________________
२४
જેનદર્શન
(બ) દિગંબર માન્યતા પ્રમાણે શ્વેતાંબર પંથને ઉદ્ભવ:
દિગંબર માન્યતા પ્રમાણે મગધ(બિહાર)માં ચંદ્રગુપ્તના સમયમાં (લગભગ ઈ. સ. પૂર્વે ૩૧૦) કારમો દુષ્કાળ પડ્યો ત્યારે ગણધર ભદ્રબાહુ પિતાનાં ૧૨૦૦૦ શિષ્ય સાથે દક્ષિણમાં કર્ણાટક (હેસુર) તરફ ચાલી નીકળ્યા, જ્યારે બીજા કેટલાક સાધુએ ભદ્રબાહુના શિષ્ય ગણધર સ્થૂલભદ્ર સાથે બિહારમાં રહ્યા. દુષ્કાળની કઠિનતાની પરિસીમાને લીધે ધર્માચારનું યોગ્ય પાલન અને ધર્મશાસ્ત્રોની ગ્ય જાળવણી અશક્ય બની. દિગંબર રહેવું ઈષ્ટ મનાયેલ હોવા છતાં વ્યવહારમાં એ આચરણ અશક્ય નહીં તે પણ અતિ કઠિન લાગતાં મગધમાં રહેલા સાધુઓએ નગ્નતાને એકીસાથે ત્યાગ કર્યો અને શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. આ રીતે તેમણે મહાવીરની આજ્ઞા વિરુદ્ધનું આચરણ કર્યું. તેમને સમજાવવાને સ્થૂલભરના પ્રયાસો સફળ ન થયા. દક્ષિણમાં ગયેલ સાધુઓએ આચારનું યોગ્ય પાલન કરેલ અને બિહાર પાછા ફરતાં તેમણે ત્યાંના સાધુઓને આ શિથિલાચાર જોયો અને તેમણે તેમને ધર્મચુત માન્યા. મગધમાં રહેલ સાધુઓએ નગ્ન સાધુઓને અત્યાગ્રહી માન્યા અને તેઓ ધર્માતાનું અતિક્રમણ કરે છે એમ માન્યું. આ રીતે શ્વેતાંબરદિગંબર પંથે અસ્તિત્વમાં આવ્યા. ધર્માજ્ઞાનું શબ્દશઃ પાલન કરનાર દિગંબર કહેવાયા અને તેમાં થોડી છૂટછાટ મૂકનાર શ્વેતાંબર કહેવાયા.
તાંબર–દિગંબર વચ્ચે કેટલાક ભેદના મુદ્દાઓ નીચે મુજબ છે : ૧. તીર્થકરોની મૂર્તિ સંબંધમાં :
શ્વેતાંબર અને દિગંબર મૂર્તિઓને ભિન્ન ભિન્ન પ્રતીકે આપે છે. શ્વેતાંબર પરંપરામાં મૂર્તિઓ મુગટ, રત્ન, વસ્ત્ર, સોના-ચાંદીના આભૂષણોથી સુશોભિત અને આરસપહાણમાં કાચના નેત્રજડિત હોય છે, જ્યારે દિગબર પરંપરામાં મૂર્તિએ નગ્ન હોય છે, તેમને કોઈ પણ પ્રકારે શણગારવામાં આવતી નથી અને આ મૂર્તિઓનાં લેસન નીચાં ઢળેલાં હોય છે.
૨. મહાવીરના સંબંધમાં :
(૧) શ્વેતાંબર માન્યતા મુજબ, દેવાનંદ નામની બ્રાહ્મણ સ્ત્રીની કુખે ગર્ભાધાન થયું હોવા છતાં મહાવીરને જન્મ ક્ષત્રિય સ્ત્રી ત્રિશલાદેવીની કુખે થયે હતા. ગર્ભાધાન બાદ ૮૬મા દિવસે ઈન્દ્રદેવે આ ગર્ભ–પરિવર્તન કર્યું હોવાની માન્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org