SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર જૈનદર્શન (૨) સમૃષાવાદવિરમણ કે સત્ય મહાવ્રત: સર્વવિરત (સર્વ ત્યાગ) શ્રમણ મૃષાવાદને પણ સર્વથા ત્યાગ કરે છે. અસત્ય હિંસા વગેરે દોષોનું જનક છે એમ સમજીને તેઓ કદીપણું અસત્ય વચનને પ્રયોગ કરતા નથી. તેઓ હંમેશાં નિર્દોષ, મૃદુ, સ્પષ્ટ વાણીને ઉપયોગ કરે છે. મન-વચન-કાયા દ્વારા ક્રોધ, લોભ, ભય કે મશ્કરીમાં પણ તેમણે અસત્ય બોલવું, બેલાવવું, અનુમેદવું ન જોઈએ. સત્ય બોલવું આવશ્યક છે, કારણ કે અસત્ય કહેવાથી અન્યને માનસિક આઘાત-ઈજા પહોંચે છે. સત્ય પ્રતિ દુર્લક્ષ કરીને અહિંસાનું આચરણ અશક્ય છે. અસત્ય વાણી દ્વારા વાચિક હિંસાનું આચરણ થાય છે અને આથી અન્યની લાગણી દુભાય છે. સંક્ષેપમાં, સાધુજને ક્રોધ વ. કષાયોને ત્યાગ કરીને સમભાવ ધારણ કરીને વિચાર અને વિવેકપૂર્વક સંયમિત સત્ય ભાષાને પ્રયોગ કરવો ઘટે, સદષ, કઠોર જીવને કષ્ટદાયક ભાષા વધી ધટે. સત્યવ્રતની પાંચ ભાવનાઓ * નીચે મુજબ છે : ૧. વાણીવિવેક એટલે કે સમજીને-વિચારીને ભાષા પ્રયજવી. ૨. ફોધત્યાગ અર્થાત ગુસ્સો ન કરવો. ૩. લભત્યાગ અર્થાત્ લાલચમાં ન ફસાવું. ૪. ભત્યાગ અર્થાત નિર્ભય-નિર્ભિક બનવું. ૫. હાસ્યત્યાગ અર્થાત મજાક મશ્કરી ન કરવા. આ અને આવા પ્રકારની અન્ય ભાવનાઓ સત્યવ્રતનું રક્ષણ કરે છે. (૩) સવઅદત્તાદાન વિરમણ કે અસ્તેય મહાવત : અદત્તાદાન વિરમણ એટલે ન આપેલી વસ્તુ (અદત્ત) ગ્રહણ (આદાન) ન કરવી. આ વ્રતયુક્ત શ્રમણ કોઈપણ નહિ આપેલ વસ્તુને ગ્રહણ કરતા નથી. તેઓ અનુમતિ વિના એક તૃણને ઉઠાવવાને પણ સ્નેય અર્થાત્ ચેરી સમજે છે. કેઈપણ પડી ગયેલ, ભૂલાઈ ગયેલ, રાખવામાં આવેલ કે અજ્ઞાત માલિકની વસ્તુને સ્પર્શ પણ તેમને માટે નિષિદ્ધ છે. જરૂરિયાત હોય ત્યારે તેઓ માલિકની અનુમતિથી અથવા તે એગ્ય વ્યક્તિ દ્વારા અપાયેલ વસ્તુને ગ્રહણ કરે છે કે તેને ઉપયોગ કરે છે. જેવી રીતે તેઓ પોતે અદત્તાદાનનું સેવન કરતા નથી તેવી જ રીતે તેઓ અન્ય દ્વારા આ કરાવતા પણ નથી અને કરનાર-કરાવનારનું સમર્થન પણ કરતા નથી. * આચારાંગ, ૨-૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy