SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ નદર્શન તે “દર્શન' કહેવાય છે. જ્યારે તે અનાત્માને જાણવામાં તલ્લીન હોય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. જે દર્શન અને જ્ઞાનને સંપૂર્ણપણે સામાન્ય અને વિશિષ્ટની સમજ સાથે સંબંધિત માનવામાં આવે તે જ્ઞાન તેની યથાર્થતા ગુમાવે.” ૩. નેમિચંદ્ર નેમિચંદ્રને ઉપરોક્ત ભેદ સ્વીકાર્ય નથી. તેમના મતે, દર્શન પદાર્થોનાં વિશિષ્ટ લક્ષણે જાણ્યા સિવાય તેમનાં સામાન્ય લક્ષણોને પરિચય માત્ર છે, જ્યારે જ્ઞાન પદાર્થો અંગેની વિગતોની પ્રાપ્તિ છે. ૪. વાદિદેવસૂરિ વાદિદેવસૂરિ દર્શનના બે તબક્કાઓને નિર્દેશ કરે છે. પ્રથમ તબક્કામાં ચેતના, સમક્ષ રજુ થતા પદાર્થને પરિચય માત્ર છે. બીજા તબકકામાં પદાર્થનાં સામાન્ય. લક્ષણોનું દર્શન છે અને આને અવગ્રહ તરીકે નિર્દેશી શકાય અને તે જ્ઞાનને પ્રથમ તબક્કો બની રહે છે. જ્ઞાન સ્વયં જ્ઞાનના પદાર્થોના વધારે વ્યવસ્થિત પૃથક્કરણમાં અને ખૂટતી કડીઓ પ્રસ્થાપિત કરવામાં સમાવિષ્ટ થાય છે. આ રીતે વાદિદેવસૂરિ જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાને ત્રણ તબક્કાઓમાં પૃથકકૃત કરે છે. અલબત્ત, તે દર્શન અને જ્ઞાનના સામાન્ય માળખામાં જ તેને સમાવિષ્ટ કરે છે. ૫. હેમચંદ્રાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય ભિન્ન રીતે જ્ઞાનના બે તબક્કાઓ વચ્ચે જીવંત સંબંધ વ્યક્ત કરે છે. તેમના મતે, દર્શન જ્ઞાનમાં રૂપાંતર પામે છે. દર્શન જ્ઞાનની કાચી સામગ્રી છે અને મને તેના પર કાર્યરત થાય છે તેથી તે જ્ઞાન માટે સાધનરૂપ છે. જ્ઞાન શબ્દ પદાર્થના વિશિષ્ટ ગુણેની સમજ સૂચવે છે. તેમના મતે, દર્શનની વ્યાખ્યા આપણું પદાર્થના એવા જ્ઞાન તરીકે કરી શકાય કે જે વિશિષ્ટ ગુણેને ખ્યાલ કરતું ન હોય. બીજા શબ્દોમાં, દર્શન વિશિષ્ટ ગુણ વિનાનું પદાર્થનું જ્ઞાને છે. જ્ઞાન દર્શનથી તદન અસંબંધિત અને સંપૂર્ણ રીતે નવું એવું કંઈ નથી. સામાન્ય ગુણોને સામાન્ય ગુણે તરીકે સમજીએ ત્યારે આપણી પાસે દર્શન છે; જ્યારે વિશિષ્ટ ગુણોને વિશિષ્ટ તરીકે સમજીએ ત્યારે આપણી પાસે જ્ઞાન છે. બંને પ્રારંભથી જ હાજર છે અને તેથી જ્ઞાન દર્શનરૂપી ગર્ભિત સ્વરૂપ (potentiality)નું મૂર્ત સ્વરૂપ માત્ર છે. * Studies in Jaina Philosophy, p. 73. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy