SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જેનદન અહિંસક હોઈ શકે નહીં. સાચે અહિંસાવાદી કદી પણ અસત્યનું આચરણ કરી શકતું નથી. સત્ય અને અહિંસા વચ્ચે અત્યંત ગાઢ સંબંધ છે અને તેથી -એકના અભાવમાં અન્યની આરાધના શક્ય નથી. બંને પરસ્પર પૂરક અને અન્યાશ્રિત છે. ગૃહસ્થ માટે સામાન્ય રીતે મૃષાવાદ(અસત્ય)ને સર્વથા સૂકમ ત્યાગ -શકચ નથી. પરંતુ તે સ્થૂલ મૃષાવાદને ત્યાગ અવશ્ય કરી શકે છે. જેનાથી વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા, પ્રામાણિકતા અને વિશ્વસનીયતા પર વિપરીત અસર થાય અને સજાને ભેગ બનવું પડે તેને સ્થૂળ અસત્ય કહી શકાય. આ પ્રકારના અસત્યથી માનવીનું પતન થાય છે. અનેક કારણસર માનવી સ્થૂલ અસત્ય બોલે છે. પોતાના પુત્ર-પુત્રીના વિવાહ નિમિત્તે સામા પક્ષવાળા સમક્ષ ખાટી પ્રશંસા કરવી-કરાવવી, ગાય-ભેંસ–ઘોડા-બળદ વગેરે પશુઓ અને પક્ષીઓની લે-વેચ વખતે મિથ્યા પ્રશંસાને આશ્રય લેવો, ઘર-મકાન ખેતર-વૃક્ષ-બાગ વગેરે ભૂમિના સંબંધમાં અસત્ય બોલવું –બોલાવવું, અન્ય વસ્તુઓના સંબંધમાં અસત્યને આશરે લેવો, નેકરી વ. માટે અસત્યને આશ્રય લેવો, કેદની થાપણુ વગેરે પચાવી પાડી વિશ્વાસઘાત કરવા, ખાટી સાક્ષી આપવી–અપાવવી. લાંચ લેવી–આપવી, સત્યને અસત્ય કે અસત્યને સત્ય સિદ્ધ કરવા પ્રયાસ કરવો વ. સ્થૂળ અસત્યના ઉદાહરણ છે. શ્રાવક આ પ્રકારના અસત્ય બોલવા-બોલાવવાને (બે કરણ) મન-વચન-કાયા (ત્રણ યોગ) દ્વારા ત્યાગ કરે છે. ગૃહસ્થ સત્યના મહાવ્રતમાંથી નિષ્પન્ન થતા નીચેના વ્રતનું પાલન કરવાનું છે. ૧. વસ્તુઓના ખરીદ-વેચાણ વેળાએ ખેટા તોલમાપને ઉપયોગ કરે નહીં. ૨. ઇરાદાપૂર્વક પેટા નિર્ણ લેવા નહીં. ૩. કોઈ વ્યક્તિ વિરુદ્ધ બેટ દા કરવો નહીં કે ખોટી સાક્ષી આપવી નહીં. ૪. કેઈપણ વ્યક્તિની થાપણ પરત કરવા ઈન્કાર કર નહિ. ૫. કોઈપણ પ્રકારની બનાવટ-છેતરપીંડી કરવી નહી. શ્રાવકે હંમેશાં સાવધાનીપૂર્વક સત્યની આરાધના કરવી જોઈએ. ૩. સ્થૂળ અદત્તાદાન-વિરમણ કે અસ્તેય વત : અહિંસા અને સત્યના સમ્યફ પાલન માટે, અદત્તાદાન-વિરમણ અર્થાત્ અચોર્ય આવશ્યક છે. શ્રાવક માટે સૂક્ષ્મ અદત્તાદાનને ત્યાગ આવશ્યક નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy