SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન નીતિશાસ ૧૫૯ પરંતુ તેણે સ્થૂળ અદત્તાદાનના ત્યાગ તા કરવા જ પડે છે. અદત્તાદાનના અર્થ છે આપેલ ન હોય તે વસ્તુ (અદત્ત)નું ગ્રહણુ (આદાન). આને સામાન્ય ભાષામાં ચારી કહે છે. શ્રાવક માટે આવી ચેરીના ત્યાગ અનિવાય છે કારણ કે ચારી કરવાથી ગુન્હાની શિક્ષા ભાગવવી પડે છે, સમાજમાં અવિશ્વાસ ઉત્પન્ન થાય છે, પ્રમાણિકતા નાશ પામે છે, પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે છે. આ પ્રકારની ચારીના ત્યાગ જ જૈન આચારશાસ્ત્રમાં સ્થૂળ અદત્તાદાન-વિરમણુ વ્રતના નામથી ઓળખાય છે. ખાતર પાડવુ, તાળુ તોડી લઈ જવુ, ટાઈને લૂંટવા, કોઈનુ` રસ્તા પર પડી ગયેલુ દ્રવ્ય ઉડાવી લેવુ, એન્નુ દેવું વધારે લેવું, કાઈના દાટેલા ધનને ટાઢી લેવુ, કાઈની થાપણુ હડપ કરી જવી, કાઈની ચીજ ચારી લેવી, મળેલ વસ્તુના માલિકના પત્તો લગાવવા કાશિશ ન કરવી કે પત્તો લાગતાં તે પરત ન કરવી વગેરે ચેરીનાં ઉદાહરણા છે. શ્રાવક ચેરીના ત્યાગ પણ સામાન્ય રીતે એ કરણ (કરવુ “કરાવવું) અને ત્રણ ચાગ (મન-વચન-કાયા) પૂર્વક જ કરે છે. ગૃહસ્થ માટે અસ્તેય-અચૌર્ય મહાવ્રતમાંથી નીચેનાં વ્રતા નિષ્પન્ન થાય છે: ૧. ચેરી કરવાના હેતુથી અન્યની માલિકીની કાઈ ચીજ વસ્તુ લેવી નહીં. ૨. ઇરાદ્યપૂર્વક ચારાયેલ ચીજ-વસ્તુ ખરીદવી નહીં ચારને ચેરી કરવામાં સહાયભૂત થવુ નહીં. ૩. કાયદા દ્વારા પ્રતિબ ંધિત ચીજ-વસ્તુએના વ્યાપાર કરવા નહીં. ૪. વ્યાપારમાં અધમ રીતરસમ-દાવપેચના આશ્રય લેવા નહી. ૫. કાઈ ટ્રસ્ટ કે સંગઠનના હોદ્દેદારની રૂએ તેની માલમિલકત કે ધન ઉચાપત કરવુ નહીં. ૪. સ્થૂલ મૈથુનવિરમણ કે સ્વદાર-સતોષ વ્રત : પોતાની ભાર્યા સિવાય અન્ય સર્વ સ્રી -કાયા-પૂર્વક ત્યાગ કરવા એ સ્વદાર–સ તાષ પરસ્ત્રી ત્યાગની વાત છે. વૈશ્યા, વિધવા અને આ વ્રતમાં નિહિત છે. સ્વદાર (સ્વપત્ની)ની જાતની કામ ચેષ્ટા હેય છે. મર્યાદિત સંગતિ એટલે ધ્યેય રાખીને સંતાનેાત્પત્તિ જેવા ઉદ્દેશથી સ્ત્રી-પુરુષ વચ્ચે થતી સંગતિ. પ્રજોત્પત્તિ સિવાય, શરીર-મન-સંકલ્પબળ વૃદ્ધિ અર્થે શારીરિક-માનસિક–આધ્યાત્મિક -ભૌતિક ઉન્નતિ માટે પણ વીના ઉપયોગ અસાધારણપણે અપેક્ષિત છે, તેમાં સાથે મૈથુન સેવનને મન-વચન કહેવાય છે. આ વ્રતમાં આ રીતે કુમારીની સંગતિના ત્યાગ પણ મર્યાદિત સંગતિ સિવાય દરેક સામાન્ય રીતે વીય રક્ષણનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy