________________
૧૩૫
૫. આત્મા ભક્તા છે. ભેગરૂપ ક્રિયાને સંબંધ આત્મા સાથે છે. જેવી રીતે પરિણામ અને ક્રિયાને આશ્રય આત્મા છે તેવી રીતે ભેગરૂપ ક્રિયાને આશ્રય પણ આત્મા જ હો જાઈએ. સાંખ્યદર્શન પુરુષને સાક્ષાત્ ભોક્તા માનતું નથી.
૬. આત્મા સ્વદેહપરિમાણ છે. આ જૈન દર્શનની વિશિષ્ટતા છે. આત્મામાં સંકેચ અને વિસ્તારની શક્તિ છે. બંને દશામાં પ્રદેશ-સંખ્યા સમાન રહે છે. જે આત્મા હાથીના શરીરમાં છે તે કીડીના શરીરમાં પણ રહી શકે છે. આમ તે સ્વદેહપરિમાણ છે. અન્ય ભારતીય દર્શનની જેમ આત્મા અહીં સર્વવ્યાપક નથી. જેવી રીતે દૂધ અને પાણી, તલ અને તેલ, ફૂલ અને ગંધ-આ સર્વે એક લાગે છે, તેવી રીતે સંસારી દશામાં જીવ અને શરીર એક લાગે છે.
૭. આત્મા અનેક છે. પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન આત્મા છે. વેદાંતની જેમ, આત્મા સર્વત્ર એક-અભિન્ન નથી. આત્મા-જીવ–ના પ્રકારે વિષે આપણે આગળ જોઈ ગયા છીએ.
૮. આત્મા પગલકર્મયુક્ત છે. આત્મા અને કર્મને આ સંયોગ અનાદિ છે અને તેથી સર્વપ્રથમ આત્મા અને કર્મને સંગ કેવી રીતે થયો તે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એકવાર આ સંગ સમાપ્ત થઈ જાય ત્યારબાદ પુનઃ સંગ થત નથી, કારણ કે આ સમયે આત્મા તેના શુદ્ધ અમૂર્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ મુક્તિ-મોક્ષ છે.
૯. તે અનાદિ, અનંત, અવિનાશી છે. તે અરૂપી છે. તે જ્ઞાન વગેરે ગુણેને આધાર છે.
(૩) આત્માના અસ્તિત્વ માટેની દલીલો (Arguments for the Existence of Soul):
વિશેષાવશ્યકભાષ્યમાં આત્માના સ્વતંત્ર અસ્તિત્વની સમસ્યાના વિશદ ચર્ચાવિચારણું જોવા મળે છે. ઇન્દ્રભૂતિ જેવા અનાત્મવાદી આત્માના અસ્તિત્વના વિરૂદ્ધમાં વાંધાઓ ઉપસ્થિત કરે છે અને શ્રી મહાવીર તેના સમુચિત ઉત્તર આપે છે એ પ્રકારનું નિરૂપણ અહીં જોવા મળે છે.
૧. આત્માનું અસ્તિત્વ શંકાસ્પદ છે, કારણ કે ઘટ વગેરેની જેમ કોઈપણ ઈન્દ્રિય દ્વારા તેનું ઈન્દ્રિય-પ્રત્યક્ષ થતું નથી. જે કંઈ અદષ્ટ-અપ્રત્યક્ષીકૃત હોય તે (દા. ત., આકાશકુસુમ) જગતમાં અસ્તિત્વમાન નથી. વળી, આત્માને કિસ્સા પરમાણુઓ સમાન નથી, કારણ કે સમુદાય (દા.ત., ઘટ) તરીકે તેઓ ઈન્દ્રિય-પ્રત્યક્ષના • જુઓ પ્રકરણ ૨ પૃ. ૫૧-૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org