________________
જૈન તકશાસ્ત્ર
૯૯
કેટલાકના મતે, ઈન્દ્રિ અને મન પ્રત્યક્ષની પર્યાપ્ત આવશ્યકતા નથી. તેમના મતે, ઉપરોકત આવશ્યક્તાઓ ઉપરાંત દષ્ટિ પ્રત્યક્ષ માટે પદાર્થ અને પ્રકાશની હાજરીની વધારાની આવશ્યકતાઓ પણ જરૂરી છે. પરંતુ જૈન દષ્ટિએ, આ બંને જરૂરી આવશ્યકતા નથી, તેઓ દૂરગામી આવશ્યકતા છે. પાણીના સંવેદનની ગેરહાજરી છતાં રણમાં મૃગજળનું પ્રત્યક્ષ થાય છે.
ઈન્દ્રિય-પ્રત્યક્ષમાં પદાર્થ સાથે ઇન્દ્રિયને સંગ નીચે મુજબ થાય છે ? ૧. જીહા રસાસ્વાદ કરે છે ત્યાં જિન્હા અને રસને સંયોગ બરાબર હોય છે. ૨. ત્વચા (ચામડી) સ્પર્શાનુભવ કરે છે ત્યાં ત્વચા અને સ્પર્ય વસ્તુને સંગ
સ્પષ્ટ હોય છે. ૩. નાસેન્દ્રિય (નાક) ગંધ લે છે ત્યાં ગંધવાળાં દ્રવ્યો તેની સાથે અવશ્ય સંગ
ધરાવે છે. દૂરની ગંધની બાબતમાં પણ દૂરનાં ગંધવાળાં સૂક્ષ્મ દ્રવ્ય નાકની
સાથે અવશ્ય સંયોગમાં હોય છે. ૪. કાન ત્યારે જ શ્રવણ કરે છે કે જ્યારે દૂર કે નજીકથી આવતા શબળે તેની સાથે
અથડાય છે. (જૈન મતે, શબ્દ દ્રવ્ય છે–ભાષાવર્ગણના પુગલ-સ્કંધે છે.) ૨. આ રીતે જ ઇન્દ્રિય પદાર્થ સાથે સંક્તિ થઈને પિતાના વિષયને ગ્રહણ
કરે છે. પરંતુ ચક્ષુ(આંખથી) નજીક કે દૂરના પદાર્થો તેની પાસે આવતા નથી, એ સ્પષ્ટ છે તેથી ચક્ષુ સાથે સંજિત થયા વિના આ પદાર્થો તેને પ્રત્યક્ષ થાય છે. આથી જેન ન્યાયશાસ્ત્રમાં ચક્ષુને અપ્રાપ્યકારી (અપ્રાપ્ય = પ્રાપ્તિ-સંગ કર્યા વગર અને કારી = વિષયને ગ્રહણ કરનાર) અને શેષ ચાર ઈન્ટિને પ્રાયકારી કહેવામાં આવે છે. મન પણ ચક્ષુની જેમ અપ્રાપ્યકારી છે.
૨. સાંવ્યવહારિક પ્રત્યક્ષની ભૂમિકાઓ :
ઈન્દ્રિય અને મન દ્વારા પ્રાપ્ત થતું ઈન્દ્રિય-પ્રત્યક્ષ જ્ઞાન અર્થાત મતિજ્ઞાન અલ્પવિકસિત છે. તેથી પદાર્થના જ્ઞાનમાં તેમને એક નિશ્ચિત ક્રમ છે. પ્રત્યક્ષ જ્ઞાનની ઉત્પત્તિ ક્રમમાં થાય છે. આથી સાંવ્યવહારિક પ્રત્યક્ષના નીચે મુજબના બકકાઓ છે:
Is) અવગ્રહ (sensation), (૨) ઈહા (speculation), (3) અવાય (deterમinate perception) અને (૪) ધારણું (retention).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org