________________
જૈન જ્ઞાનમીમાંસા
૧ અવધ, મન:પર્યાય અને કેવળજ્ઞાન વાસ્તવમાં પ્રત્યક્ષ છે.
૨ શ્રુત જ્ઞાન હ ંમેશાં પરાક્ષ છે.
૩ ઇન્દ્રિયો દ્વાર1 ઉદ્ભવેલ મતિ જ્ઞાન વાસ્તવમાં પરાક્ષ છે, પરંતુ વ્યાવહારિક હેતુઓ અર્થે પ્રત્યક્ષ તરીકે માનવામાં આવે છે.
૪ મન દ્વારા ઉદ્ભવેલ મતિ જ્ઞાન હંમેશાં પરાક્ષ છે.
૧૧૧
જ્ઞાનનું સ્વરૂપ
જે આત્મા છે તે જાણે છે. જાણે છે તે આત્મા છે (આચારાંગ સૂત્ર, પ-પ-૧૬૬). આત્મા અને અનાત્મામાં અત્યતાભાવ છે. આત્મા કદીપણ અનાત્મા અનતા નથી અને અનાત્મા કદી આત્મા અનેતા નથી (ભગવતીસૂત્ર, ૨૫-૪). આત્મા પણ દ્રવ્ય છે, અનાત્મા પણ દ્રવ્ય છે. બને અન તગુણુ અને પર્યાયના અવિચ્છિન્ન સમુદૃાય છે. (ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮-૬) સામાન્ય ગુણથી અને અભિન્ન છે, પરંતુ વિશિષ્ટ ગુણુથી બંને ભિન્ન છે. (તે વિશિષ્ટ ગુણ) ચેતના છે જેમાં ચેતના છે તે આત્મા છે અને જેમાં ચેતના નથી તે અનાત્મા છે.
આત્મા પ્રમેયત્વ વગેરે સામાન્ય ગુણાની દૃષ્ટિથી ચિત્-સ્વરૂપ નથી પરંતુ તે ચેતનાની દૃષ્ટિએ ચિત્સ્વરૂપ છે. એટલા માટે જ આત્મા જ્ઞાનથી ભિન્ન નથી અને અભિન્ન પણ નથી, પરંતુ ભિન્નાભિન્ન છે (ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે) એમ કહેવામાં આવે છે. જ્ઞાન આત્મા જ છે. એટલા માટે તે આત્માથી અભિન્ન છે. જ્ઞાન ગુણ છે, આત્મા ગુણી છે—જ્ઞાન સરીખા અનેક ગુણોના સમૂહ છે. એટલા માટે તે આત્માથી ભિન્ન પણ છે. આત્મા જાણે છે અને જ્ઞાન જાણવાનું સાધને છે. કર્તા અને કરણ(સાધન)ની દૃષ્ટિએ પણ જ્ઞાન અને આત્મા ભિન્ન છે.
ટૂંકમાં, આત્મા જ્ઞાનમય છે અને જ્ઞાન આત્માનું સ્વરૂપ છે.
જ્ઞાન અને જ્ઞેય બને સ્વતંત્ર છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય જ્ઞેય છે. Àયની સ્વતંત્ર સત્તા છે અને તે મૂર્ત અને અમૂર્ત બને છે. જ્ઞાન આત્માના ગુણ છે આત્મા સાધન વિના પણ જાણી શકે છે અને આવરણની સ્થિતિ અનુસાર સાધનાના માધ્યમથી પણ જાણે છે. ન તા તૈય દ્વારા જ્ઞાન ઉત્પન્ન થાય છે કે ન તા જ્ઞાન દ્વારા ય. જ્ઞાન જાણે કે ન જાણે તે પણ પદાર્થ સ્વયં અસ્તિત્વમાન છે. જો તે આપણા જ્ઞાનની નીપજ હોય તા તેની અસત્તામાં તેને જાણવાના આપણા પ્રયાસ જ કેવી રીતે હોય ? આપણે અદ્રષ્ટ વસ્તુની કલ્પના જ ન કરી શકીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org