SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન ત્રાસ આપતો. યક્ષને પ્રતિબંધ કરવા માટે યક્ષના મંદિરમાં જ ચાતુર્માસ કરવાનો તેમણે નિશ્ચય કર્યો. ધ્યાનસ્થ મહાતપસ્વી મહાવીરને લેભ પમાડવા હાથી, સર્પ વગેરેનાં ભયંકર રૂપો ધારણ કરીને તેણે અનેક પ્રકારના ઉપદ્રવ કર્યા. તેમ છતાં તેમણે એ બધા ઉપસર્ગોને અપૂર્વ સમતાથી સહન કર્યા અને પિતાના ધ્યાનમાં લીન રહ્યા. તે સમયે સિદ્ધાર્થ દેવે ત્યાં આવીને યક્ષને ખૂબ ધમકાવ્યો અને કહ્યું કે આ તો સૂર અને સુરેન્દ્રોના પણ પૂજ્ય છે. આ સંભળતાં યક્ષ ગભરાયો અને પ્રભુની ક્ષમા યાચી. (૨) એક બીજા પ્રસંગે વિચરતાં વિચરતાં શ્રમણ ભગવાન મહાવીર તાંબી નગરીમાં આવી પહોંચ્યા. ત્યાં નજદીકમાં ચંડકૌશિક નામને એક દષ્ટિવિષ સા૫ રહેતો. હતો અને તેણે પોતાની દૃષ્ટિ માત્રથી અનેકના પ્રાણ હરી લીધેલી. ભગવાન મહાવીર ત્યાં પહોંચ્યા, ત્યારે તેમના પ્રાણ હરવા પણ તે જ પ્રમાણે પ્રયાસ કરતાં તે નિષ્ફળ. નીવડ્યો. આમ છતાં તે સર્વે ભગવાનના પગમાં દંશ દીધો. દંશથી ભગવાનના. પગમાંથી સફેદ રૂધિર વહેવા લાગ્યું. આ જોઈ ચંડકૌશિક વિચારમાં પડયો. ભગવાન મહાવીરે તેને આ સ્થિતિમાં જોઈ ઉપદેશ આપ્યો “બુઝ, બુઝ, ચંડકૌશિયા”. ચંડકૌશિકને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે અનશન વ્રત લેવું. આ રીતે પ્રભુના ઉપદેશથી. ચંડકૌશિકનો ઉદ્ધાર થયો એમ કહેવાય છે. (૩) શિયાળાની કડકડતી ઠંડીમાં એકવાર મહાવીર પ્રભુ ધ્યાનસ્થ ઊભા, હતા ત્યારે વ્યંતરી કપુતના (મહાવીરના પૂર્વભવની અપમાનિત સ્ત્રી)એ આવીને તેમના પર પૂર્વભવનું વેર વાળવા પુષ્કળ પાણી છાંટી કષ્ટ આપવા પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સહેજ પણ ચલિત થયા નહીં. આમ થતાં તે પ્રભુને ક્ષમાવી ચાલતી થઈ. (૪) એકવાર વનમાં લાગેલે દવ (અગ્નિ) જે વૃક્ષ હેઠળ મહાવીર ઊભા હતા ત્યાં આવતા તેમના પાદસ્પર્શથી શમી ગયે. (૫) મહાવીર ભગવાન સાધનાના છેલ્લા બારમા વર્ષ દરમ્યાન એક સમયે ધ્યાનમગ્ન હતા ત્યારે એક ગેટવાળિયે પોતાના બળદે તેમની નજદીક મૂકીને આડોઅવળે ચાલ્યો ગયે અને બળદે ચરતા ચરતા જંગલમાં દૂર નીકળી ગયા. ગોવાળિયે પાછો ફર્યો ત્યારે બળદ ન જોયા. તેણે મહાવીરને તે વિશે પૂછયું. ધ્યાનાવસ્થામાં હોઈ તેમણે તેને તેના પ્રશ્નને કોઈ ઉત્તર આપ્યો નહીં. આથી. ક્રોધાવૈશમાં આવી જઈ તેમણે પ્રભુના કાનમાં ખીલા ઠક્યા ! આ ઘોર ઉપસર્ગ છતાં ધ્યાનમગ્ન મહાવીર લેશમાત્ર વિચલિત ન થયા અને શાંત ચિત્તે એ બધું સહન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy