SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન પદાર્થ જ્ઞાનનો વિષય બને કે ન બને તાપણ આપણું જ્ઞાન આપણા આત્મામાં સ્થિત છે. તે આપણું જ્ઞાન પદાર્થની નીપજ હોય તે તે પદાર્થના જ ગુણુ બને. આપણી સાથે તેનું તાદાત્મ્ય શકય બને નહીં ૧૧૨ જ્ઞાન અને જ્ઞેયમાં વિષય-વિષયી-ભાવ સબ્ધ છે. જૈનદષ્ટિ અનુસાર, જ્ઞાન પદાર્થોમાં પ્રવેશતુ નથી; પદાર્થ જ્ઞાનમાં પ્રવેશતા નથી. બ નેને પરસ્પર પ્રવેશ થતા નથી. જ્ઞાન પદાર્થોકાર નથી. તે પદાર્થોથી ઉત્પન્ન થતું નથી. તે વસ્તુરૂપ પણ નથી. જ્ઞાન અને યમાં સંપૂર્ણ અભેદ નથી. નાતા (પ્રમાતા) જ્ઞ!ન-સ્વભાવ હોય છે એટલે તે વિષયી છે. પદાર્થ તૈય-સ્વભાવ હોય છે એટલે તે વિષય છે. બંને સ્વતંત્ર છે. એકનું અસ્તિત્વ અન્યથી ભિન્ન છે. પદાર્થ જ્ઞાનસ્વરૂપ નથી, જ્ઞાન જ્ઞેય સ્વરૂપ નથી તાપણુ જ્ઞાનમાં પદાર્થને જાણવાની અને પદાર્થમાં જ્ઞાન દ્વારા જ્ઞાત થવાની ક્ષમતા છે. જ્ઞાતાના નાયક-પર્યાય અને પદાર્થ ના જ્ઞેય-પર્યાયના સામર્થ્ય દ્વારા અને સધિત થાય છે. વાસ્તવમાં જ્યારે આપણે પદાર્થને જાણીએ છીએ ત્યારે જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પરંતુ તે તેના પ્રયાગ છે, અજમાયશ છે. જ્ઞાન કે જાણવાની ક્ષમતા આપણામાં વિકસિત હોય છે. પરંતુ જ્ઞાનની આવૃત દશામાં આપણે પદાર્થને માધ્યમ વિના જાણી શકતા નથી. આપણી શારીરિક ઇન્દ્રિય અને મન અચેતન છે. જ્યારે ઇન્દ્રય અને મન દ્વારા પદાર્થના સંબંધ કે સામીપ્ય ઉદ્ભવે છે ત્યારે તે આપણા જ્ઞાનને પ્રવૃત કરે છે અને જ્ઞેય જ્ઞાત અને છે; અથવા તા જ્યારે આપણા પોતાના સ સ્કાર કાઈ પદાર્થને જાણવા માટે જ્ઞાનને પ્રેરે છે ત્યારે તે જ્ઞાત બને છે. આ જ્ઞાનના ઉદ્ભવ નથી પર ંતુ પ્રવૃત્તિ છે. દા. ત., દુશ્મનને બેઈને બંદુક ચલાવવાની ઇચ્છા થતાં તે ચલાવીએ તેા અહીં શક્તિનો ઉદ્ભવ નથી, પરંતુ તેના પ્રયાગ છે અજમાયશ છે. આ જ પ્રમાણે, વિષય સામે ઉપસ્થિત થાય ત્યારે જ્ઞાન તેને ગ્રહણ ફરી લે છે. આ પ્રવૃત્તિ માત્ર છે. જ્ઞાનની જેટલી ક્ષમતા હોય તે અનુસાર જ તે જાણવામાં સફળ થાય છે. ઈન્દ્રિય અને મન જાણવાનાં બે સાધના છે. આપણું જ્ઞાન ઈન્દ્રિય અને મનના માધ્યમ દ્વારા જ જ્ઞેયને જાણે છે. ઇન્દ્રયોની શક્તિ સીમિત છે. તેએ પોતપોતાના વિષયાના સંબંધ મન સાથે સ્થાપિત કરીને જ જાણી શકે છે. એટલા માટે જ એક સમયમાં એક પદાર્થોના એક જ પર્યાય (રૂપ) જાણી શકાય છે. જ્ઞાનને કૈયાકાર માનવાની પણ આવશ્યકતા નથી. ઉપરાત મર્યાદા માટે છે, અનાવૃત જ્ઞાન માટે નથી. અનાવૃત જ્ઞાન દ્વારા એકી સાથે સર્વો પદાર્થ જાણી શકાય છે. એટલા માટે ધૃત-જ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy