SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ દશધા સમાચારીનું સ્વરૂ૫] “ ठाणं पमज्जिऊणं, दोनि निसिज्जा उ हुँ(हों)ति कायव्वा । एका गुरुणो भणिआ, बीआ पुण होइ अक्खाणं ॥१००२।।" (पश्चवस्तु) વ્યાખ્યા–પ્રથમ (વાચનાનું) સ્થળ-ભૂમિ પ્રમાર્જન કરીને ત્યાં બે આસને કરવાં, એક વાચનાચાર્ય (ગુરુ) માટે અને બીજું સમવસરણ (સ્થાપનાચાર્ય) માટે. સમવસરણ કર્યા (સ્થાપનાચાર્ય) વિના વ્યાખ્યા (વાચના) નહિ કરવી એ ઉત્સર્ગ માર્ગ જાણવે. એમ પ્રમાર્જના આસન, અને સ્થાપનાચાર્ય એ ત્રણ દ્વારે કહ્યાં, ચોથા વન્દન દ્વારને માટે કહ્યું છે કે " दो चेव मत्तगाई, खेले काइअ सदोसगस्सुचिए । एवंविहो वि णिच्चं, वक्खाणिज्जत्ति भावत्थो ॥१००३॥" " जावइआ य(उ) सुणिति, सव्वेवि हु ते तओ अ उवउत्ता। પરિહેફ્રિકા પોત્તિ, ગુજવે વેતિ માવાયા ર૦૦૪” (વઝવતુ) ભાવાર્થ–માત્રક એટલે શરીરસમાધિ માટેનાં પાત્રો (કુંડીઓ), તેનો અહીં પ્રસંગ નથી તે પણ વાચના વખતે ગુરૂની શરીર સમાધિ માટે તે જરૂરી હોવાથી કૃતિકર્મ દ્વારમાં જ એનું વિશેષ વર્ણન કરવું અનુચિત નથી. માત્રકની જરૂર એ કારણે છે-કે અદ્ધવાચનાએ માત્રુ વિગેરે અવશ્ય કારણે ઉઠે તે વાચનામાં અન્તરાય પડે અને ન ઉઠે તે શરીરની પીડા થાય, વિગેરે દેશે સ્વયં સમજી લેવા. માટે એક ઘૂંકવા માટે અને એક કાયિકી (માત્રુ) માટે એમ બે કુંડીઓ ગુરૂના ઉપગ માટે વાચના લેવાની હોય ત્યાં લાવીને એગ્ય સ્થળે (આશાતના ન થાય ત્યાં) મૂકે. આ કહેવામાં આશય એ છે કે–એવી બીમારીવાળા પણ વ્યાખ્યાનકાર (શરીર સ્વાથ્ય પહોંચે ત્યાં સુધી) નિત્ય વાચના આપે. આ કુંડીઓ પ્રત્યેક વાચનાચાર્ય માટે નહિ, પણ શરીર દેષથી દૂષિત (માંદા વિગેરેને) માટે જ મૂકવી. (૧૦૦૩) તે પછી જેટલા વાચન લેનારા હોય તે સઘળા ઉપગ પૂર્વક મુખવસ્ત્રિકાનું (અને શરીરનું) પડિલેહણ કરીને ભાવથી નમ્ર બનીને ગુરૂને વન્દન કરે (વાંદણું દે). (૧૦૦૪) એ ચોથું દ્વાર કહ્યું. કાર્યોત્સર્ગ (અને વન્દન) દ્વાર માટે કહ્યું છે કે – આભવતું વ્યવહાર' એ રીતે સમભાવને સાધક હોવાથી તેનું પાલન અતિ હિતકર છે. શિષ્યાદિનું મમત્વ તજવું દુષ્કર હોવાથી વર્તમાન કાળે તો આ વ્યવહારની અતિ આવશ્યકતા છે, એ પ્રમાણે દિગબધુમાં (દીક્ષાદિ પ્રસંગે ગુરૂ-શિષ્યના નામ સ્થાપનમાં) પણ ચતુર્વિધ શ્રી સંઘની સામે કુલ, ગણુ, આચાર્ય, વિગેરેના નામ સાથે ગુરૂનું અને શિષ્યનું નામ ત્રણ વાર જાહેર કરવામાં આવે છે તેમાં પણ અન્તર્ગત કેાઇના શિષ્ય ઉપર કેઇ બીજો હક્ક ન કરે કે શિષ્ય પણ સ્વગુરૂને છેડી ન દે તે ભાવ સમાએલો છે. એમ શ્રી જિનાગમમાં જણાવેલા વ્યવહારે સમતારૂપી સામાયિકની (ચારિત્રની) સાધનામાં અતીવ ઉપકારી છે. આવા શાસ્ત્રીય વ્યવહારના નિર્મળ અને સતત પાલન વિના અનાદિ વિષય કક્ષાના આક્રમણ - માંથી બચવા માટે અને ચારિત્રના પ્રકર્ષને સાધવા માટે કઈ આધાર નથી એમ લાગ્યા પછી એનું પાલન દુષ્કર લાગતું નથી. ધર્મ સંગ્રહની છપાએલી અને હસ્તલિખિત પ્રતમાં આપાઠ અથદ્ધ અને કંઈક અધુર જણાયાથી અહીં આભાવ્યવ્યહારનું વર્ણન ૫-વસ્તુકની ગા. ૯૯૦ ની ટીકાના આધારે કર્યું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy