________________
જૈન મનોવિજ્ઞાન
૧૩૭
સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. આત્મા સ્વયંસિદ્ધ છે, કારણ કે તેના આધારે જ સંશય વ. ઉત્પન્ન થાય છે.
(૨) આત્મા અહંપ્રત્યયને લીધે પ્રત્યક્ષ રીતે અનુભવાય છે. અહં–પ્રત્યય (હું' તરીકેની પ્રતીતિ) ત્રણે કાળની ક્રિયાઓ (મેં કર્યું, હું કરું છું અને હું કરીશ) સાથે સંબંધિત છે. મેં કહ્યું, હું કરું છું અને હું કરીશ એ ત્રણ કાળના કાર્યો સાથે સંબંધિત અહંપ્રત્યયને લીધે આત્માને પ્રત્યક્ષ અનુભવ છે. જે આત્મા ન હોય તે અહંની પ્રતીતિ કેવી રીતે થાય ? તેના અભાવમાં, આત્મા છે કે નહીં એવી શંકા કેવી રીતે કરી શકાય ? જડ પદાર્થોમાં અહં પ્રત્યય ઉત્પન્ન કરવાની શક્તિ નથી, કારણ કે અહંપ્રત્યયના અભાવમાં જડ પદાર્થનું જ્ઞાન જ થતું નથી. અંહપ્રત્યય પ્રથમ હોય તે જ “આ જડ પદાર્થ છે એવું જ્ઞાન થાય છે. અહંપ્રત્યયને કેઈક આધાર અવશ્ય હોવો જોઈએ, કારણ કે તે વિના વિકાલિક અંહપ્રત્યય શક્ય નથી. જે આત્મા ન હોય તે અંહપ્રત્યય પણ ન હોય. આ રીતે આત્માનું અસ્તિત્વ છે.
(૩) આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવા માટે મને વૈજ્ઞાનિક દષ્ટિબિંદુને આધારે દલીલ કરવામાં આવે છે. જે આત્મા ન હોય તો જ્ઞાનની વિવિધ ક્રિયાઓ (જેવી કે સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, સંશય, નિર્ણય વગેરે) કદી પણ શક્ય બને નહીં. આ સવ મને વૈજ્ઞાનિક ક્રિયાઓ એક ચેતનમય તત્વમાં કેન્દ્રિત થાય છે. જ્ઞાન (cognition), 411n (affection) 249 Wrigl (conation) 313 3140174 detall અસ્તિત્વ વિના અશક્ય છે, કારણ કે આપણું માનસિક જીવનની આ ત્રિવિધ ક્રિયાઓ અસંબંધિત-વેરવિખેર ઘટનાઓ નથી, પરંતુ વ્યવસ્થિત સ્વરૂપમાં પરસ્પર સંબંધિત ઘટનાઓ છે. સ્મૃતિની પ્રક્રિયાનાં ચાર ઘટ [ (૧) સ્થાપન કે અંકન (૨) ધારણ (૩) પુનરાવાહન અને (૪) પ્રત્યભિજ્ઞા એકબીજા સાથે વ્યવસ્થિત રીતે સંબંધિત છે અને આ વ્યવસ્થિત સંબંધને સંત આત્મા છે. આ રીતે
સ્મૃતિપ્રક્રિયા આત્માનું અસ્તિત્વ નિશ્ચિત રીતે પુરવાર કરે છે. શુદ્ધ રીતે ભૌતિક મસ્તિષ્ક આટલું સુવ્યવસ્થિત અને સુસમાયોજિત કાર્ય કરી શકે નહીં.
(૪) શંકા અને શંકા કરનારની સમસ્યા તાત્વિક-સત્તામૂલક (ontological) છે. શ્રી મહાવીર શંકાના આધારે તાવિક-સત્તામૂલક દલીલ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. સંકે કરનાર વિના, કેઈ શંકા શક્ય નથી, શંકા કરનાર સર્વ પ્રકારની શંકાથી પર છે તો પણ તે સર્વ શંકામાં હાજર હોય છે. શંકા તેના આધાર-અધિષ્ઠાન તરીકે શંકા કરનારના અસ્તિત્વની પૂર્વાપેક્ષા રાખે છે. આ અધિષ્ઠાન આત્મા છે, ચેતનમય તત્ત્વ છે. જે શંકાને પદાર્થ જ અનસ્તિત્વમાન હોય તે પછી “હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org