SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભૂમિકા - (૨) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય લખે છે : જે પ્રત્યેક અસ્તિત્વમાન પદાર્થને કર્તા હોય, તો કર્તા વયને અન્ય. કર્તા વગેરે દ્વારા જ સમજાવી શકાય. આ વિષચક્રથી મુક્ત થવા માટે આપણે એક અનાદિ સ્વયં સ્પષ્ટ કારણ, ઈશ્વર માનવું પડે. પરંતુ એક તવને આત્મઅસ્તિત્વમાન હોવાનું માનવામાં આવે તે પછી શા માટે બીજા અનેકને પણ અનાદિ અને નિત્ય ન કહી શકાય ?...(તેથી) વિશ્વના પ્રથમ કારણુના અસ્તિત્વને. માનવાની આવશ્યકતા નથી.” - સૃષ્ટિની વૈવિધ્યતાને કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ સહકારી પરિસ્થિતિઓ સાથે સંલગ્ન કરી શકાય. સમગ્ર વિશ્વ અનાદિ અને અનંત છે એમ જૈન દર્શન માને છે. તેની ઉત્પત્તિ માટે એક કે અન્ય સર્જકની કહપના માત્ર અજ્ઞાનનું પરિણામ છે. જગત નિયત અને શાશ્વત છે. તે તેના નિયમ અનુસાર વર્તે છે. જૈન મતે, વિશ્વ-ૌચિત્ય કર્માધીન છે. કર્મ અને તેના ફળ વચ્ચે પણ સત્તા (ઈશ્વરસમેત) વિક્ષેપ કરી શકે નહીં. જીવ ઈચ્છે તે કર્મ કરવા સ્વતંત્ર છે પરંતુ પસંદગી અફર છે અને કરેલાં કર્મોના પરિણામોથી છટકી શકાય નહીં. ઈશ્વર કે અન્ય કોઈ તેમાં ફેરફાર કરી શકે નહીં. જેના દર્શનની આ વિશિષ્ટતા છે. જૈન દર્શનને આ સિદ્ધાંત તેને ખ્રિસ્તી, મુસ્લિમ, હિન્દુ દર્શનાથી ભિન્ન પાડે. છે. કેાઈ ઈશ્વર કે તેને પયગંબર કે તેને દૂત માનવ જીવનમાં દરમ્યાનગીરી કરી શકે નહીં. વ્યક્તિ (જીવ) જ પિતાના કર્મો માટે પ્રત્યક્ષ રીતે અને અનિવાર્ય રીતે. જવાબદાર છે. કર્મનો ક્ષય થતાં જીવ મુક્ત બને છે. - મુક્તાત્મા એટલે જ ઈશ્વર. ઈશ્વરત્વ અને મુક્તાવસ્થાનાં લક્ષણો સમાન છે. જેના સર્વ કર્મો ક્ષય પામ્યા હોય તે ઈશ્વર છે. (ifક્ષણ સરકર્મા શ્વરઃ 1 ) ઈશ્વર” શબ્દનો અર્થ સમર્થ–પૂર્ણ છે. જીવ સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર્યના સાધન. દ્વારા પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આ પૂર્ણાવસ્થા એટલે જ ઈશ્વરત્વ.. આત્મા સ્વ-રૂપ વિકાસ દ્વારા ઈશ્વર બની શકે છે. જેની દષ્ટિએ આત્મા તેના પૂર્ણ રૂપમાં ઈશ્વર છે. પ્રત્યેક વ્યક્તિમાં ઈશ્વરત્વનું જન્મજાત સ્વરૂપ છે. વ્યક્તિગત પ્રયાસ-સાહસ છવ માટે ઈશ્વર-સ્થિતિની પ્રાપ્તિની કેડી કંડારે છે અને ત્યાં પહોંચતાં આત્મા પોતાના મૂળ સ્વરૂપે-તિર્મયોચિસ્વરૂપે પૂર્ણ પ્રકાશમાન થાય છે. અહીં મુક્તાત્માની વ્યક્તિમતાને લેપ થતો નથી, પરંતુ તેની વ્યક્તિગત હસ્તી આ સ્થિતિમાં જારી રહે છે. મુક્તાત્માઓ વિશ્વની ટોચે જાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy