SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન જ્ઞાનમીમાંસા પ્રમાણમીમાંસા અનુસાર, જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચય કાં તો સ્વતઃ અથવા તા પરતઃ કરી શકાય. (ત્રામાįનિશ્ચિય થત: વરતો વા -૧-૧-૮) કેટલાક કિસ્સામાં જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ નિશ્ચિત થાય છે. દા.ત., કાઈ વ્યક્તિ પોતાની હથેળી તમે શાં જુએ છે, તે તેનાથી અત્યંત પરિચિત છે. તે વ્યક્તિના હથેળીવિષયક જ્ઞાનના પ્રામાણ્યના નિશ્રય માટે અન્ય કાઈ બાહ્ય વસ્તુની આવશ્યકતા નથી. અહીં પ્રામાણ્ય સ્વતઃ ઉત્પન્ન થાય છે અને જ્ઞાત થાય છે. પ્રામાણ્યની ઉત્પત્તિ અને નખ બંને સ્વતઃ છે. હથેળીને જોતાવેંત જ તે વ્યક્તિ નિશ્ચય કરે છે કે તે મારી હથેળી છે. એક ખીજું ઉદાહરણ લઈએ. કાઈ એક વ્યક્તિને તરસ લાગી છે. તે તૃષા છીપાવવા પાણી પીએ છે અને તેની તૃષા તરત જ છીપાઈ જાય છે. તૃષા છીપાતાં તે સમજે છે કે તેણે પાણી જ પીધું છે. તે પાણી હતું કે નહીં તેના નિશ્ચય માટે તેને અન્ય વસ્તુની સહાય લેવી પડતી નથી. આ જ્ઞાનનું સ્વતઃ પ્રામાણ્ય કહેવાય છે. સાંખ્યદર્શન પણ સ્વતઃ પ્રામાણ્યવાદી છે. ટલાક કિસ્સાઓમાં જ્ઞાનનુ પ્રામાણ્ય પરત: નિશ્ચિત થાય છે. અર્થાત્ જ્ઞાનના પ્રામણ્યને નિશ્ચય બાહ્ય સામગ્રી દ્વારા થાય છે. દા.ત., કાઈ એરડામાંથી આવતા પ્રકાશ દીપકને! - મણિને પ્રકાશ છે તેના નિર્ણય કરવા માટે અન્ય સાધનાની આવશ્યકતા રહે છે. દીપકને પ્રકાશ, તેલ વગેરે જોઈને આ અંગે નિણૅય કરી શકાય છે કે મારુ દીપવિષયક જ્ઞાન સત્ય છે અને મણિવિષયક જ્ઞાન અસત્ય. દીપકવિષયક જ્ઞાનના પ્રામાણ્યના નિશ્ચય થાય છે, અને મણિ–વિષયક જ્ઞાનના અપ્રામાણ્યને આ નિણૅય માટે દીપક, તેલ વગેરે બાહ્ય સામગ્રીના આધાર લેવા પડે છે. અહીં પુનરાવર્તિ ત અનુભવ દ્વારા દૃઢ ને બનેલ હોય તેવુ પદાર્થનું પ્રથમ પ્રત્યક્ષ જ્ઞાન તેના જ તપશ્ચાત્ પ્રત્યક્ષ દ્વારા પ્રમાણિત થાય છે. પ્રત્યક્ષ અહી પદાર્થ સાથેની તેની અનુરૂપતા દ્વારા નિશ્ચિત થાય છે. એક બીજું ઉદાહરણ લઈએ. કાઈક સ્થળે સફેદ ઢગલા પડયો છે અને આપણને તે સાકરના ઢગ લાગે છે. આપણે તેમાંથી તે ઊઠાવીને માંમાં મૂકીએ છીએ અને આપણુ માં ગળ્યું બને છે. તરત જ આપણે નિણૅય પર આવીએ છીએ કે તે સાકરના ઢગલેા છે. અહીં આ નિર્ણય માટે પદાર્થના પરિણામની પ્રતીક્ષા કરવી પડે છે. વ્યાવહારિક પરિણામના જ્ઞાન દ્વારા તેના પ્રામણ્યના-નિર્ણય અહીં થાય છે. આમ, અહીં નિય સ્વતઃ નથી અને તેથી આ પ્રામાણ્ય-નિશ્ચય સ્વતઃ નહીં પરન્તુ પરત: છે. આ એ હકીક્ત પ્રસ્થાપિત કરે છે કે જ્ઞાનનું પ્રામાણ્ય અન્ય સાધના દ્વારા નક્કી થાય છે. આ પરતઃ પ્રામાણ્ય કહેવાય છે. ન્યાયદર્શન પણ પરતઃ પ્રામાણવાદી છે. તેના મતે, જ્ઞાનના પ્રામાણ્ય અને અપ્રામાણ્યની સાટી ખાદ્ય પદાર્થ છે. Jain Education International ૧૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy