SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ દીધા સામાચારીનું સ્વરૂ૫] ૩૩ ૨-મિથ્યાકાર-આ સામાચારીને વિષય આ પ્રમાણે છે–સમિતિ ગુપ્તિરૂપ સંયમની સાધનામાં ઉજમાળ સાધુએ જે કંઈ ભૂલ થાય તેનું “મિચ્છાદુગ્વતી દેવું જોઈએ. આ મિથ્યાદુષ્કૃત (મિચ્છામિ દુક્કડે) સંયમ યોગની (જ્ઞાનાદિની) સાધના કરવામાં લાગેલા કેઈ પણ દેશને શુદ્ધ કરવામાં સમર્થ છે. પણ હઠથી કે વારંવાર કરાતી ભૂલોની શુદ્ધિ કરવામાં સમર્થ નથી. (અર્થાત ઈરાદાપૂર્વક કરાતી કે વારંવાર કરાતી ભૂલની શુદ્ધિ “મિચ્છાદુષ્કૃત દેવા છતાં થતી નથી).૧૯૭ કહ્યું છે કે – "जं दुकडंति मिच्छा, तं भुज्जो कारणं अपुरितो। રિવિ પવિત્ર, રસ વહુ કુશ મિચ્છા ૬૮ષા” (વાવનિ.) | ભાવાર્થ-જેણે એક વાર જે ભૂલનું મિથ્યદુષ્કત દીધું પુનઃ તેવી ભૂલ વિશિષ્ટ કારણ વિન ન કરે તે તેનું મિથ્યાદુષ્કત ત્રિવિધ પ્રતિક્રમણરૂપ (શુદ્ધ) ગણાય. કહ્યું છે કે– કં વારિ મિચ્છા, સં જે નિસેવા પુળો વં. પવરવમુલાવાર્ફ, માય નિરીક્ષકો ૧ ૬૮દ્દા” (વિ. નિ.) ભાવાર્થ-જે કરેલી ભૂલનું મિથ્યાદુષ્કૃત કરીને પુનઃ તે પાપને સેવે છે તે પ્રત્યક્ષ મૃષાવાદી છે (અર્થાત્ તેને કરેલા મિથ્યાદુષ્કૃત મૃષા છે, એટલું જ નહિ તે માયારૂપ કપટ કરનાર છે, માયા-કપટથી તેને આભા મલિન છે, નિશ્ચયથી (ભાવથી) તે પાપને પ્રતિપક્ષી થયો નથી માત્ર બાહ્યથી “મિચ્છામિ દુક્કડં” દઈને ગુરૂને પ્રસન્ન કરનારે છે. ૩-તથાકાર-આ સામાચારીને વિષય જણાવતાં પહેલાં ‘તથાકાર (તહત્તિ) કેવા મહાપુરૂષની આગળ કહેવાય ? તે કહે છે કે-જેની સામે “તહત્તિ કહેવાનું હોય તે મહાપુરૂષ ગીતાર્થ અને પિતાના ગુરૂપદની અપભ્રાજને થવાને પૂરેપૂરો સંભવ છે, ઈત્યાદિ વિસ્તાર આવશ્યક વૃત્તિ, આવશ્યક ચૂર્ણિ, પચાશક વિગેરે અન્ય ગ્રન્થોમાંથી જેઈ લે. ૧૯૭–“ મિચ્છામિ દુલારું' એવો શબ્દ પ્રયોગ કરવો તેને વ્યવહારનયે “મિચ્છાકાર' કહ્યો છે, નિશ્ચય નયથી તો પોતાની અનુપયોગાદિ કારણે થએલી ભૂલના પાપમાંથી છૂટવા માટે તેના છ અક્ષરને અર્થ સમજીને તેમાં વિશ્વાસ કરવો તેને ‘મિથ્થાકાર' કહ્યો છે, યોગ્ય જ્ઞાની આત્માને આ અક્ષરના અર્થમાં વિશ્વાસ કરવાથી સંવેગ પ્રગટે છે, એથી તેના કરેલાં પાપની નિર્જરા થાય છે, અને એ સંવેગના બળે પુનઃ તે તેવું પાપ કરી શકતું નથી. જે માત્ર શબ્દપ્રયોગ કરે છે તેને તેવા સવેગના અભાવે પુનઃ પાપ પ્રવૃત્તિને સમ્ભવ છે, એથી તેનું “ મિચ્છામિ દુક્કડ' નિષ્ફળ પણ થાય છે, એટલું જ નહિ, એક વખત પુનઃ પાપ પ્રવૃત્તિ નહિ કરવાની પ્રતિજ્ઞા કરીને પુનઃ કરવાથી માયા ક૫ટનું સેવન પણ થાય છે, માટે આ મિથ્યાકારસામાચારીના પાલન માટે “ મિચ્છામિ દુક્કડ”ને અર્થ સમજીને પુનઃ એવું પાપ નહિ કરવાના ધ્યેયપૂર્વક મિથ્યાકાર કરવો. એમ છતાં કોઇને અનાદિ વાસનાથી અનુપયોગાદિના વેગે પુનઃ પાપ સેવન થાય તો તેને કરેલો મિથ્યાકાર નિષ્ફળ થતા નથી, એ હેતુથી જ પ્રતિદિન પુનઃ પુનઃ પ્રતિક્રમણ કરવાનું વિધાન છે, એ રીતે અનુપયોગાદિના યોગે થતી ભૂલોને પણ જયારે જ્યારે ભૂલ થાય-ગ્યામાં આવે ત્યારે ત્યારે મિથ્યાકાર પણ કરવાનું કહ્યું છે. શાસ્ત્ર દર્શિત આ છ અક્ષરોને બદલે તેવા અર્થવાળું બીજું વાકય બાલવાથી વાસ્તવિક “મિચ્છાકાર થતો નથી, કારણ કે “મિચ્છામિ સુવરાવું” એ છ અક્ષરોને પ્રયોગ પૂર્વે મહા પુરૂષોને કરે--હેવાથી––મત્રા તુલ્ય છે, માટે તે જ વાકાને પ્રયોગ કર જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy