SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જેન નીતિશાસ્ત્ર ૧૫૩ આ વ્રત મન-વચન-કાયા દ્વારા કોઈપણ વ્યક્તિની માલમિલકતની ચોરી કરવા -કરાવવા-અનુમોદવા પર પ્રતિબંધ ફરમાવે છે, કારણ કે આમ કરતા અન્ય વ્યક્તિને માનસિક ઈજા પહોંચતાં હિંસા પરિણમે છે અસ્તેય વ્રત આ રીતે અહિંસા પર આધારિત છે. અસ્તેય વ્રતના રક્ષણ અને દઢતા માટે પાંચ ભાવનાઓ નીચે મુજબ છેઃ ૧. જોઈ વિચારીને વસ્તુની યાચના કરવી. ૨. આચાર્ય વગેરેની અનુમતિ લઈને ભેજન કરવું. ૩. પદાર્થ મર્યાદિત પ્રમાણમાં સ્વીકારવાં. ૪. ફરી ફરીને પદાર્થોને મર્યાદિત કરવા. ૫. સાધર્મિક (સાથી શ્રમણ) પાસેથી મર્યાદિત પ્રમાણમાં વસ્તુઓની યાચના કરવી. (૪) સમૈથુન વિરમણ કે બ્રહ્મચર્ય મહાવત : શ્રમણ માટે મૈથુનને સંપૂર્ણ ત્યાગ અનિવાર્ય છે. તેમને માટે મન-વચન -કાયા દ્વારા મૈથુન સેવન કરવા કરાવવા-અનુમોદવા પર નિષેધ છે. મૈથુન અધર્મનું મૂળ તથા મહાદેનું સ્થાન કહેવાય છે. આ દ્વારા અનેક પ્રકારના પાપ ઉત્પન્ન થાય છે. હિંસા વગેરે દેશે અને કલહ-સંઘર્ષવિગ્રહ ઉદ્દભવે છે. આ સર્વ સમજીને નિર્મધ મુનિ મૈથુનને સર્વથા ત્યાગ કરે છે. જેવી રીતે મરઘીના બચ્ચાને બિલાડીને હંમેશા ડર લાગે છે તેવી રીતે સંયમી શ્રમણને સ્ત્રીના શરીરને અને સંત શ્રમણીને પુરુષની કાયાને સદા ભય રહે છે. તેઓ સ્ત્રી-પુરુષના રૂપ, રંગ, ચિત્ર વગેરે જોવા તથા ગીત વગેરે સાંભળવાને પણ પાપ માને છે. જે કદાચિત એ તરફ દૃષ્ટિ જાય તે તેઓ તરત જ સાવધાન થઈને પિતાની દૃષ્ટિને પાછી ખેંચી લે છે તેઓ બાળક, યુવાન અને વૃદ્ધ સર્વ પ્રકારના નર-નારીઓથી દૂર રહે છે. એટલું જ નહીં પરંતુ તેઓ કેઈપણ પ્રકારના કામોત્તેજક કે ઈન્દ્રિયાકર્ષક પદાર્થ સાથે તેમને સંબંધ જોડતા નથી. ૧ આચારાંગ, ૨-૩. - ૨ દશવૈકાલિક, ૬. ૧૬. ૩ એ જ, ૮, ૫૪-૫૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy