________________
જૈન જ્ઞાનમીમાંસા
૧૧૭ નિશ્ચિત ખ્યાલ પ્રાપ્ત થાય છે. દર્શન નિરાકાર-નિર્વિકલ્પક છે, જ્યારે જ્ઞાન સાકાર સવિકલ્પક છે.
સર્વે જૈન તત્વો સામાન્ય રીતે આ ભેદ સ્વીકારે છે. પરંતુ એક કે અન્ય પાસા પર ભાર સમાન મૂળભૂત સ્થિતિની ભિન્ન ભિન્ન અભિવ્યક્તિઓને અવકાશ આપે છે જે નીચેના દલાક તત્વની અભિવ્યક્તિઓથી સ્પષ્ટ થાય છે.
૧. વીરસેન
આચાર્ય વીરસેનના મતે, બાહ્ય પદાર્થોના સામાન્ય તેમજ વિશિષ્ટ ગુણોનું ગ્રહણ (સમજ) જ્ઞાન છે, જ્યારે આ અંગેનું આત્માનું ગ્રહણ દર્શન છે. જ્યારે આત્મા અંતર્મુખ થાય છે અને આંતરનિરીક્ષણ કરે છે ત્યારે તે સ્વયંને “જાણે છે અને તે ‘દર્શન તરીકે નિર્દેશ છે. આથી દર્શન “અંતર્મુખ” છે, જ્યારે જ્ઞાન બહિર્મુખ છે. અહીં સામાન્ય ગુણોને ગ્રહણ અને વિશિષ્ટ ગુણની સમજની પરિબાવામાં સરળ ભેદ સ્વીકારવામાં આવતો નથી, કારણ કે વિશિષ્ટ વિના સામાન્ય અને સામાન્ય વિના વિશિષ્ટ અંગે વિચારવું તાર્કિક રીતે શક્ય નથી. સામાન્યવિહેણી વિશિષ્ટતા મિથ્યા છે, જ્યારે વિશિષ્ટતાવિહોણું સામાન્ય અશકયતા છે.*
૨. બ્રહ્મદેવ
બ્રહ્મદેવ ઉપરક્ત મંતવ્યનું સમર્થન કરે છે. જ્ઞાન અને દર્શનને તર્ક દષ્ટિ અને સિદ્ધાંતદષ્ટિ એમ બે દૃષ્ટિથી વિચાર કરી શકાય. દર્શનને સામાન્ય-ગ્રહણ માનવું તર્ક દૃષ્ટિથી ઉપયુક્ત છે. સિદ્ધદષ્ટિ કે આગમદષ્ટિથી આત્માને સાચે ઉપયોગ દર્શન છે અને બાહ્ય પદાર્થનું ગ્રહણ દર્શન છે. વ્યવહાર દષ્ટિથી જ્ઞાન અને દર્શન ભિન્ન છે. પરંતુ નિશ્ચય દષ્ટિથી જ્ઞાન અને દર્શન અધિન છે. આત્મા જ્ઞાન અને દર્શન બંનેને આશ્રય છે. આત્માની દષ્ટિએ, જ્ઞાન અને દર્શનમાં કોઈ ભેદ નથી. સામાન્ય અને વિશિષ્ટને આધારે પાડેલ દર્શન અને જ્ઞાનને ભેદ જૈનેતરની સમજૂતી માટે છે.
શ્રી નથમલજી ટાટિયા બ્રહ્મદેવની સ્થિતિ નીચે મુજબ સ્પષ્ટપણે દર્શાવે છે, “જેવી રીતે અગ્નિ પ્રજવળે છે અને પ્રકાશે છે તેવી રીતે આત્મા જાણે છે તેમજ આંતરનિરીક્ષણ કરે છે. એક જ ચેતના તેના પદાર્થને ભેદના સંદર્ભમાં દર્શન તેમજ જ્ઞાન કહેવાય છે. જ્યારે તે આત્માના આંતરનિરીક્ષણમાં રત થાય છે ત્યારે
ષટ્રખંડાગમ પર ધવલ ટીકા, ૧.૧.૪.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org