________________
જૈનદર્શન ૧. પ્રત્યક્ષ પ્રમાણ (Direct or Perceptual Pramana)
(અ) સાંવ્યવહારિક પ્રત્યક્ષ ૧. સાંવ્યવહારિક પ્રત્યક્ષનું સ્વરૂપ :
ઈન્દ્રિય અને મનની સહાય દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન ઈન્દ્રિય માટે પ્રત્યક્ષ છે (પરતુ આત્મા માટે પરોક્ષ છે, તેથી તેને ઇન્દ્રિય-પ્રત્યક્ષ કહેવામાં આવે છે. ઈન્દ્રિયને માધ્યમ દ્વારા થતું જ્ઞાન આત્મા માટે સાક્ષાત્ નથી તેથી તે પ્રત્યક્ષ નથી. ઈન્દ્રિય અન્ય કોઈ સહાય વિના પદાર્થોનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવે છે તેથી તે ઈન્દ્રિય –પ્રત્યક્ષ છે. ચક્ષુ જે રૂપ જુએ છે, જીભ જે રસ ગ્રહણ કરે છે, નાક જે ગંધ લે છે, ત્વચા જે સ્પર્શે છે, કાન જે શબ્દ શ્રવણ કરે છે તે સર્વે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. પાંચ ઈન્દ્રિમાં જુદા જુદા પાંચ ગુણે-વિષયે (રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ) ગ્રહણ કરવાની શક્તિ છે. તે સર્વે પોતાના ગ્રાહ્ય વિષય સિવાય અન્ય વિષયને ગ્રહણ કરી શકતી નથી. પાંચ ઈન્દ્રિયોના વિષયે પૃથક અને નિયત છે. આ રીતે ઈન્દ્રિય પ્રત્યક્ષના પાંચ પેટા પ્રકારે નીચે મુજબ છે:
૧. ચક્ષુરિન્દ્રિય-પ્રત્યક્ષ, ૨. જિહેન્દ્રિય-પ્રત્યક્ષ, ૩. ધ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ ૪. સ્પશે. ન્દ્રિય પ્રત્યક્ષ, ૫. શ્રવણેન્દ્રિય પ્રત્યક્ષ. માનસ-પ્રત્યક્ષ (મન દ્વારા પ્રાપ્ત સુખ વગેરે સંવેદના) અહીં ઈન્દ્રિય-પ્રત્યક્ષમાં સમાવિષ્ટ છે. વ્યવહારમાં અનુભવાતા આ ઈન્દ્રિયપ્રત્યક્ષને સાંવ્યવહારિક પ્રત્યક્ષ એવું નામ સર્વપ્રથમ જિનભદ્રજીએ આપ્યું છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ ઈન્દ્રિય અને મન પર આધારિત અને સીમિત છે. (ાનિદ્રા નામત રાત ગામિત 1 પરિક્ષામુ, ૨. ૫). ઈન્દ્રિય અને મન સાંવ્યવહારિક પ્રત્યક્ષની આવશ્યકતાઓ (પૃથક તેમજ સામુહિક બંને અર્થમાં છેજ્યારે ઇન્દ્રિયે મુખ્ય ભાગ ભજવે છે અને મને તેની નિષ્પત્તિમાં પ્રભાવ પાડે છે ત્યારે તે ઇન્દ્રિયોની આવશ્યકતાયુક્ત છે. જ્યારે તે એક પ્રકારની શુદ્ધિ સાથે મન દ્વારા નિષ્પન્ન થાય છે ત્યારે તે મનની આવશ્યકતાયુક્ત છે. ઈન્દ્રિયોના સર્વે પદાર્થો મન દ્વારા ગ્રહણ થાય છે અને તેથી તે સર્વે પદાર્થગ્રાહી ઈન્દ્રિય કહેવાય છે. તે અનિન્દ્રિય (non-sense), 21-biasey (no-sense), H&H Ulasa (subtle sense), } અંતઃકરણ (internet sense) તરીકે પણ ઓળખાય છે. ઈન્દ્રિયે તેમજ મનના ભૌતિક તેમજ આત્મિક એવા બે પ્રકારે પાડવામાં આવે છે. ભૌતિક ઈન્દ્રિ ભૌતિક પરમાણુ યુક્ત છે અને ભૌતિક મન તેમાં રૂપાંતરિત થયેલ પુદ્ગલ સિવાય કંઈ નથી. બાહ્ય ઈન્દ્રિયે ફક્ત મૂર્ત પદાર્થોને આંશિક રીતે ગ્રહણ કરે છે. મન મૂર્ત તેમજ અમૂર્ત બધા પદાર્થો તેમના અનેક રૂપે સાથે ગ્રહણ કરે છે, ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણેને ગ્રહણ કરે છે. મનનું કાર્ય વિચાર કરવાનું છે. વિચાર મનને વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org