________________
પૂર્વભૂમિકા
સરસ કિંમત ઉપજી શકે. આવા વિચાર સાથે તે વૃદ્ધ બ્રાહ્મણ આ તપસ્વીની શોધમાં તેમની પાછળ પરિભ્રમણ કરવા લાગ્યું. મહાવીર ભગવાન એકવાર એક વાડ પરથી પસાર થતા હતા ત્યારે તેમનું અડધું બાકી રહેલું વસ્ત્ર કાંટામાં ભરાઈ ગયું. જે પિતાનાથી અલિપ્ત થયું તે ઉપયોગી નહીં હોય તેમ માની તેઓ ત્યારથી દિગંબર દશામાં વિચરવા લાગ્યા, તેથી પાછળ પરિભ્રમણ કરતો વૃદ્ધ બ્રાહ્મણ તે લઈ ચાલતો થયો
કઠોર તપશ્ચર્યા : દીક્ષા ગ્રહણ બાદ મહાવીરે આંતરિક શત્રુ પર વિજય મેળવવા અને વાસનાઓ પર કાબૂ મેળવવા ૧૨ વર્ષ કઠોર તપશ્ચર્યામાં વ્યતીત કર્યો. આ દીર્ઘકાલીન તપશ્ચર્યા દરમ્યાન તેમને કદીયે અન્યની સહાયની અપેક્ષા રાખેલ નહીં. પિતાના જ પુરુષાર્થ બળે જ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવવા તેમણે દઢ સંકલ્પ કરેલો. તેમની માન્યતા મુજબ ઉપસર્ગો (પ્રાણીઓ દ્વારા ઉદ્દભવેલ વિદને અને લેશે) અને પરિવહ (નૈસર્ગિક આપત્તિઓ) ભગવ્યા સિવાય પાપકર્મોક્ષય અને ચિત્તશુદ્ધિ ન થઈ શકે એટલા માટે જ તેઓ કદીય તેમાંથી બચવાને પ્રયાસ કરતા નહીં. સાધનાકાળ દરમ્યાન તેમના માર્ગમાં ઉપસ્થિત થતાં વિદને-મુશ્કેલીઓ તેઓ સહન કરતા. એકવાર તેમને ચેર અને ગુપ્તચર માની પકડીને તુરંગમાં પણ પૂરવામાં આવેલ. કેટલીકવાર તેમના પર કૂતરાઓ છોડવામાં આવતા તે કઈ વાર સર્પ, વાધ વગેરે હિંસક પશુઓ તરફથી તેમને દુઃખ વેઠવાં પડતાં; તો કોઈવાર ટાઢ, તડકે, વરસાદ, વાવાઝોડું વગેરે નૈસર્ગિક આપત્તિઓ સહન કરવી પરતી.
શ્રી કિશોરલાલ મશરૂવાલા લખે છે: “એમનું જીવન તપશ્ચર્યાનું ઉઝમાં ઉગ્ર સ્વરૂપ કેવું હોઈ શકે, સત્યને શેાધવા માટે મુમુક્ષુની વ્યાકુળતા કેટલી તીવ્ર હોય, સત્ય, અહિંસા, ક્ષમા, દયા, જ્ઞાન અને યોગથી વ્યવસ્થિત અપરિગ્રહ, શાંતિ, દમ ઇત્યાદિ દેવી ગુણેને ઉત્કર્ષ કેટલે સુધી સાધી શકાય, તયા ચિત્તની શુદ્ધિ કેવા પ્રકારે થવી જોઈએ, એના ઉતમ દૃષ્ટાંતરૂપ છે.” ગૃહત્યાગ બાદનાં ૧૨ વર્ષે મહાવીરે ઘોર તપશ્ચર્યામાં વિતાવ્યાં અને આ સાધનાકાળ દરમ્યાન તેમનામાં રહેલ અપૂર્વ સહનશક્તિ, વિરલ સમભાવવૃત્તિ, અદ્વિતીય ક્ષમાવૃત્તિ અને અદ્દભૂત શૌર્યનાં દર્શન આપણને થાય છે.
કેટલાક પ્રસંગે : (૧)એકવાર વિહાર કરતાં કરતાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામી અરિથ ગામે પધાર્યા. આ ગામમાં સૂવપાણિ નામને યક્ષ લેકને ખૂબ " મશરૂવાળા, કિશોરલાલ, બુદ્ધ અને મહાવીર, પૃ. ૭૭.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org