતિક દ્રવ્ય ભૌતિક સૃષ્ટિ કેવી રીતે સજી ? જે સામગ્રી પહેલેથી જ અસ્તિત્વમાન હોવાનું માની લઈએ તે પછી શા માટે સૃષ્ટિ સ્વયંને જ અનાદિ ન માનીએ ? જો સર્જક અસર્જિત હોય તે સૃષ્ટિ સ્વયને જ શા માટે આત્મ-અસ્તિત્વમાન ન માનીએ ? શું -ઈશ્વર આત્મનિર્ભર છે ? જે તે હોય તે તેણે સૃષ્ટિનું સર્જન કર્યું ન હોત.
જે તે ન હોય તો, સામાન્ય કુંભકારની જેમ જ તે કાર્ય માટે અસમર્થ હેત, કારણ કે ધારણા મુજબ માત્ર પૂર્ણ તત્વ જ તેને સર્જી શકે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org