________________
૧૨૬
જિનદર્શન (૪) મન:પર્યાયજ્ઞાન (Telepathy): મન:પર્યાયજ્ઞાન એટલે મનના (પદાર્થોને નહીં) પર્યાનું જ્ઞાન.
જૈન દષ્ટિએ, મન વિશિષ્ટ ભૌતિક દ્રવ્ય છે. તેના પર્યાયે વિચારક્રિયાઓમાં પરિણમતી વિભિન્ન પરિવર્તન-સ્થિતિઓ છે. આપણી પ્રત્યેક વિચાર-સ્થિતિ (અવસ્થા) મનને વિશિષ્ટ પર્યાય છે. જેવી રીતે આપણે વિચાર-સ્થિતિમાં પરિવર્તન થાય છે તેવી રીતે મન પણ પરિવર્તન પામે છે. આ રીતે આપણી પ્રત્યેક વિચાર-સ્થિતિ આપણા મનના વિભિન્ન પર્યામાં પ્રતિબિંબિત થાય છે. બીજા શબ્દોમાં, વિચાર-સ્થિતિ મનને વિશિષ્ટ પર્યાય જ છે. જ્યારે વ્યક્તિ કોઈ વિષયને વિચાર કરે છે ત્યારે તેના મનનું વિવિધ પર્યામાં પરિવર્તન થાય છે. ઈન્દ્રિય અને મનના સાધન વિના, અન્યના મનનાં પર્યાનું પ્રત્યક્ષ જ્ઞાન (direct apprehension) જૈન તત્વજ્ઞાનમાં મન ૫ર્ચા રૂાન કહેવાય છે. મન:પર્યાયજ્ઞાનયુકત વ્યકિત આપણી વિચારસ્થિતિઓ પ્રત્યક્ષ રીતે જાણી શકે છે. વિચાર-રિથતિઓનું આ જ્ઞાન મન જે સામગ્રીનું બનેલું છે તે સામગ્રીને પર્યાનું સીધું પ્રત્યક્ષ છે, તેમાં ઈન્દ્રિય અને મનનાં સાધનાની આવશ્યકતા નથી. મન:પર્યાયજ્ઞાનથી અન્ય મનમાં વિચારતી વસ્તુનું જ્ઞાન થતું નથી પરંતુ વિચાર કરવાના સમયે ઉદ્દભવતી મનની આવૃત્તિઓ (પર્યાય)ને સાક્ષાત્કાર થાય છે. જેમ આપણે પુસ્તક વગેરેમાં અંકિત લિપિને પ્રત્યક્ષ જોઈએ છીએ તેવી રીતે મન:પર્યાયજ્ઞાનયુક્ત વ્યક્તિ માદ્રવ્ય (મનરૂપી પરિણમેલાં પુદ્ગલે)ની વિશિષ્ટ આકૃતિઓને પ્રત્યક્ષ જુએ છે. આ આકૃત્તિઓને સાક્ષાત્કાર એ જ મન ૫ર્યાય જ્ઞાનની સાક્ષાત્ ક્રિયા છે ને આ સાક્ષાત્કારથી અન્ય વ્યક્તિ તે સમયે જે વાત વિચારતી હોય તે તે જાણી શકે છે. આ જ્ઞાન આત્મા દ્વારા થાય છે, મને દ્વારા નહીં. મન તે માત્ર વિષય છે, તો સાક્ષાત્ આત્મા છે.
મન:પર્યાયજ્ઞાન માનવવ્યક્તિઓ પૂરતું મર્યાદિત છે. તેને ઉદ્ભવ ગુણને લીધે થાય છે. ચારિત્ર્યશીલ વ્યક્તિ આ જ્ઞાનની અધિકારી છે. સામાન્ય વ્યક્તિને મન:પર્યાયાનની શક્તિ પ્રાપ્ત થતી નથી. આ જ્ઞાન માટે ઉગ્ર માનસિક-શારીરિક શિસ્ત આવશ્યક છે. આ જ્ઞ નયુક્ત વ્યક્તિ અનિવાર્ય રીતે સંસારત્યાગી સાધુજન હોય છે. તેનું ચારિત્ર્ય ઉચ્ચતર પ્રકારનું હોય છે. અવધિજ્ઞાન માટે આવી પરિસ્થિતિઓની કઈ અવશ્યક્તા નથી, મન:પર્યાયજ્ઞાનના ઉદ્દભવ માટેની આવશ્યકતાઓ :
નંદીસર માનવીમાં મન:પર્યાયશાનના ઉદ્દભવ માટે નીચેની આવશ્યકતાઓ નિર્દેશ છેઃ
(૧) માનવવ્યક્તિઓમાં ઈન્દ્રિય સંપૂર્ણપણે વિકસિત હોવી જોઈએ અને તેમનું વ્યક્તિત્વ સંપૂર્ણ રીતે વિકસિત હેવું જોઈએ અર્થાત તેઓ પર્યાપ્ત' હોવાં જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org