SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જૈનદર્શન જૈન દર્શન સ્વતઃ પ્રામાણ્યવાદ તેમજ પરતઃ પ્રામાણ્યવાદ એ બંનેનું ભિન્ન ભિન્ન દૃષ્ટિએ સર્મથન કરે છે. અભ્યાસ વગેરેમાંના નિશ્ચય સ્વતઃ પ્રામાયવાદના સાક્ષી છે, જ્યારે અન્ય આધાર પર થતાં પ્રામાણ્ય-નિશ્ચય પરતઃ પ્રામાણ્યવાદના સમર્થક છે. સાંખ્યદર્શન પ્રામાણ્ય અને અપ્રામાણ્ય બંનેને સ્વતઃ માને છે અમુક જ્ઞાન પ્રમાણભૂત છે અને અમુક જ્ઞાન અપ્રમાણભૂત છે એ બંનેને નિર્ણય સ્વત: થાય છે. ન્યાયદર્શનની માન્યતા આનાથી તદ્દન વિપરીત છે. ન્યાયદર્શન પ્રામાણ્ય તેમજ અપ્રામાણ્ય બંનેને પરતઃ માને છે. મીમાંસાદર્શન જ્ઞાનના પ્રામાણ્યને સ્વતઃ અને જ્ઞાનના અપ્રામાણ્યને પરતઃ માને છે. તેના મતે, જ્ઞાન પ્રમાણરૂપ જ ઉત્પન્ન થાય છે. તેમાંનું અપ્રામાણ્ય બાહ્ય દેવને લીધે ઉત્પન્ન થાય છે. જેના દર્શન આ ત્રણેથી ભિન્ન સિદ્ધાંતની સ્થાપના કરે છે અને દર્શાવે છે કે પ્રામાણ્ય-નિશ્ચય માટે સ્વતઃ પ્રામાણ્યવાદ અને પરતઃ પ્રામાણ્યવાદ બંનેની આવશ્યક્તા છે. પ. દશન અને જ્ઞાન (Perception and Knowledge) જૈન તત્ત્વ દર્શન અને જ્ઞાન વચ્ચે ભેદ પાડે છે. આગમાં જ્ઞાનને માટે જાણઈ' (જ્ઞાનાતિ) અર્થાત “જાણે છે અને દર્શન માટે પાસઈ' (વાત) અર્થાત “જુએ છે ને શબ્દપ્રયોગ કરવામાં આવ્યું છે. દર્શન અને જ્ઞાનપ્રાપ્તિપ્રક્રિયામાંના નિર્વિકલ્પક અને સવિકલ્પક પાસાંને અનુક્રમે વ્યક્ત કરે છે. દર્શન જ્ઞાનનું પ્રારંભિક કદમ છે. ઈન્દ્રિય-પદાર્થ સંબંધ સર્વપ્રથમ ચેતનાનું ઉદીપન કરે છે અને આ રીતે જ્ઞાનપ્રક્રિયાને પ્રારંભ કરે છે. ચેતના(ઉપગ)ની સર્વપ્રથમ ભૂમિકા દર્શન છે અને તેમાં કેવળ સત્તાનું ભાન થાય છે. આ તબક્કામાં પદાર્થની ઉપસ્થિતિ(હાજરી)ની પરિચિતતા-સભાનતા માત્ર હોય છે. પદાર્થ અંગે અહીં માત્ર અસ્પષ્ટ અને ઝાંખે. ખ્યાલ જ હોય છે. પદાર્થ અંગેની વિગતનું પ્રત્યક્ષીકરણ અહીં થતું નથી અને તેથી પદાર્થ અમુક વર્ગ કે જૂથે સાથે સંલગ્ન કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. જૈન પરિભાષામાં આ પ્રથમ તબકકો દર્શન તરીકે ઓળખાય છે અને તેમાં જ્ઞાન તેની સામગ્રી તરીકે માત્ર સત્તા(અસ્તિત્વ)ને સમાવિષ્ટ કરે છે. દર્શન (પદાર્થની સભાનતા-પરિચય) માત્ર સત્તા(અસ્તિત્વ)નું સંવેદન છે. ત્યારબાદ ક્રમશઃ ચેતના (ઉપયોગ) વિશેષગ્રાહી બનતી જાય છે. આમ પહેલાં, દર્શન થાય છે અને પછી જ્ઞાન થાય છે. બીજા તબક્કામાં આપણને વર્ગ કે જૂથે સાથે સંલગ્ન તરીકે પ્રાપ્ત થતું પદાર્થનું સંવેદન જ્ઞાન છે. આ બીજા તબક્કામાં પદાર્થના વર્ગ અને લક્ષણ અંગેની વિગતનું પ્રત્યક્ષીકરણ થાય છે અને પદાર્થ અંગે સ્પષ્ટ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy