SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યપદ માટે ક્રમ, ગ્યતા અને લેનાર-દેનારની જવાબદારી ૪૫૩ કરીને જેણે અનુજ્ઞાની યોગ્યતા પ્રગટ કરી હોય તેને આ અનુજ્ઞા પ્રાપ્ત થએલી ગણાય, હવે તેવાને અનુજ્ઞા કરવી તે સાપેક્ષ યતિધર્મ છે એ કારણે તે ક્રમનું યથાર્થ સ્વરૂપ શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે અહીં કહીએ છીએ. એ રીતે પ્રતિજ્ઞા કરીને હવે તે ક્રમને જ કહે છે કે मूलम्-" व्रतग्रहेऽष्टौ सूत्रार्थ-विहारे द्वादश क्रमात् । पञ्चचत्वारिंशवर्षे, योग्यतैवं गणिस्थितेः ॥२२९॥" મૂળીને અર્થ–પ્રતગ્રહણ કરવામાં આઠ અને સૂત્ર, અર્થ તથા વિહારમાં બાર બાર, એમ (કુલ ચુંમાલીશ વર્ષ ગયા પછી ઉમ્મરથી) પીસ્તાલીશમાં વર્ષે અનુયેગની અને ગણની અનુજ્ઞા માટેની યોગ્યતા પ્રગટે છે. ટીકાને ભાવાર્થ–ચારિત્રની પ્રાપ્તિ માટે આઠ વર્ષે કહ્યા છે, કારણ કે “તેથી ઓછી ઉમ્મરે ચારિત્ર આપવાથી તેને પરાભવ વિગેરે થાય ઈત્યાદિ કારણે આઠ વર્ષની નીચે (દ્રવ્ય) ચારિત્ર ન લેવું. (અધ્યવસાયની) પ્રાપ્તિ પણ એથી ઓછી ઉમ્મરે ન થાય, એથી દ્રવ્ય-ભાવ ઉભય ચારિત્રને આઠ વર્ષ પૂર્વે નિષેધ છે. તથા સૂત્રાથવિદ્યારે એમાં ત્રણ પદોને સમાહારદ્રસમાસ કરેલો હોવાથી સૂત્રમાં એટલે સૂત્ર ભણવામાં, અર્થમાં એટલે અર્થ ભણવામાં અને વિહારમાં એટલે ભિન્નભિન્ન દેશનું (અનુભવ) જ્ઞાન મેળવવા પૂર્વક ભવ્યજીને ધર્મને ઉપદેશ કરતા વિચરવામાં, એમ ત્રણમાં અનુક્રમે બાર બાર વર્ષે જાય. એ ક્રમે (ઉમ્મરથી) પીસ્તાલીસમું વર્ષ પ્રાપ્ત થાય ત્યારે સૂત્રોના અનુગની એટલે વ્યાખ્યાનની અને ગરછને સંભાળવાની અનુજ્ઞા મેળવવાની યેગ્યતા પ્રગટે છે. (પ્રાચીન સામાચારીના દ્વાર-૧૧ મામાં) કહ્યું છે કે "अडवरिस दिक्ख बारस, सुत्ते अत्थे य वायगत्ते अ । पणयालीसे एरिस-गुणजुत्तो हो(हव)इ आयरिओ ॥२॥" ભાવાર્થ–આઠ વર્ષે દીક્ષા, તે પછી બાર બાર વર્ષે સૂત્રમાં, અર્થમાં અને વ્યાખ્યાન કરતા દેશદેશ વિચરવામાં, એમ ચુંમાલીસ વર્ષ ગયા પછી પસ્તાલીસમા વર્ષે આવા (કહીશું તે) ગુણવાળો મુનિ આચાર્ય પદને પામવા માટે યુગ્ય થઈ શકે છે. હવે તે ગ્યતા અને તે પ્રગટ થયા પછીનું કર્તવ્ય બે કેથી કહે છે કે – मूलम्-" ईदृगपर्यायनिष्पन्नः, षट्त्रिंशद्गुणसङ्गतः । दृढव्रतो यतियुक्तो, मुक्त्यर्थी सङ्घसम्मतः ॥१३०॥ श्रुतानुयोगानुज्ञायाः, पात्रं न तु गुणोज्झितः। પત્ર તત્રને વન, મહારાતિના મૃત ભર રૂશા”પુHE I મળને અર્થએવા પર્યાયે (ઉમ્મરે) પહોંચેલો, છત્રીસ ગુણોથી યુક્ત, દઢ(અખંડ)વ્રતવાળો, શિષ્યાદિ પરિવાર યુક્ત, મુક્તિને અર્થી અને સિંધમાન્ય; એ ગુણોથી યુક્ત મુનિ શ્રતની અનુજ્ઞાનું પાત્ર છે, નહિ કે ગુણ વિનાને. કારણ કે અપાત્રમાં આચાર્યપદ સ્થાપવાથી | મોટી આશાતના કહી છે. ર૯૨-જે કે આ હકીકત ઉત્સર્ગ પદે કહેલી છે, અપવાદ પદે તે સંઘની અને શાસનની રક્ષા માટે ઉપરોક્ત ગુણે પૂર્ણ ન હોય તેને પણ આચાર્ય પદ આપી શકાય છે. જો એવા ગુણવાળાને જ આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy