SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જિનદર્શન (૫) સપર્યવસિતશ્રત એ છે કે જેને અંત હોય છે, અને અપર્યાવસિત શ્રત એ છે કે જેને અંત હેતો નથી. અહીં દ્રવ્ય અને પર્યાયની દૃષ્ટિને ઉપયોગ કરવાનું છે. (૬) જેને સમાન પાઠ ઉપલબ્ધ હોય તે ગામિક છે અને અગમિક અસદશારાકલાપક હોય છે. (૭) અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય અંગે આપણે ઉપર જોઈ ગયા છીએ. (૩) અવધિજ્ઞાન (clairvoyance) : અવધિ એટલે સીમા. અવધિજ્ઞાન ઈન્દ્રિય કે મનની સહાય વિના આત્મા દ્વારા ‘ઉત્પન્ન થતું પ્રત્યક્ષ જ્ઞાન છે. તેને વિષય માત્ર રૂપી પદાર્થ અર્થાત પુગલ છે, પાંચ અરૂપી દ્રવ્ય (આત્મા, ધર્મ, અધમ, દિક, કાળ) નહીં. આ તેની સીમા-મર્યાદા છે. અવધિજ્ઞાન આત્મા દ્વારા ઉત્પન્ન થાય છે તેથી પ્રત્યક્ષ જ્ઞાન છે પરંતુ ઉપરોકત વિષયની સીમા-મર્યાદાને લીધે તે અપૂર્ણ છે અને તેથી વિકલ પ્રત્યક્ષ છે, સકલ પ્રત્યક્ષ નથી. અવધિજ્ઞાન માટેની ભિન્ન ભિન્ન માનવીની શક્તિઓમાં તફાવત છે. કર્મ-બંધ પ્રત્યક્ષ જ્ઞાન માટેની માનવીની શક્તિની મર્યાદા માટે જવાબદાર છે અને -આ કર્મબંધે સર્વ માનવામાં એકી સાથે દૂર થતા નથી. આમ માનો તેમના પિતાનાં કર્મો દ્વારા તેમના પર લદાયેલ મર્યાદાઓ સફળ રીતે પાર કરવાના બિન તબક્કાઓમાં હોય છે અને તેથી તેમની શકિતઓમાં પણ વ્યાપક પ્રમાણમાં તફાવત જોવા મળે છે. અવધિજ્ઞાનની સૂક્ષ્મતમ શકિત અ૯પતમ શિકય દિકુ રોકતાં પદાર્થોનું પ્રત્યક્ષીકરણ કરવાની અને સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળબિંદુને અર્થ સમજવાની માનવીની શકિત સૂચવે છે. ગુણાત્મક દૃષ્ટિએ, શ્રેષ્ઠ અવધિજ્ઞાન અનંત દિક-બિંદુઓ રક્તા પદાર્થોનું પ્રત્યક્ષીકરણ અને અનંત સમય-ચક્રો(ભૂત તેમજ ભવિષ્યના)ની સમજ છે. કાળ-સમજવૃદ્ધિ સાથે દિક-સમજમાં પણ વૃદ્ધિ થાય છે. પરંતુ આથી વિપરીત થતું નથી. અવધિજ્ઞાનના શ્રેષ્ઠ પ્રકારમાં અનંત સંખ્યાને પર્યાનું જ્ઞાન થાય છે, પરંતુ સર્વે પર્યાનું નહીં. સર્વે જીવ (માત્ર માનવવ્યકિતઓ જ નહીં, ભિન્ન ભિન્ન પ્રમાણમાં અવધિજ્ઞાન માટેની શક્તિ ધરાવે છે. અવધિજ્ઞાનના પ્રકાર અવધિજ્ઞાનના ત્રણ પ્રકાર છેઃ (૧) દેશાવધિ, (૨) પરમાવધિ અને (૩) સવધિ. પ્રથમ પ્રકારને વિસ્તાર દિક-કાળની પરિસ્થિતિઓ દ્વારા મર્યાદિત થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy