________________
પૂર્વભૂમિકા
૨૫ છે. આચારાંગ, કલ્પસૂત્ર અને ભગવતીસૂત્ર એમ ત્રણ જૈન ગ્રંથમાં આ દંતકથાના નિર્દેશ છે.
દિગંબર દેવાનંદામાંથી ત્રિશલાદેવીમાં મહાવીરના ગર્ભના પરિવર્તનની સમગ્ર ઘટનાને અસંભવિત અને અવિશ્વસનીય ગણું કાઢે છે.
(૨) શ્વેતાંબર જીતનચરિતે મહાવીરને તેના બાલ્યકાળથી જ અત્યંત ચિતનશીલ હોવાનું અને તેનાં પ્રારંભનાં વર્ષોમાં જ સંસારત્યાગની ઈચ્છીવાળાં હેવાનું દશાર્વે છે, પરંતુ તેમના માતાપિતાની લાગણી ન દુભાય એટલા માટે જ તેઓ તેમની હયાતિમાં સંસારત્યાગ કરતા નથી. મહાવીર યશોદા નામની કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા અને પ્રિયદર્શના નામની પુત્રીના પિતા પણ થયેલ.
દિગંબર મતે કેઈપણ અન્ય રાજકુમારની જેમ જ મહાવીરે પણ રાજમહેલના જીવનના સર્વ ઉપભેગે ભેગવ્યા હતા, પરંતુ ૩૦માં વર્ષે વસ્તુઓના ક્ષણભંગુર
સ્વરૂપની પ્રતીતિ થતાં તેમણે તેમના માતાપિતાની હયાતિમાં જ અને તેમની ઈચ્છા વિરુદ્ધ એકાએક સંસારનો ત્યાગ કર્યો. દિગંબરના મતે મહાવીરે કદી લગ્ન કર્યો જ નહેતાં.
૩. આધાર સંબંધી :
શ્વેતાંબર દૃષ્ટિવાદ લુપ્ત થયું હોવાનું અને ૧૧ અંગે નાશ ન પામ્યા હોવાનું માને છે, જ્યારે દિગંબર દષ્ટિવાદ તેમજ ૧૧ અંગો બંને લુપ્ત થયા હેવાનું માને છે. સ્થૂલભદ્રના નેતૃત્વ હેઠળ ઈ. સ. ૩૦૦ના અરસામાં પાટલીપુત્રમાં મળેલ સંઘની રાહબરી હેઠળ થયેલ અંગોના સંગ્રહની પુનવ્યવસ્થાને દિગંબર અમાન્ય કરે છે. સૂત્ર સિવાયના ગ્રંથોની યાદી બાબતમાં પણ બંને વચ્ચે ભિન્નતા છે. તદુપરાંત તાંબરે સામાન્ય શ્રાવકોને મૂળ ગ્રંથાના વાચનની પરવાનગી આપતા નથી, જ્યારે દિગંબરે સામાન્ય શ્રાવકને આ ગ્રંથના વાચનની છૂટ આપે છે.
૪. સીએ સંબંધી :
Aવેતાંબર માન્યતા મુજબ, સ્ત્રી પણ મેક્ષ પામી શકે છે અને તીર્થંકર પણ બની શકે છે અને તેથી તેઓ સ્ત્રીને શ્રમણ સંધમાં જોડાવાની છૂટ આપે છે. વર્તમાન ચોવીસીમાં ૧૯મા તીર્થંકર મહિલનાથ સ્ત્રીના ભવમાં મોક્ષ પામ્યા હતા તેવી માન્યતા પ્રવર્તે છે. આમ સ્ત્રીના આત્માને પુરુષના આત્મા કરતાં સ્ત્રી હોવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org