SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પૂત્ર ભૂમિકા નવા વિચારા અને નવી પ્રેરણાઓ ઉત્પન્ન કરવાની મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિએ દષ્ટિગાચર થાય છે. આ સમય દરમ્યાન ચીનમાં લાઓ ત્સે અને કાસ્ટ્યુલ્સ્ટસ, ઈરાનમાં અષા જરથુ× અને ગ્રીસમાં પ્રથમ પ ંક્તિના છ પ્રાચીન તત્ત્વજ્ઞા-થેલિસ, એનેકઝીમેન્ડર, એનેકઝીમીનીસ, ઝેનોફેનિસ, પાયથાગારસ અને હેકેિલટસ પ્રાદુર્ભાવ પામ્યા. ભગવાન ખુદ્દ પણ મહાવીરના સમકાલીન હતા, પર ંતુ બંનેની મુલાકાત કઠી થઈ નહોતી. જન્મસ્થળ અને કુટુંબ : આવા મહત્ત્વપૂર્ણ સૈકામાં ૨૪મા તી કર મહાવીરના જન્મ ઈ.સ. પૂર્વે ૫૯૯ની આસપાસ ચૈત્ર સુદ ૧૩ને દિવસે વિદેહ (વર્તમાન બિહાર)ના પાટનગર વૈશાલી (વર્તમાન બેસાર)ના ઉપનગર ક્ષત્રિય કુંડગ્રામ (વસુકુ ડ)માં એક ક્ષત્રિય રાજાને ત્યાં થયો હતા. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. ત્રિશલા વૈશાલીના રાજા ચેટકના એન હતાં. મહાવીરનાં માતાપિતા પાર્શ્વનાથના ધર્મ નાં અનુયાયી હતાં. તેમના મેાટાભાઈનું નામ નદિવ ન હતું અને તેમનું લગ્ન ચેટકની પુત્રી જયેષ્ઠા સાથે થયું હતું. તેમની બહેનનું નામ સુદર્શના હતું અને તેનુ લમ મગધના પ્રતાપી રાત્ન બિબિસાર સાથે થયું હતું. મહાવીરના ગેત્રનું નામ કશ્યપ હતું. નાત નામક કુળમાં જન્મને લીધે તેઓ જ્ઞાતપુત્ર (નાતપુત્ત) પણ કહેવાય છે. ત્રિશલાદેવીના ગર્ભાધાન કાળથી કુટુંબ અને રાજ્યની કીર્તિ અને રિદ્ધિસિદ્ધિમાં વૃદ્ધિ થઈ હોવાથી તેમનુ નામ વર્ધમાન રાખવામાં આવ્યું. તે ત્રણ નામેાથી વિખ્યાત છેઃ ૧. વર્ધમાન, ૨. શ્રમણ અને ૩. મહાવીર, વર્ધમાન નામ તેમના માતાપિતાએ આપ્યું. જનસમુદાયે તેમને શ્રમણ કહ્યા કારણ કે તે સતત સમભાવપૂર્ણાંક, સહેજ સુખપૂર્વક, અનેક દિનપર્યંત તપસ્યામાં લીન રહ્યા, જ્યારે તેમણે સર્વ પ્રકારના ભય, સ ંધ, આપત્તિએ પર વીરતાપૂર્વક વિજય પ્રાપ્ત કર્યા ત્યારથી તેઓ મહાવીર’ તરીકે એળખાયા. આ નામ સૌથી અધિક પ્રચલિત છે. શરૂઆતનું જીવન : કાઈપણુ રાજકુમારનું જીવન હોય તેવુ વૈમવશાળી તેમનુ જીવન હતુ ં. મહાવીરની કાળજી પાંચ સ્ત્રીએ રાખતી હતી એક તેને સ્તનપાન કરાવતી, બીજી તેને સ્વચ્છ રાખતી, ત્રીજી તેને કપડાં પહેરાવતી, ચાથી તેને રમાડતી અને પાંચમી તેને હાર લઈ જતી. આ પ્રમાણે એક બાઈ પાસેથી ખીજી આઈ પાસે તેમને લાવવામાં આવતા હતા. બાલ્યકાળથી વર્ધમાન પરાક્રમપ્રિય હતા. તેમણે વ્યાયામ દ્વારા તેમનું શરીર સુદૃઢ બનાવ્યું હતું. તે રમનગમતના પણ ભારે શોખીન હતા. રાજકુમારને ઉત્તમ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના શરીર અને મનની શક્તિના અદ્ભુત વિકાસ થવા લાગ્યા. તેઓ સ્વભાવે નિર્ભય હતા. આઠ વર્ષની વયે એકવાર ગામ બહાર સમવયસ્ક મિત્રા સાથે બાળક્રીડા કરવા ગયા ત્યારે ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy