SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ દશધા સામાચારીનું સ્વરૂ૫] ૩૧૫ વાર્થ—વય, દીક્ષાપર્યાય, વિગેરેથી લઘુ હોય તે પણ જે સૂત્ર–અર્થને યાદ રાખવામાં સમર્થ હોય અને (સરળતાથી સમજાવવું, શિષ્યોને આવજન કરવું, વિગેરે) વ્યાખ્યાનની શક્તિવાળો હોય તેને અહીં (વાચનામાં) યે તરીકે સ્વીકાર. (૧૦૧૨) અહીં એમ પ્રશ્ન થાય કે-ઓછા પર્યાયવાળા વાચનાચાર્યને જયેષ્ઠ માનવાથી વધુ પર્યાયવાળાની, અને બીજી બાજુ વધુ પર્યાયવાળા પણ વાચનાલબ્ધિ રહિતને છ માનવાથી વાચનાચાર્યની, એમ વન્દનથી બન્નેની પરસ્પર આશાતના થાય તેનું શું? (વન્દન વિના જ વાચના લેવાથી શું દેષ ?) તેનું સમાધાન કરે છે કે "आसायणा वि णेवं, पडुच्च जिणवयणभासगं जम्हा । ચંદ્ર રાuિrg, તે ગુoff નો વેવ ર૦રૂા” (વસ્ત્રવતું) ભાવાર્થ_એ રીતે વાચનાચાર્યને વન્દન કરતાં તે શ્રીજિનવચનને પ્રરૂપક હોવાથી આશાતના પણ થતી નથી, કારણ કે વન્દન રન્નાધિકને કરવાનું કહ્યું છે અને પિતાની વાચના લબ્ધિથી વાચનાચાર્ય રત્નાધિક છે જ ૨૦૫(૧૦૧૩). એ જ્ઞાનઉપસર્પદાને વિધિ કહ્યો, દર્શન ઉપસર્પદોને વિધિ પણ બનેમાં યુક્તિ-સમાધાન તુલ્ય હોવાથી જ્ઞાનઉપસર્પદાની તુલ્ય જ કહ્યું સમજ. દર્શનપ્રભાવક “શ્રી સન્મતિ ૨૦૫–અહીં કહેલાં વાચનાની વિધિનાં છ દ્વારે પિકી પહેલામાં અપ્રમાજિંતભૂમિએ બેસીને વાચના આપવા-લેવાને નિષેધ એ કારણે છે કે શ્રતવાચન જ્ઞાનાચારની આરાધના રૂપ છે, આ જ્ઞાનાચારની આરાધના ચારિત્રના અથીને ચારિત્રની વિરાધના ન થાય તે રીતે કરવી યોગ્ય છે, અન્યથા ચારિત્રની વિરાધનાથી જ્ઞાનની પણ વિરાધના થાય જ છે. એ કારણે ભૂમિપ્રમાર્જનરૂ૫ ચારિત્રની આરાધના પૂર્વક જ્ઞાનની આરાધના કરવી જોઈએ. સાધુને મુખ્ય મા સર્વ કાર્યોમાં સંયમયાત્રાની વિરાધના ન થાય તેમ વર્તવાનું કહેલું છે, જ્ઞાનાદિની પ્રવૃત્તિનું સાધ્ય ચારિત્ર છે, તેને વિરાધીને કરેલી જ્ઞાનાચારની, દશનાચારની, તપાચારની કે વીર્યાચારની, કોઈપણ પ્રવૃત્તિ હિતાવહ નથી. સ્થાપના દ્વારમાં સ્થાપનાચાર્યની નિશ્રા વિના જ ગુરૂએ વાચા આપવી તે પણ ઉત્સર્ગથી અયોગ્ય કહેલી છે, કુતિકર્મ દ્વારમાં વાચના માટે અધિકારી એવા જ્ઞાનીને માંદગી છતાં શક્તિ પહેચે ત્યાં સુધી વાચનાનું (વ્યાખ્યાનનું) દાન કરવાનું કહ્યું, તેથી સશક્ત નીરાગીને તે અવશ્ય વાંચના આપવીજોઈએ એમ સિદ્ધ થાય છે, એથી અધિકારી છતાં શિષ્યાદિને ભણાવવામાં પ્રમાદ કરનાર વિરાધક સમજવો, કારણ કે શ્રી જિનશાસનની (પ્રવચનની) વિદ્યમાનતા (પ્રવાહ) ટકાવવા માટે જ્ઞાનદાન મુખ્ય સાધન છે, તેને પ્રવાહ અટકે તેટલી શાસનની કસેવા થાય છે. વીતરાગ વચનને જગતમાં પ્રચારવું અને આચરવું એ સાધુજીવનનું મુખ્ય કર્તવ્ય છે, જો શિષ્યાદિ અજ્ઞાન રહે તે પરિણામે ક્રિયા પણ અજ્ઞાનક્રિયારૂપ જ રહે અને જ્ઞાન (સમજણ) વિનાની તેવી ક્રિયા પણ આખરે નાશ પામે. જયાં જયાં ક્રિયા પ્રત્યે અનાદર દેખાય છે ત્યાં ક્રિયાના લાભનું અજ્ઞાન મુખ્ય હેતુ હેાય છે. વરદત્તના જીવે પૂર્વભવમાં અધિકારી છતાં જ્ઞાનદાન પ્રત્યે કરેલા અનાદરથી ગાઢ જ્ઞાનાવરણીય કમ ઉપાર્જન કર્યું હતું એ વાત જેનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. આઠ પ્રભાવમાં પણ પ્રવચની અને ધર્મકથીને નંબર આગળ છે તેમાં પણ આ હેતુ છે. જો કે એને અર્થ એ નથી કે અધિકારીએ પણ સૂત્રદાન કરવું જ જોઈએ, શાસ્ત્રનાં ૨હસ્યાને તથાવિધ ક્ષપશમના બળે વિનયપૂર્વક ગુરૂકૃપાથી મેળવ્યાં હોય અને જે શિષ્યાદિનું આવજન કરવાની લબ્ધિવાળો (પુણ્યશાળી) હેય તેણે જિનવચનના પ્રવાહને શાસનના છેડા સુધી પહોંચાડવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy