SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ પ્રતિક્રમણ સૂત્ર “પાલિકા અને તેને અર્થ) ૨૨૯ રરાષચંIિTમુશનવા=અહીં સૂત્રાદિના ઉદ્દેશ-સમુદેશ અને અનુજ્ઞા માટે ગુરૂને છ વન્દન દેવાં, ત્રણ વાર કાર્યોત્સર્ગ કરે, ઈત્યાદિ શાસ્ત્રોક્ત (મેટા જેગની) ક્રિયા કરવી તે ઉદ્દેશન કાળ જાણવા, તે દશાશ્રુતસ્કન્ધનાં દશ અધ્યયનમાં દશ, કલ્પસૂત્રનાં દશ અધ્યયનમાં દશ, અને વ્યવહારના છ ઉદ્દેશાના છે, એમ છવ્વીશનું અધ્યયન (ગ) કરતાં કાલગ્રહણાદિ ક્રિયા અવિધિએ કરવાથી (કે અશ્રદ્ધા–અદ્ભાવાદિ સેવવાથી) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ , તથા “સર્વિરાચાડનારyળે'=સાધુના સત્તાવીશ ગુણનું પાલન વિગેરે નહિ કરવાથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તે ગુણે આ પ્રમાણે છે-૧થી૬-રાત્રિભોજન વિરમણ સહિત છ વ્રતનું પાલન, ૭ થી ૧૧-પાંચ ઇન્દ્રિયોને વિજય, ૧૨-ભાવશુદ્ધિ, ૧૩-પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાની શુદ્ધિ, ૧૪–ક્ષમાનું પાલન, ૧૫–વૈરાગ્ય, ૧૬-૧૭–૧૮-મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિને નિરાધ, ૧૯ થી ૨૪-છ કાય જીવોની રક્ષા (અહિંસા), ૨૫-વિનય–વૈયાવચ્ચ-સ્વાધ્યાય વિગેરે સંયમના વ્યાપારેનું સેવન, ૨૬-શીતાદિ પરીષહોની પીડાઓને સમભાવે સહન કરવી અને ર–પ્રાણાન્ત ઉપસર્ગ વિગેરે પ્રસગે પણ સમાધિ રાખવી. “ભર્વિરાચા મારા =અહીં “આચાર એટલે આચારાલ્ગ સૂત્ર, અને પ્રકલ્પ એટલે તેની જ પાંચમી ચૂલારૂપ “નિશીથ' નામનું અધ્યયન, એ બે મળીને આચારપ્રકલ્પ કહેવાય, તેમાં આચારાગનાં ૨૫ અધ્યયન હોવાથી તે પચીશ અને પ્રકલ્પનાં (નિશીથના) ૧-‘ઉદઘાતિમ' (એટલે ઘટાડી શકાય), ર–અનુદ્દઘાતિમ' (એટલે ઘટાડી ન શકાય) અને ૩–“આપણુ” આપેલા પ્રાયશ્ચિત્તમાં દર્પાદિ કારણે વધારે કરી શકાય, એમ (પ્રાયશ્ચિત્ત અને તેને ન્યૂનાધિક કરવાનું જેમાં વર્ણન છે તે) ત્રણ અધ્યયને મેળવવાથી અઠાવીશ પ્રકારે થાય, તેમાં (અશ્રદ્ધા-વિપરીત પ્રરૂપણું–વિરૂદ્ધ આચરણ, વિગેરે કરવાથી) લાગેલા અતિચારનું પ્રતિકમણ, આચારાલ્ગનાં તે પચીસ અધ્યયનનાં નામે આ પ્રમાણે છે-૧-શસ્ત્રપરિજ્ઞા, ૨-લક વિજય, ૩–શીતાણીય, ક–સમ્યક્ત્વ, પ–આવન્તીલોકસાર, ૬-ધૂત (કર્મધૂનન), ૭–વિમેહ, ૮-ઉપધાનશ્રુત, ૯-મહાપરિજ્ઞા, ૧૦–પિડેષણ, ૧૧–શય્યા, ૧૨-ઈ, ૧૩-ભાષા જાત, ૧૪–વએષણા, ૧૫–પાષિણા, ૧૬-અવગ્રહપ્રતિમા, ૧૭–થી–૨૩માં ૧–સ્થાન, નધિકી, ૩–ઉચ્ચારપ્રશ્રવણ, ૪–શબ્દ, પ-૩૫, ૬-પરક્રિયા અને ૭–અન્ય ક્રિયા, એ સાત સહિક (સત્તકીયાં), ૨૪-ભાવના અને ૨૫-વિમુક્તિ. પહેલાશ્રુતસ્કન્ધમાં તે નવ અને બીજામાં સોળ છે. “નિર્વિફતિ પાપકૃતપ્રસઃ પાપના કારણભૂત ૨૯ ગ્રન્થ તે પાપકૃતો અને તેના પ્રસન્ગ એટલે સેવા (આચરણ) તે પાપકૃતપ્રસજ્ઞો, તેના સેવવા વિગેરેથી લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ, તે ઓગણત્રીશ આ પ્રમાણે છે-નિમિત્ત શાસ્ત્રનાં આઠ અલ્ગ તેમાં, ૧-દિવ્ય =વ્યન્તરાદિ દેવના અટ્ટહાસ વિગેરેના ફળનું જેમાં વર્ણન હેય, ૨-ઉત્પાત=રૂધિરના વરસાદ, વિગેરેના ફળનું જેમાં વર્ણન હોય, ૩-આન્તરિક્ષ આકાશમાં થતા ગ્રહના ભેદ વિગેરેના ફળનું જેમાં વર્ણન હાય, ૪-ભૌમભૂમિકમ્પ વિગેરે પૃથ્વીના વિકારના આધારે “આનું આમ થશે વિગેરે ફળ જણાવ્યું હોય, પ-અગએટલે શરીરની ચેષ્ટા ઉપરથી તેનું ફળ જણાવનાર, ૬-“સ્વર—ષર્જ ૧૬–ઉદ્દેશ=મૂળસૂત્ર ભણાવવું-ભણવું, સમુદેશ=અર્થથી ભણવું-ભણાવવું, સ્થિરકરવું અને અનુઝા=ભણેલું બરાબર છે એવી પરીક્ષા પૂર્વક બીજાને ભણાવવાની આજ્ઞા લેવી દેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy