________________
૧૩૮
જૈનદર્શન છું કે નથી' એ શંકા કરનાર કોણ છે ? શ્રી મહાવીર ગૌતમને કહે છે, જે તમે સ્વયં તમારી જાત અંગે શંકાશીલ તો પછી શંકાથી પર શું હોઈ શકે ?”
(૫) આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે ગુણ-ગુણની દલીલ પણ કરવામાં આવે છે. જેવી રીતે ઘડાના આકાર વગેરે ગુણોને જોઈને ઘડાનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે, તેવી જ રીતે આત્માના જ્ઞાન વગેરે ગુણોના અનુભવ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય છે. ગુણ અને ગુણી (ગુણોનું અધિષ્ઠાનઆધાર) વચ્ચેનો સંબંધ અવિભાજ્ય છે. જ્યાં ગુણ હોય છે ત્યાં ગુણ અનિવાર્ય રીત હોય છે અને જ્યાં ગુણ હોય છે ત્યાં ગુણ અનિવાર્યરીતે હોય છે. ગુણ ગુણ વિના શક્ય નથી અને ગુણ વિના ગુણ શક્ય નથી. જ્યારે ગુણને અનુભવ થાય છે ત્યારે ગુણીનું અસ્તિત્વ હોવાનું પણ સિદ્ધ થાય છે.
પરંતુ વિધી અહીં દર્શાવી શકે કે આ ગુણ આમા નહીં પરંતુ શરીર છે, કારણ કે જ્ઞાન વ. ગુણે માત્ર શરીરમાં જ જોવા મળે છે. જે ગુણે શરીરમાં જ જોવા મળે છે તે શરીરના ગુણે છે, જેમકે જાડાપણું, દુબળાપણું વગેરે. આને ઉત્તર નીચે મુજબ આપી શકાય ?
(અ) જ્ઞાન વગેરે ગુણે ભૌતિક શરીરના ગુણ હોઈ શકે નહીં, કારણ કે શરીર ઘડાની માફક “રૂપી છે. રૂપી દ્રવ્ય(દાત. ઘડ)ના ગુણ અરૂપી હોઈ શકે નહીં, કારણ કે તેના ગુણે ઈન્દ્રિયગોચર છે. જ્ઞાન વગેરે અરૂપી છે, કારણ કે તે ઈન્દ્રિયગોચર નથી. તેથી જ્ઞાન વ. શરીરના ગુણ હોઈ શકે નહીં. તેથી જ્ઞાન વગેરે ગુણેને આશ્રય અરૂપી દ્રવ્ય અર્થાત્ આત્મા હે જોઈએ.
(બ) તદુપરાંત, શરીરની હાજરીમાં કેટલીકવાર જ્ઞાન વગેરે ગુણેને અભાવ જોવા મળે છે, જેમકે નિદ્રાવસ્થામાં, મૂઈિત અવસ્થામાં વગેરે. આમ, જ્ઞાન વગેરે ગુણે શરીરના નહીં પરંતુ આત્માના છે.
(ક) શરીર ભૂત-ભૌતિક તત્ત્વોનું બનેલું છે અને તેથી તે ચેતનાવિહોણું છે. આથી તે જ્ઞાન વગેરે ગુણેનું કારણ હોઈ શકે નહીં. સમગ્ર શરીર તેના જુદા જુદા ભાગોના લક્ષણ તરીકે ચેતના ન ધરાવતું હોય તો પછી શરીર સાથે જોવા મળતી ચેતના આત્માનું લક્ષણ હોવી જોઈએ. દેહ સાથે આત્માનું સંયોજન તેનામાં ચેતના ઉત્પન્ન કરે છે અને દેહથી આત્માનું વિયોજન ચેતનાને અભાવ ઉત્પન્ન કરે છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચેતના આત્મા કે જીવનું આવશ્યક લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org