SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન આવિષ્કાર (જે આત્માના જ આવિષ્કાર છે તે). પારમાર્થિક પ્રત્યક્ષ' તરીકે આળખાય છે. તે ઇન્દ્રિય અને મન જેવાં બાહ્ય સાધનેાની સહાયથી મુકત છે; તેથી તે ‘અતીન્દ્રિય પ્રત્યક્ષ' પણ કહેવાય છે. પારમાર્થિક પ્રત્યક્ષ શુદ્ધ છે, પૂર્ણ છે, સર્વ જ્ઞાનામાં શ્રેષ્ઠ છે. તેથી તે સફલ પ્રત્યક્ષ કે પૂર્ણ પ્રત્યક્ષ પણ કહેવાય છે. તે ત્માનું જન્મજાત લક્ષણ છે, તેમાં આત્મા તેના શુદ્ધ સ્વરૂપમાં આવિષ્કાર પામે -પ્રકટ થાય છે અને તે પ્રત્યક્ષરીતે સમગ્ર વાસ્તવિક્તા નિહાળે છે. આથી તે કેવળ જ્ઞાન' પણ કહેવાય છે. શુદ્ધ પ્રત્યક્ષ સ શકય આવરણાનો સંપૂર્ણ લય થયા બાદ જ ઉદ્ભવે છે. આ આવરણાના નાશમાં તફાવતા હોય ત્યારે અર્વાધજ્ઞાન અને મન:પર્યાય જ્ઞાન એવા પારમાર્થિ ક પ્રત્યક્ષના બે અપૂર્ણ વિકલ પ્રકાશ પ્રાપ્ત થાય છે. આમ (૧) અવધિજ્ઞાન અને (૨) મન:પર્યાય જ્ઞાન અને (૩) કેવળ જ્ઞાન એમ પારમાર્થિક પ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે અને આમાંથી પ્રથમ બે પ્રકારેા અપૂર્ણ હાઈ વિલ પ્રત્યક્ષ' કહેવાય છે, જ્યારે ત્રીજો પ્રકાર સકલ પ્રત્યક્ષ' કહેવાય છે. આ ત્રણે જ્ઞાન ઈન્દ્રિય મનની અપેક્ષા વિના કવળ આત્મશક્તિથી પ્રકટ થાય છે અને તેથી અતીન્દ્રિયજ્ઞાન કહેવાય છે. આ ત્રણ પારમાર્થિક પ્રત્યક્ષાનુ નિરુપણ હવે પછીના પ્રકરણ ૪માં ‘જ્ઞાનના પ્રકાર’માં કરીશું. ૧૦૨ જ્ઞાનાપયેાગના બે ભેદ છે. (૧) સ્વભાવ જ્ઞાન અને (૨) વિભાવ જ્ઞાન. સ્વભાવજ્ઞાન પૂર્ણ હોય છે, તેમાં કાઈપણ ઈન્દ્રિયની આવશ્યક્તા નથી. સીધા આત્મામાંથી થતુ પૂર્ણ જ્ઞાન સ્વભાવ જ્ઞાન છે. આ જ્ઞાન પ્રત્યક્ષ કે સાક્ષાત્ છે. અને કેવળ જ્ઞાન કહે છે. ધ્રુવળને અર્થ છે અસહાય કે એકલુ. આ જ્ઞાન કદી મિથ્યા-અસત્ય હતું નથી. ૨. પરાક્ષ પ્રમાણ (Indirect or Non-perceptual Pramana) પ્રત્યક્ષ પ્રમાણ અને તેના પ્રકારા બાદ હવે આપણે પરાક્ષ પ્રમાણ જોઈશું. પરાક્ષ પ્રમાણ પ્રત્યક્ષથી વિપરિત છે. પરાક્ષ જ્ઞાનમાં તત્કાલીનતા (immediacy) અને સ્પષ્ટતાના અભાવ છે. તેના પાંચ પ્રકારો છે : ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞા, ૩. તર્ક, ૪. અનુમાન અને ૫. આગમ. હવે આપણે આ પ્રત્યેક અંગે વિશદતાથી ચર્ચા કરીશું. સ્મૃતિ ધારણામૂલક છે. પ્રત્યભિના સ્મૃતિ અને અનુભવમૂલક છે, તર્ક પ્રત્યભિનામૂલક છે, અનુમાન ત નિર્ણિત સાધનમૂલક છે એટલા માટે આ બધા પરાક્ષ છે. મન શ્રુતનુ સાધન છે અને આગમ તેના એક શબ્દમૂલક છે અને તેથી પાક્ષ છે. પ્રકાર છે. આગમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004504
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorZaverilal V Kothari
PublisherUniversity Granth Nirman Board
Publication Year1984
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy