________________
જેના જ્ઞાનમીમાંસા
છે, જ્યારે બીજો પ્રકાર આ રીતે મર્યાદિત થતો નથી. સર્વાવધિ વિશ્વન સર્વે રૂપી દ્રવ્યના ઈન્દ્રિયાતીત પાસનું પ્રત્યક્ષ છે.
અવધિજ્ઞાનના અધિકારીના પ્રકારઃ
અવધિજ્ઞાનના અધિકારીઓના બે પ્રકારે છે (૧) ભવ પ્રત્યયી અને (૨) ગુણપ્રત્યયી. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવ અને નારકને થાય છે, જ્યારે ગુણપ્રત્યય. અવધિજ્ઞાન માનવી કે તિર્યંચને થાય છે. દેવ અને નારકને જન્મતાંવેંત જ અવધિજ્ઞાન. પ્રાપ્ત થાય છે. આ માટે તેમને વ્રત, નિયમ વગેરેનું પાલન કરવું પડતું નથી. તેને ભવ જ એ છે કે જન્મતાંની સાથે સાથે જ તેમને અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. મનુષ્ય અને અન્ય પ્રાણીઓ માટે આમ નથી. વ્યક્તિના પ્રયત્ન દ્વારા કર્મોનો ક્ષયોપશમ. થતાં જ અવધિજ્ઞાન ઉદ્દભવે છે. દેવ અને નારકની જેમ મનુષ્ય વગેરે માટે આ જ્ઞાન જન્મસિદ્ધ નથી, પરંતુ વ્રત, નિયમ વગેરે ગુણોના પાલનથી પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેને ગુણ પ્રત્યય અથવા ક્ષાયોપથમિક કહે છે.
ગુણ પ્રત્યય અવધિના છ પ્રકારે છે :
(૧) અનુગામી, (૨) અનનુગામી, (૩) વર્ધમાન, (૪) હીયમાન, (૫) અવસ્થિત, અને (૬) અનવસ્થિત.
(૧) અનુગામી : જે અવધિજ્ઞાન એક સ્થાનને છોડીને અન્ય સ્થાને જતા રહેવા છતાં પણ નષ્ટ થતું નથી, પરંતુ સાથે સાથે જાય છે તે અનુગામી છે.
(૨) અનુગામી: ઉત્પત્તિસ્થાનને ત્યાગ કરતાં જે અવધિજ્ઞાન નાશ પામે તે અનનુગામી છે.
(૩) વર્ધમાનઃ જે અવધિજ્ઞાન ઉત્પત્તિ-સમયથી ક્રમશઃ વૃદ્ધિ પામતું જય. તે વર્ધમાન છે. આ વૃદ્ધિ ક્ષેત્ર, શુદ્ધિ વગેરે કોઈપણ દષ્ટિએ શક્ય છે.
(૪) હીચમાનઃ જે અવધિજ્ઞાન સમય વ્યતીત થતાં તેની તીવ્રતામાં ઘટતું જાય તે હીયમાન છે.
(૫) અવસ્થિત ઃ જે અવધિજ્ઞાનમાં તેનાં ઉત્પત્તિ-સમયથી વૃદ્ધિ-કમી ના થાય પરંતુ જન્માંતર સમયે કે કેવળજ્ઞાન થતાં નષ્ટ થાય તે અવસ્થિત છે.
(૬) અનવરિત: જે અવધિજ્ઞાન કોઈવાર વૃદ્ધિ પામે અને કોઈવાર. કમી થાય તે અનવસ્થિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org