SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભૂમિકા (૬) ફરતાં ફરતાં શ્રમણ મહાવીર એકવાર મેાાક ગામે આવી પહોંચ્યા. અહી એક કુલપતિના આશ્રમ હતા. આ કુલપતિ મહાવીરના પિતાના મિત્ર હતા. તેમના આગ્રહવશ મહાવીરે આશ્રમ નજીક ઝૂંપડી બાંધી ચાતુર્માસ સાધના કરવા નિર્ણય કર્યો. મહાવીરની ઝૂંપડીની આસપાસ અનેક તાપસાની ઘાસની મઢુલીએ હતી. ગાયોએ આ ઝૂ ંપડીએના આહાર કરવા માંડયો ત્યારે પણ મહાવીર પોતાના ધ્યાનમાં મગ્ન રહ્યા. અન્ય સાધકાએ તેા ગાયાને મારીને કાઢી મૂકેલ. આથી તેમને મહાવીર પ્રત્યે ઇર્ષ્યાભાવ જાગૃત થયા અને પરિણામે કુલપતિ પાસે જઈ મહાવીરે તેમની ઝુ ંપડીએને ગાયાને ખવડાવી દીધાની ફરિયાદ કરી. કુલપતિએ મહાવીરને આ વિષે કહ્યું ત્યારે મહાવીર ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતાના જીવન માટે નીચેના સિદ્ધાંતા નક્કી કર્યાં. . જીવન સિદ્ધાંતા : (૧) જ્યાં કાઈપણને અપ્રીતિ થાય ત્યાં રહેવું નહીં. (૨) જ્યાં રહેવાનું થાય ત્યાં ઝૂંપડી બાંધવી નહીં, કામળી એઢવી નહીં, તાપવુ નહીં. ટૂંકમાં, શરીર રક્ષણાર્થે કંઈપણુ કરવુ નહીં. (૩) આવશ્યક નહાય ત્યાં સુધી સેવવુ . વાણીના ઉપયોગ કરવા નહીં અર્થાત્ મૌન (૪) ગૃહસ્થને વિનય ન કરવા અર્થાત્ પેાતાની આવશ્યકતાએ અર્થે કાઈપણ ગૃહસ્થને આજીજી ન કરવી. ૧૧. કેવળર્ડન : ૧૨ વર્ષની ઉગ્ર તપશ્ચર્યા બાદ તે તાલીસ વર્ષની વયે જામ્ભક ગામથી બહાર ઋજુ પાલિકા નદીને કિનારે શ્યામાક ગૃહસ્થના ખેતરમાં આવેલા શાલવૃક્ષ નીચે ભગવાન મહાવીર ધ્યાનસ્થ હતા ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું તે સિદ્ધ દશાને પામ્યા, સર્વજ્ઞ થયા. આ જ્ઞાન તર્ક આધારિત નહાતુ, પરંતુ અનુભવજન્ય હતું અને વર્ષોની તપશ્ચર્યા, ચિંતન અને મનન દ્વારા પ્રાપ્ત થયું હતું. આ કેવળજ્ઞાનને લીધે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની હકીકતા જાણી શકતા હતા, તેમનાથી કોઈ ચીજ અજાણી રહેતી નહીં. કેવળા થયા પછી ૩૦ વર્ષ સુધી વિહાર કરીને તેમણે અર્ધમાગધીમાં ઠેરઠેર ધર્મોપદેશ આપ્યા. તેએ નાના ગામમાં એક રાત્રી અને મેટા ગામમાં પાંચ રાત્રીથી વધારે સમય રોકાતા નહીં. વર્ષાઋતુ દરમ્યાન જીવહિંસા નિવારણના હેતુથી તે એક જ સ્થળે સ્થિર વાસ કરતા. તેમના ધર્મોપદેશને પરિણામે અનેક સ્ત્રી-પુરુષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy