________________
જૈનદર્શન વ્યક્તિ પોતે સાથ-સાધન વચ્ચેના સાહચર્ય સંબંધનું જ્ઞાન મેળવે છે અને સાધ્ય (અગ્નિ) સાથે અવિનાભાવી સાધન(ધૂમાડે)ને જોઈને સા(અગ્નિ)નું અનુમાન કરે છે. આ જ્ઞાન સ્વાર્થોનુમાન છે. સાધન (ધૂમાડાને જોઈને સાધ્ય (અગ્નિ)નું અનુમાન વ્યક્તિ સ્વયં કરે છે. અહીં સ્વાર્થનુમાન માટે વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પર નિર્ભર નથી. આથી આ પ્રકારનું અનુમાન સ્વાર્થનુમાન-પિતા માટે અનુમાન-કહેવાય છે. આ જ્ઞાન વ્યક્તિમાં અન્યની સહાય વિના ઉદ્ભવે છે.
(૨) પરાથનુમાન (Syllogistic Inference)
સાધન અને સાધ્ય વચ્ચેના નિયત સાહચર્ય સંબંધના કથન દ્વારા ઉદ્દભવતું જ્ઞાન પરાર્થોનુમાન છે. થોmણામામાનઃ વાર્થમ્ (કમાઇ ભીમાણા-૨.૧.૧.) પરાર્થનુમાન સ્વાર્થનુમાનથી વિપરીત છે. તે અન્ય માટે અને અન્ય વ્યક્તિના કથન દ્વારા ઉદ્દભવતું જ્ઞાન છે. આમ, પરાર્થનુમાન “શબ્દાત્મક” છે. ઉદાહરણ ૧. પર્વત અગ્નિયુક્ત છે (પ્રતિજ્ઞા) ૨. ત્યાં ધૂમાડે છે (હેતુ) ૩. જ્યાં જ્યાં ધૂમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. દા. ત., રસોડું (ઉદાહરણ
સહ વ્યાપ્તિ). ૪. પર્વત તેવો છે (ઉપનય) ૫. . પર્વત અગ્નિ યુક્ત છે. (નિગમન). પરાથનુમાનના અવયવો
(૧) પ્રતિજ્ઞા અથવા પક્ષ (Thesis)
પ્રતિજ્ઞા “જે સિદ્ધ કરવાનું છે તેનું કથન છે. તે સર્વ પ્રથમ કરવામાં આવે છે.
(૨) હેતુ (Reason)
હેતુ પ્રતિજ્ઞા માટેનું કારણ દર્શાવે છે. (૩) ઉદાહરણ સહ વ્યાપ્ત (Rule with llustration) - ત્રીજુ વિધાન હેતુના સમર્થન માટે ઉદાહરણુસહ વ્યાપ્તિની રજુઆત કરે છે.. અહીં વ્યાપ્ત (નિયમ)થી સંતોષ ન માનતા ઉદાહરણ પણ અપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org