SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન જ્ઞાનમીમાંસા ૧૨૭ (૨) તેમનામાં સમ્યગ્ દૃષ્ટિ હોવી જોઈએ અને પરિણામે તેએ રાગદ્વેષથી પર હોવા જોઈએ. (૩) તેમનામાં આત્મનિયત્રણ હોવુ જોઈએ અને તેમનામાં અસાધારણ શક્તિએ હોવી જોઈએ. મન:પર્યાય જ્ઞાનના વિષય : મન:પર્યાયજ્ઞ:નના વિષયસ બધી સર્વસ ંમતિ પ્રવર્તતી નથી. ઉમાસ્વાતિના મતે, મન:પર્યાયજ્ઞાનમાં સામી વ્યાંક્તના મનના માધ્યમ વિના જ તે મન દ્વારા જ્ઞાન પદાર્થોનું જ સીધે સીધું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. સામી વ્યક્તિના મનમાં થતાં પરિવના તે મન દ્વારા જ્ઞાત પદાર્થ ને પ્રત્યક્ષ કરવામાં બાધક બનતા નથી. જિનભ ના મતે, મનેાદ્રવ્યની સ્થિતિનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે પર ંતુ તેમની વસ્તુનિષ્ફ સામગ્રી માત્ર પરાક્ષ રીતે પ્રત્યક્ષીકૃત થાય છે. આનુ કારણ એ છે કે મનની સામગ્રીમાં રૂપી (ભૌતિક) અને અરૂપી (અભૌતિક) પદાર્થોના સમાવેશ થાય છે. મનની પરિવર્તન પામતી સ્થિતિના માધ્યમ વિના અન્યના વિચારોના જ્ઞાન અંગે વિચારવુ બેહુદું છે. સને તેથી રૂપી” તેમજ “અરૂપી” પદાર્થો માત્ર પરાક્ષ રીતે જ્ઞાત થાય છે એમ માનવું વધારે તર્કસંગત છે. પરંપરાગત જૈન મત મુજબ, મનની ાિંતએ (પર્યાય!)નું પ્રત્યક્ષરીતે જ્ઞાન થાય છે. મન:પર્યાય એટલે મનના પદાર્થોનું જ્ઞાન એવા શબ્દના શાબ્દિક અર્થ અહીં લેવામાં આવે છે. અહીં મનનુ જ્ઞાન મુખ્ય છે અને પદાર્થનુ જ્ઞાન તેના જ્ઞાન પછીની વસ્તુ છે. મનના જ્ઞાનથી પદાર્થનું જ્ઞ!ન થાય છે, સીધુ પદાર્થ જ્ઞાન થતુ નથી. મન:પર્યાય જ્ઞાનના પ્રકારો : મન:પર્યાયજ્ઞાનના બે પ્રકાર છે: (૧) ઋજુમતિ અને (૨) વિપુલતિ પ્રથમ પ્રકારની અપેક્ષાએ ખીન્ને પ્રકાર મ!નવીની આધ્યાત્મિક ઉત્ક્રાંતિની ઉચ્ચતર કક્ષા વ્યકત કરે છે અને તેથી તે અધિક વિશુદ્ધ છે. પ્રથમ પ્રકારની અપેક્ષાએ બીજો પ્રકાર મનના સૂક્ષ્મતર પરિણામાને પણ જાણી શકે છે. વળી, ઋજુમતિ ઉદ્ભવ બાદ નાશ પણ પામે છે, જ્યારે વિપુલમતિ તેની અપેક્ષાએ વધારે સ્થિર છે અને કેવળજ્ઞાનપ્રાપ્તિપર્યંત અવસ્ય ચાલુ રહે છે. અવધિજ્ઞાન અને મન:પર્યાય જ્ઞાન વચ્ચે તફાવત : અવધ અને મન:પર્યાય બને જ્ઞાન રૂપી દ્રવ્યપર્યંત સીમિત છે, અપૂર્ણ અર્થાત્ વિકલ પ્રત્યક્ષ છે. બે વચ્ચે શુદ્ધિ, ક્ષેત્ર, વ્યક્તિ અને વિષયના સબંધમાં તફાવત છે. અધિકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy