________________
પ્રકરણ ૪
જૈન જ્ઞાનમીમાંસા
(Jaina Epistemology)
૧. પ્રાસ્તાવિક
જ્ઞાનમીમાંસા સ ંપૂર્ણપણે જ્ઞાનની આસપાસ કેન્દ્રિત વ્યવસ્થિત ચિંતનના અભ્યાસ છે. જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેય (જ્ઞાનના પદાર્થ)ની અપેક્ષા રાખે છે અને તેથી · જ્ઞાતા જ્ઞેયને કેવી રીતે જાણે છે તેના વિચાર કરીએ ત્યારે જ્ઞાનનાં સાધનાની વિચારણા પણ આવસ્યક બની રહે છે. ભારતીય જ્ઞ!નમીમાંસામાં નાનનાં સાધનો, પ્રમાણેા અને જ્ઞાનના પદાર્થો પ્રમેયો કહેવાય છે. ગૌતમના ન્યાયસૂત્રમાં પ્રમેય અને પ્રમાણની સર્વ પ્રથમ વ્યવસ્થિત વિચારણા જોવા મળે છે. ત્યારબાદ જ્ઞાનના અભ્યાસ જ્ઞાનના પદાર્થોના અભ્યાસથી ક્રમશઃ અલગ-સ્વતંત્ર થતાં શુદ્ધ તર્કશાસ્ત્ર અને જ્ઞાનમીમાંસા પરના સ્વતંત્ર ગ્ર ંથ પ્રાપ્ત થાય છે. આ પહેલાં આપણે જૈન દર્શનનાં પ્રમાણે અગે જોઈ ગયા છીએ.
જ્ઞાન વિચારા પદાર્થા, અન્ય માનવા અને પોતાની જાન અંગેના વિચારોનુ બનેલુ છે. આ સર્વ પ્રકારના વિચારા જ્ઞાતા દ્વારા વ્યવસ્થિત થાય અને તેનામાં અંતરીકૃત-એકરૂપ થાય ત્યારે જ જ્ઞાન બને છે. આ સર્વ વિચારાને સમાન મૂલ્ય અને યથાર્થતા નથી. આપણે કેટલાક વિચારાને સાચા અને ટલાક વિચારોને ખાટા કહીએ છીએ. સાચાં (યથાર્થ) જ્ઞાન અને ખાટાં (અયથાર્થ) નાન વચ્ચેના આવા ભેદની સભાનતા જ્ઞાનના ઉદ્ભવ અને અન્વેષણ માટે પૂર્વાપેક્ષિત છે.
(Stages of the
૨. જૈન જ્ઞાનમીમાંસાના વિકાસના તમા
Development of Jaina Epistemology)
આગમ જ્ઞાનમીમાંસા અત્યંત પ્રાચીન છે અને સંભવતઃ મહાવીર પૂર્વેના કાળમાં તેના ઉદ્ભવ થયો છે. મહાવીરે પાર્શ્વ પર પરમાંથી જ્ઞાનયેજના સ્વીકારી હોવાનું માની શકાય. પાર્શ્વ-પર ંપરાના સાધુ શિકકુમાર પંચવિધ જ્ઞાનની વાત સ્વમુખે કરે છે અને આ જ પાંચ નાનપ્રકારે। મહાવીર-પરંપરામાં પણ પ્રચલિત થાય છે. આગમ સહિત્યમાં પણ પાંચજ્ઞાનચર્ચા દષ્ટિગોચર ધાય છે. શ્વેતાંબરદિગબર અને પરંપરાએમાં પણ પાંચજ્ઞાન-વ્યવસ્થા સમાન રીતે જેવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org