SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભૂમિકા નથી. વળી, એક સંપ્રદાય અન્ય સંપ્રદાયના આધ્યાત્મિક અને આધિભૌતિક ગ્રંથને પણ ઉપગ કરે છે અને એક સંપ્રદાયના વિદ્વાનોએ અન્ય સંપ્રદાયના ગ્રંથ પર ટીકાઓ પણ લખી છે. ૧૬. શું જેન દશન નિરીશ્વરવાદી છે ? ભારતીય દર્શનના આસ્તિક અને નાસ્તિક એવા બે વિભાગે છે અને તેમાં બદ્ધ દર્શન અને ચાર્વાકદર્શન સાથે જૈન દર્શનને પણ નાસ્તિક વિભાગ હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે. ભારતીય પરંપરામાં “નાસ્તિક” શબ્દ ત્રિવિધ અર્થમાં પ્રયોજાય છેઃ (૧) મૃત્યુ પછીના જીવનમાં અશ્રદ્ધા, (૨) વેદની સત્તામાં અશ્રદ્ધા, અને (૩) ઈશ્વરમાં અશ્રદ્ધા. જૈન દર્શન નાસ્તિક' શબ્દના પ્રથમ અર્થમાં “નાસ્તિક’ નથી. જૈન મતે. વર્તમાન જીવનને અંત અર્થાત મૃત્યુ એ જીવનને અંત નથી, અસ્તિત્વ-લોપ નથી. મૃત્યુ પછી કશું અસ્તિત્વમાન રહેતું નથી એવું જૈન મંતવ્ય નથી. જેના દર્શન કર્મ-સિદ્ધાંત અને આત્માના પુનર્જન્મનો સિદ્ધાંતને સ્વીકારે છે. જૈન દર્શન નિર્દિષ્ટ જીવની ચાર ગતિઓ જૈન દર્શનને સ્થૂળ નાસ્તિક દર્શન ન હેવાનું સ્પષ્ટપણે દર્શાવે છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિની શ્રેણીમાં માનવી નિમ્ન કક્ષાએ સરી ન પડે તે માટે માનવીને નીતિમય જીવન જીવવાની જૈન દર્શનની સલાહ અને કર્મ–જંજીરોમાંથી પૂર્ણ મુક્તિ માટેને તેને આગ્રહ જૈન દર્શનને પાટપણે ચાર્વાક જેવા નાસ્તિક દર્શનથી જુદું પાડે છે. “નાસ્તિક' શ દના બીજા અર્થમાં જૈન દર્શન શંકાતીતપણે અવૈદિક દર્શન છે. જૈન દર્શન વેદની સત્તા અને પ્રમાણભૂતતાને સ્વીકારતું નથી, પરંતુ આ કંઈ માનવ-પરિસ્થિતિના ચિંતનાત્મક અને તાત્તિવક પૃથક્કરણમાંની અશ્રદ્ધાને લીધે નથી. જૈન મનાવિજ્ઞાન, તત્ત્વવિજ્ઞાન અને જ્ઞાનમીમાંસા એ હકીકતના વિધાયક પુરાવાઓ છે કે જેના દર્શન વેદિક સત્તાને અસ્વીકાર તાત્ત્વિક ચિંતન પ્રત્યેના અણગમાને લીધે કરતું નથી. જેન પરંપરાને તેના પોતાના ચિંતકે અને પ્રજ્ઞજનોની શ્રેણી છે તેમજ તાત્વિક ડહાપણ સમાવિષ્ટ કરતા પવિત્ર ગ્રંથે પણ છે. જેને આ ગ્રંથને પ્રમાણભૂત માને છે. જેના મતે, આ ગ્રંથે સમ્યગૂ (સાચું-પથાર્થ) જ્ઞાન આપે છે, કારણ કે તેમાં એવી વ્યક્તિઓનાં ઉચ્ચારણે છે, જેઓ સાંસારિક જીવન. જીવ્યા હતા પરંતુ જેમણે પોતાના સાચા જ્ઞાન અને સાચા આચરણ દ્વારા પિતાની જાતને પૂર્ણ બનાવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy