SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન સર્જનશક્તિ અને તેના ઉપયોગ અન્ય ઉચ્ચ કાર્યા (શાસ્ત્ર, સાહિત્યગ્રંથના અભ્યાસ, નિર્માણ કે અન્ય કાપયોગી સેવાકાર્યા)માં શકય છે. જેવી રીતે શ્રાવક માટે સ્વદાર–સ તાષનુ વિધાન છે, જ પ્રમાણે શ્રાવિકા માટે સ્વપતિ–સ તાના નિયમ સમજવાના છે. પોતાના ભરથાર (પતિ) સિવાય અન્ય સર્વાં પુરુષ સાથે મન-વચન-કાયાપૂર્વક મૈથુનસેવનને ત્યાગ કરવા એ સ્વપતિ –સ તાજ કહેવાય છે. શ્રાવક માટે સ્વદાર–સ તેાષ અને શ્રાવિકા માટે સ્વપતિ~સ તાષ અનિવાર્ય છે. સાધુ-સાધ્વી માટે મૈથુનના સંપૂર્ણ ત્યાગ છે, જ્યારે શ્રાવક-શ્રાવિકા માટે મૈથુનની મર્યાદા નિશ્ચિત કરવામાં આવેલ છે. ગૃહસ્થ માટે બ્રહ્મચર્યના મહાવ્રત પર આધારિત ત્રતા નીચે મુજબ છે: ૧. ભિચાર કે વેશ્યાગીરી (દેવિય) કરવા નહીં. ૨. કાઈપણ પ્રકારના અસ્વાભાવિક જાતીય સંભાગ કરવા નહીં. ૩. વિષયભાગથી જેમ બને તેમ વધારેમાં વધારે દૂર રહેવુ. ૧૩૦ ૪. વધારેમાં વધારે વયપ ત બ્રહ્મચર્યનું પાલન કરવું. ૫. પ્રોઢ વય પછી લગ્ન કરવા નહીં. ૫. સ્થૂલ પરિગ્રહ (કે ઇચ્છા)વિરમણ કે અપરિગ્રહ વ્રત : માનવ–ઈચ્છા પ્રસાર આકાશની જેમ અનંત છે. ઇચ્છા પર નિયંત્રણ ન કરીએ તા તે કદાપિ તૃપ્ત થાય નહીં. ઇચ્છા નિય ંત્રણુ ઈચ્છા-તૃપ્તિના શ્રેષ્ઠ ઉપાય છે. ગૃહસ્થાવસ્થામાં ઈચ્છાને સદંતર ત્યાગ શકય નથી, પરંતુ ઇચ્છાએની મર્યાદા ખચિત બાંધી શકાય છે. આને ઇચ્છા-પરિમાણુનુ નામ અપાય છે અને ઇચ્છા મર્યાદિત થતાં મમત્વ, સ ંગ્રહ કે પરિગ્રહ વૃત્તિ પણ પરિમિત થાય છે. પરિણામે શ્રાવક જે કંઈપણ ઉપાર્જન કે સ ંગ્રહ કરે છે તે કેવળ જરૂરત–સ તાષ અર્થે જ હોય છે. આનાથી તે સ તાષપ્રદ રીતે પેાતાની અને પોતાના આશ્રિતાની પરિમિત ઈચ્છાની પરિપૂર્તિ થાય છે. ધન, ધાન્ય, સેાનું, ચાંદી, ઘર, ખેતર, જમીન, પશુ વ. ભાદ્ય પદાર્થાના પરિગ્રહ દ્રવ્ય-પરિગ્રહ કહેવાય છે અને તે પદાથા પરના માહ મમત્વ ભાવ-પરિગ્રહ કહેવાય છે. દારૂપ અને બંધનરૂપ ભાવ-પરિગ્રહને શિથિલ કરવા માટે દ્રવ્યપારેત્રનું સમુચિત પરિમાણુ નક્કી કરવું આવશ્યક છે. દ્રવ્ય પરિગ્રહને અતિ સંગ્રહ પાપ છે અને તેવી ઇચ્છા ધરાવલી પણ પાપ છે. જીવનની સામાન્ય જરૂરત તથા સુખસગવડ પૂરતા દ્રવ્ય-પરિગ્રહ પરની મમતા ભાવપરિગ્રહમાં ગાય તાપણું તેવી મમતાં પાપરૂપ ગણવાપાત્ર નથી કારણ કે તે ગૃહસ્થાશ્રમની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy