________________
૧૦ ૩
જૈન તર્કશાસ્ત્ર
(૧) સ્મૃતિ (Recollection):
ભારતીય દર્શનમાં માત્ર જૈન દર્શને જ સ્મૃતિને જ્ઞાનના યથાર્થ અને સ્વતંત્ર સાધન તરીકે માન્ય રાખે છે.
સ્મૃતિ અતીતના અનુભવનું સ્મરણ છે. સ્મૃતિ સ્મૃતિ-રેખાઓ (memory -impressions-સ્મૃતિચિહ્નો)ને ઉદીપન દ્વારા થતું જ્ઞાન છે અને તે તેની સામગ્રીને તે સર્વનામ દ્વારા નિર્દેશ છે. આવશ્યક પરિસ્થિતિઓ (જેવી કે, અંતરાયોને અભાવ, સમાનતા, વિરોધ વગેરે)ની હાજરીમાં સ્મૃતિ ઉદભવે છે. અનુભવેલ હકીકતની યાદ સ્મરણ કે સ્મૃતિ છે.
મૃતિને પ્રમાણ તરીકે ન સ્વીકારનાર એવો વાંધો લે છે કે સ્મૃતિને વિષય અતીતને પદાર્થ છે અને તે તે નષ્ટ થયેલ છે. આમ, સ્મૃતિ માટે વસ્તુનિષ્ઠ આધાર નથી. જે જ્ઞાનને કેઈ વિષય ન હોય, જે અનુભવને વર્તમાન આધાર ન હોય તે કેવી રીતે ઉદ્ભવી શકે ? વિષય વિના જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય ? આનો ઉત્તર નીચે મુજબ છે: સ્મૃતિમાં ભૂતકાળમાં અનુભવેલ પદાર્થ નિશ્ચિત રીતે છે જ. પદાર્થની વાસ્તવિકતા (નહીં કે તેની મૂર્ત હાજરી) જ જ્ઞાનની યથાર્થતા માટેની આવશ્યકતા છે. ત્રિકાળના પદાર્થને ગ્રહણ કરતા અનુમાનને પણ પ્રમાણુ કહી શકાશે નહીં. વાસ્તવમાં કેઈપણ કાળને પદાર્થ જ્ઞાનને વિષય બની શકે છે. સ્મૃતિ અંગે એક બીજે વાંધો પણ ઉઠાવવામાં આવે છે. નછ પદાર્થ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ કેવી રીતે બની શકે ? આને ઉત્તર નીચે મુજબ છેઃ જૈન દષ્ટિએ જ્ઞાનની યથાર્થતા માટે પદાર્થ જ્ઞાનોત્પત્તિનું અનિવાર્ય કારણ નથી. જ્ઞાન અને પદાર્થ પિતાપિતાનાં કારણે દ્વારા ઉત્પન્ન થાય છે. જ્ઞાનમાં એવી શક્તિ છે કે જેથી તે પદાર્થને પોતાને વિષય બનાવી શકે છે. પદાર્થને એ સ્વભાવ છે કે તે જ્ઞાનને વિષય બની શકે છે. જેવી રીતે ઘટ વગેરે પદાર્થો દ્વારા નહીં પરંતુ તેની પોતાની પરિસ્થિતિઓ દ્વારા ઉત્પન્ન થયેલ પ્રકાશ ઘટ વગેરે પદાર્થોને પ્રકટ કરે છે તેવી રીતે પદાર્થ દ્વારા નહીં પરંતુ તેના પોતાના કારણસર ઉત્પન્ન થયેલ જ્ઞાન તેના પદાર્થને પ્રકટ કરે છે.
(૨) પ્રત્યાભિજ્ઞા (Recognition):
પ્રત્યભિતામાં પ્રત્યક્ષ અને સ્મૃતિ એ બંનેનું સંકલન છે. પ્રત્યભિજ્ઞામાં બે પ્રકારના અનુભવો કાર્યરત છે. ૧. વર્તમાનકાળમાં થતું પ્રત્યક્ષ, અને ૨. ભૂતકાળના અનુભવ રૂપ સ્મૃતિ-સ્મરણ. પ્રત્યભિજ્ઞા પ્રત્યક્ષ અને સ્મરણ દ્વારા ઉત્પન્ન થતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org