SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર ૯, પાર્શ્વનાથ : ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ એક ઐતિહાસિક વ્યક્તિ હતા એ હકીકત આજે સર્વ સ્વીકૃત છે. તેમને જન્મ વારાણસીના રાજા અશ્વસેન અને રાણી વામાન પુત્ર તરીકે ૮૭૨ (કે ૮૧૭) ઈ. સ. પૂર્વે થયે હતા. એમ કહેવામાં આવે છે કે પાર્વે બાગમાં અરિષ્ટનેમિનેમિનાથ)નું ચિત્ર જોયું અને અંતર્રાન જાગૃત થતાં તેમણે તત્કાળ સાધુ થવાને નિશ્ચય કર્યો. તેમણે ૩૦ વર્ષની વયે દીક્ષા અંગીકાર. કરી અને ૮૩ દિનની લગાતાર તપશ્ચર્યા બાદ ૮૪મા દિને તેઓ કેવળજ્ઞાની થયા. તેમનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોવાનું મનાય છે. ૭૦ વર્ષ સુધી સારાય દેશમાં વિહાર કરીને ધર્મોપદેશ આપી જૈન ધર્મના પ્રચાર કર્યો. તેમના પ્રથમ શિષ્યમાં તેમની માતા, પત્ની વગેરે નજદીકના સગાસંબંધીઓને સમાવેશ થતો હતો. ૧૦૦ વર્ષની વયે બિહારમાં આવેલ સમેતશિખર (પાર્શ્વનાથ પર્વત) પર તેઓ ઈ.સ. પૂર્વે ૭૭૨માં નિર્વાણ પામ્યા. આમ તેમને સમય મહાવીરથી લગભગ ૨૫૦ વર્ષ પૂર્વેને હતા. પાર્શ્વનાથ હિંસા, અસત્ય, ચોરી તથા પરિગ્રહ એ ચાર બાબતના ત્યાગને. સીધો સાદો ઉપદેશ આપતા હતા. પાશ્વનાથનાં ચતુર્યામ-ચાર વ્રતો નીચે મુજબ છેઃ ૧. અહિંસા: સર્વ પ્રકારની જીવહિંસાથી દૂર રહો. (સવાનો વાળારૂંવાધામો વિરમi t). ૨. સત્યઃ સર્વ પ્રકારના મિથ્યા ભાષણથી દૂર રહે. (સરવાળો મુવાયામો વિરમr 1 ) ૩. અતૈય? ન આપેલી એવી કોઈપણ વસ્તુથી અર્થાત્ સર્વ પ્રકારની ચેરીથી દૂર રહો. (सव्वाओ अदिण्णादाणाओ विरमण।) અપરિગ્રહઃ સર્વ પ્રકારના બહારના આદાનથી દૂર રહે અર્થાત નિર્ધન રહે. (સામો વહેલામો વિરમi ) મહાવીરના પંચ મહાવ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત અહીં અપરિગ્રહમાં સમાવિષ્ટ છે. ૧૦. ભગવાન મહાવીર ઃ ઈ. સ. પૂર્વે ૬૦૦ની આસપાસને સમય વિશ્વના ઈતિહાસમાં ધાર્મિક દષ્ટિએ ઘણું જ અગત્યનું છે. આ સમય દરમ્યાન વિશ્વનાં જુદાં જુદાં રાષ્ટ્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy