________________
જેનદર્શન
ઉમાસ્વાતિ તત્વાર્થસૂત્રમાં સર્વપ્રથમ જ્ઞાનને પાંચ પ્રકારોમાં પૃથકકૃત કરી ત્યારબાદ તેમને પ્રત્યક્ષ-પરોક્ષ પ્રકારમાં સમાવિષ્ટ કરે છે. આમ તે પણ આ તબકકાથી પ્રભાવિત હોવાનું જણાય છે. આ દ્વિતીય તબક્કો તાત્વિક ચિંતનથી પ્રભાવિત છે અને તેમાં શુદ્ધ જૈન દષ્ટિની છાપ પણ છે. તર્કશાસ્ત્રના આધારે જ્ઞાનમીમાંસાની ચર્ચા કરનાર જૈન તર્કશાસ્ત્રીઓ સામાન્ય રીતે જ્ઞાનનું આ દિવિધ વર્ગીકરણ સ્વીકારે છે.
૩. સમન્વયાત્મક તબક્કો
નંદીસૂત્ર જ્ઞાનના આ તબક્કાને નીચે પ્રમાણે વ્યક્ત કરે છે?
જ્ઞાન
આભિનિબંધિક (મતિ)
શ્રત
| અવધિ
મન:પર્યાય
કેવળ
પ્રત્યક્ષ
પરેટ્સ
ઈન્દ્રિય- પ્રત્યક્ષ (પાંચ પ્રકારે)
ઈન્દ્રિય-પ્રત્યક્ષ (અવધિ, મન:પર્યાય, કેવળ)
અભિનિબેધિક (મતિ)
શ્રત
શ્રતબિચત
મૃતનિઃસૃત
અબુતસ્થિત
અમૃતનિસ્કૃત
અવગ્રહ
ઈહા
અવય ધારણા
ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ તરીકે માનનાર અન્ય ભારતીય દર્શનાથી પ્રભાવિત થઈને જૈન તાર્કિક લૌકિક પ્રત્યક્ષના નામે આ મતને સ્વીકાર કરે છે. દ્વિતીય તબક્કામાં માત્ર પરોક્ષ જ્ઞાનમાં સમાવિષ્ટ ઈન્દ્રિયજન્ય વિજ્ઞાન તૃતીય તબક્કામાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ બંને પ્રકારોમાં સ્થાન પામે છે. આ તબક્કાનો સાર નીચે મુજબ રજૂ કરી શકાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org