SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ જેનદર્શન મૂળ સ્વરૂપ ગુમાવતા નથી. સમયના અમુક ગાળા માટે એક દેહમાં વસવાટ કર્યા બાદ, આત્મા મૃત્યુ સમયે તેને ત્યાગ કરે છે અને તેના સંચિત કર્મ અનુસાર અસ્તિત્વની ચાર ગતિઓ (દેવ-માનવ-તિયચ-નારકી)માંથી કઈ એકમાં પ્રવેશે છે અને પિતાને યોગ્ય એવો અન્ય દેહ ધારણ કરે છે. આત્મા સત્કર્મ કે દુષ્કર્મના સ્વાભાવિક પરિણામે વર્તમાન જીવનમાં કે તે પછીના જીવનમાં માણવા કે ભેગવવા માટે બદ્ધ છે. કર્મનો સિદ્ધાંત જન્માંતર-પુનર્જનમ (આત્માના એક દેહમાંથી અન્ય દેહમાં પ્રવેશ અર્થાત્ દેહપલ)ના સિદ્ધાંત દ્વારા અર્થપૂર્ણ બને છે. પ્રારંભિક અવસ્થામાં જ ટલાંક બાળકની અસાધારણ પરિપકવતા, સામાન્ય માનવીને અત્યંત ઉચ્ચ કક્ષાને મને શારીરિક વિકાસ જેવી કેટલીક ઘટનાઓની સામાન્ય ધારણું દ્વારા શકય બનતી નથી અને આ ઘટનાઓ જન્મપૂર્વે અસ્તિત્વમાન એવા કંઈક (જેને આપણને અનુભવ નથી) પ્રતિ લઈ જાય છે. આ આત્મા છે. સ્થાનાંગસૂત્રમાં સૂચવેલ વિભિન્ન વિકલ્પો સ્પષ્ટપણે આત્માનું અમરત્વ દર્શાવે છે. આત્મા અન્ય દેહમાં પ્રવેશે છે અર્થાત્ બીજો અવતાર ધારણ કરે છે એ વિભિન્ન રીતે સમજાવી શકાય ? ૧. વર્તમાન જીવનમાં કરેલ દુષ્ક અન્ય જન્મ(અવતાર)ની અપેક્ષા રાખે છે–આ હવે પછીને જન્મ કે ત્યારબાદને જન્મ પણ હોઈ શકે. ૨. પૂર્વ કે અંતિમ જન્મમાં કરેલ દુષ્ક વર્તમાન જીવન દરમ્યાન ફળદાયી બને. ૩. પૂર્વજન્મમાં કરેલ દુષ્કૃત્યે અદ્યાપિપર્યત ફળદાયી ન પણ થયા હોય અને શેષ વર્તમાન જીવનમાં ફળદાયી ન પણ બને અને તેથી તે અન્ય જન્મની અપેક્ષા રાખે. અર્થાત્ પૂર્વજન્મમાં આચરેલ દુષ્કૃત્યેનાં પરિણામે હવે પછીના કે તેના પણ પછીના જન્મમાં પણ ભોગવવાં પડે. ૪. વર્તમાન જીવનમાં કરેલ સત્કાર્યો–સત્કર્મ હવે પછીના જન્મમાં કે તે પછીના કોઈક ભાવિ જન્મમાં ફળદાયી બને છે. ૫. પૂર્વ કે અંતિમ જન્મનાં કરેલ સત્કાર્યો વર્તમાન જીવન દરમ્યાન તેમનાં સુફળ-સારાં પરિણામ આપે. ૬. પૂર્વ કે અંતિમ જન્મનાં કરેલ સત્કાર્યો વર્તમાન જીવનમાં અદ્યાપિપર્યત ફળદાયી ન થયાં હોય કે શેષ વર્તમાન જીવનમાં ફળદાયી ન પણ નીવડે અને આ રીતે તે અન્ય જન્મની અપેક્ષા રાખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy