SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ જૈનદર્શન વિષય બને છે. તેથી પરમાણુએ સત્ છે. પરંતુ આત્મા કાઈપણ અવસ્થામાં ઈન્દ્રિય-પ્રત્યક્ષના વિષય બનતા નથી અને તેથી તે અસત્ છે. ૨. આત્માનું અસ્તિત્વ દર્શાવવા અનુમાન પણ ઉપયાગી બનતું નથી, કારણ કે અનુમાનની પૂર્વે પ્રત્યક્ષ આવે છે અને તે વ્યાપ્તિ-સ્મરણનું પરિણામ છે. ૩. આત્માનું અસ્તિત્વ આગમ પ્રમાણ દ્વારા પણ સિદ્ધ કરી શકતું નથી, કારણ કે આગમ-જ્ઞાન અનુમાનથી ભિન્ન નથી. આગમ આત્માના અસ્તિત્વની આપણી સમજમાં સહાય કરે છે એમ માની લઈએ તે પણ આગમમાં આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન થયું હોય એવી વ્યક્તિના અનુભવા સમાવિષ્ટ નથી, તદુપરાંત, આગમમાં પરસ્પર વિરાધી બાબતા જોવા મળે છે. આથી આગમ પ્રમાણને આધારે પણ આત્માનું અસ્તિત્વ પુરવાર કરી શકાતું નથી. ૪. ઉપમાન દ્વારા પણ આત્માનું અસ્તિત્વ પ્રસ્થાપિત થઈ શકતું નથી, કારણ કે સમગ્ર વિશ્વમાં આત્માની સમાન ા તત્ત્વ નથી. ૫. અર્થાપત્તિ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરવામાં સહાયરૂપ નથી. દૃષ્ટ કે શ્રત એવા કાઈ પદાર્થ નથી કે જેના સ્વીકાર દ્વારા આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સાબિત કરી શકાય. ૬. આ રીતે, જ્યારે આત્માનું અસ્તિત્વ યથાર્થ જ્ઞાનના પાંચમાંથી કાઈપણ પ્રમાણ દ્વારા સિદ્ધ કરી શકાતુ નથી ત્યારે તે સ્વાભાવિક રીતે જ અભાવના ક્ષેત્રમાં આવે છે. અભાવ છઠ્ઠું પ્રમાણ છે અને તેનું કાર્ય અનસ્તિત્વ-અભાવ સિદ્ધ કરવાનુ છે. આ રીતે પૂર્વ પક્ષ સાબિત કરે છે કે આત્મા અસ્તિત્વમાન નથી. શ્રી મહાવીર વિરાધીની ઉપરા દલીલાના ખંડન દ્વારા આત્માના અસ્તિત્વની સાબિતિએ નીચે મુજબ આપે છેઃ (૧) કાઈપણ તત્ત્વની સાબિતી અર્થે માત્ર 'ઇંદ્રિય-પ્રત્યક્ષને જ આધારભૂત માની શકાય નહીં. જો આમ માનીએ તો સુખ-દુઃખ વગેરે માનસિક અનુભવાને પણ કેવી રીતે માની શકાય ? સુખ-દુ: ખ ઇંદ્રિય—પ્રત્યક્ષના વિષય નથી, માનસિક અનુભવના વિય છે. તેમને સિદ્ધ કરવા અન્ય કાઈ પ્રમાણાની આવશ્યકતા નથી. સુખ-દુ:ખના અનુભવ દ્વારા આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે આમ, આત્મા પ્રત્યક્ષ દ્વારા સિદ્ધ થાય છે, કારણ કે શંકા વ. માનસિક અને બૌદ્ધિક ક્રિયાઓ આત્માને લીધે છે. જ્યાં શંકા હોય છે ત્યાં આત્માનાં અસ્તિત્વને અવશ્ય સ્વીકાર કરવા પડે છે. જે પ્રત્યક્ષ અનુભવ દ્વારા સિદ્ધ હોય તેને અન્ય કાઈ પ્રમાણ દ્વારા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy