SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન અને વિજ્ઞાન (૬) આત્માના અસ્તિત્વને ન સ્વીકારનાર વ્યક્તિ સ ંપૂણરીતે અન્તસ્તત્વમાન પદાર્થીના કિસ્સામાં નિષેધક નિર્ણય કરી શકે નહીં. આકાશકુસુમનું અસ્તિત્વ પણ સંપૂર્ણ રીતે નિષેધાત્મક નથી, કારણ કે આકાશ અને કુસુમ અનેનુ અસ્તિત્વ છે. આકાશ અને કુસુમ એ બેનુ સયાજન અનસ્તિત્વમાન છે, પદાર્થો સ્વયં નહીં. આથી આત્માના નિષેધ સ્વયં આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. જે આત્મા ન હાય તા પછી આ કાના નિષેધ છે ? (૭) આત્માના અસ્તિત્વ માટે વ્યુત્પત્તિમૂલક દલીલ પણ કરવામાં આવે છે. જીવ શબ્દ આત્માના પર્યાયવાચી શબ્દ છે. આ શબ્દ અર્થમય (significant) છે, કારણ કે તે વ્યુત્પત્તિમૂલક છે અને શુદ્ધ પદ (એકાકી સમગ્ર-singular whole) છે. જે પદ વ્યુત્પત્તિમૂલક અને શુદ્ધ હોય છે તે અ મય છે. ઘડા વગેરે તેવાં પા છે. જીવ પણ તેવુ પદ છે. તેથી તેને પણ અ છે. જે પદ અમય ન હોય તેને વ્યુત્પત્તિ હોતી નથી અને તે પદ શુદ્ધ પણ હોતું નથી. ડિલ્થ' અને ‘આકાશકુસુમ' ઓ પ્રકારના શબ્દો છે. અને નિરર્થક છે, કારણકે ડિન્થ' શુદ્ધ પદ છે. પરંતુ વ્યુત્પત્તિમૂલક નથી, જ્યારે ‘આકાશકુસુમ' વ્યુત્પત્તિમૂલક છે પરંતુ શુદ્ધ પદ નથી. જીવ’ પદ માટે આમ નથી. તેથી તે અર્થમય છે. આ અર્થ આત્માના પ્રત્યય સિવાય કંઈ નથી. ૧૩૯ (૪) આત્માની અમરતા અને પુનર્જન્મને સદ્દાંત (Doctrine of Immortality of Soul and Metempsychosis or Transmi gration or Rebirth) : જૈન દર્શનમાં અન્ય ભારતીય દર્શનાની જેમ જ આત્માની અમરતા અને પુનર્જન્મના સિદ્ધાંત કર્મના સિદ્ધાંતની પૂર્વાપેક્ષા રાખે છે. કર્મના સિદ્ધાંત અને પુનમના સિદ્ધાંત વચ્ચે અનિવાય સંબધ છે. આત્માની અમરતાને સિદ્ધાંત પુનર્જન્મના સિદ્ધાંતનુ સમર્થન કરે છે. આત્માનું વર્તમાન જીવન જીવન-મૃત્યુની અનંત ઘટમાળમાં એક શુ ખલા છે. જીવન-મૃત્યુ આત્મા માટે આદિ-અંત. નથી. આત્મા સ્વતંત્ર તત્ત્વ છે. તે આધ્યાત્મિક અને અભૌતિક તત્ત્વ છે. તે સર્વ પરિવર્તના વચ્ચે શાશ્વત અને નિત્ય છે.. આત્મા અને વ્યક્તિત્વ (અર્થાત્ ટેવા અને વલાના સમૂહ) એક નથી. વ્યક્તિત્વ નાશ પામે છે–વ્યક્તિગત અમરતા અશકય છે. વ્યક્તિમત્તા (individuality)ને લાપ થતા નથી. વ્યક્તિવૈશિષ્ટય ારી રહે છે. આત્મા જન્મ-મરણની અનંત ઘટમાળમાંથી પસાર થતાં તેનાં મુખ્ય વ્યક્તિગત લક્ષણા જાળવી રાખે છે. તે તેનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy