SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પાણષણ અને ચાતરની વ્યાખ્યા તથા તેના પિડને વિવેક] ૧૨૯ કાઢેલો પિચ્છ ઉદ્ધત કહેવાય અને તેને લેનાર સાધુની ભિક્ષાને “ઉદ્ધતા કહેવાય. ૪-અલપલેપાએમાં “અલ્પ” શબ્દ અભાવવાચક હેવાથી જેનાથી પાત્રાદિને લેપ (ખરડ) ન લાગે તેવા નિરસ વાલ, ચણ, વિગેરે પદાર્થો લેવા તે ભિક્ષાને, અથવા જેમાં “પશ્ચાતકર્મ વિગેરે આરમ્ભજન્ય લેપ એટલે કર્મોને બન્ધ અલ્પ હોય તે ભિક્ષાને “અલ્પલેપા” સમજવી. આચારાગમાં (દ્વિતીય શ્રુતસ્કંધની પહેલી ચૂલાના સૂ૦ ૬૨) કહ્યું છે કે-&િ વહુ પરિચિંસિ પે પવના ' અર્થાત્ નિશે એ પિડ ગ્રહણ કરવામાં અલ્પમાત્ર પશ્ચાતકર્મ અને અ૫માત્ર પર્યાયજાત હોય છે. આ પિણ્ડને આચારાયુગમાં પાંખ વિગેરે જણાવેલ છે અને “અલ્પપર્યાયજાત એટલે ફોતરાં વિગેરે જેમાંથી તળદેવા ગ્ય અંશ અલ્પ હોય તે પદાર્થ, એમ અર્થ કરેલ છે. (તાત્પર્ય કે જે વસ્તુથી પાત્રને ખરડ ન લાગે, કે અલ્પ લાગે તેથી તેને સાફ કરવામાં ખાસ પાણીનો ઉપયોગ ન કરવો પડે તેવા વાલ, ચણા, સેકેલો અચિત્ત પંખ, કે ફોતરાં વિગેરે નિરૂપયેગી અંશ જેમાં અલ્પમાત્ર હોય, તેવી વસ્તુને લેવી તે શિક્ષાને “અલ્પલેપા” કહેવાય) પ-અવગૃહીતાભોજન વખતે થાળી, વાડકી, વાડકા વિગેરેમાં કાઢીને ભજન કરનારને આપેલું હોય તે પિણ્ડ વહોરનાર સાધુની ભિક્ષાને “અવગૃહીતા” કહી છે ૬-ગૃહીતા–ભેજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે પિરસનારે મૂળભાજનમાંથી ચમચા વિગેરેમાં લઈ ધર્યું હોય તે બેજન કરનારે ભેજનાથે ન લેતાં સાધુને વહેરાવરાવે, અથવા જમનારે પોતે ખાવા માટે ભજનના વાસણ (થાળ)માંથી પોતાના હાથમાં લીધું હોય તે સ્વયં વહરાવે, તે તેવું અશનાદિ લેનારા સાધુની શિક્ષાને “પ્રગૃહીતા કહેવાય. ૭–ઉઝિતધર્માગૃહસ્થને નિરૂપયેગી તજી દેવાયેગ્ય હોય તેવા પિણ્ડને લેનાર સાધુની શિક્ષાને ઉઝિયમ' કહેવાય. ભિક્ષાના આ સાતેય પ્રકારોમાં “સંસૃષ્ટ–અસંસ્કૃષ્ટ પાત્ર-હાથ અને સાવશેષ-નિરવશેષ દ્રવ્યના ગે થતી અષ્ટભગી સમજવી, માત્ર ચોથી ભિક્ષા અપા (અલ્પલેપા)માં ખરડાવાનું નહિ હોવાથી તેમાં (અષ્ટભક્શી ન ઘટે, એ) ભિન્નતા સમજવી. પાનૈષણે જુદી કહેલી હોવાથી પિડ શબ્દનો અર્થ અહીં ભેજન માત્ર (અશનાદિ આહાર) સમજ. સાત પાનેષણાઓ પણ પિડેષણની તુલ્ય જ સમજવી. માત્ર ચોથીમાં એ ભેદ છે કે-કાંજીનું પાણી, ઓસામણ, ગરમ(ઉકાળેલું) પાણી, ચોખાનું ધાવણ, વિગેરે પાણી, અપકૃત અને બાકીનાં શેરડીને રસ, દ્રાક્ષાનું પાણી, આમલીનું પાણી, વિગેરે લેપકૃત્ સમજવાં. કહ્યું પણ છે કે– “Tari , નરિ વડથી હો નાનો सोवीरायामाई, जमलेवाडत्ति समओत्ति (युत्ती)॥१॥ (प्रव० सारो० ७४४) ભાવાર્થ–“એ જ રીતે પારૈષણા પણ અસંસૃષ્ટાદિ સાત પ્રકારે સમજવી. માત્ર એથી અલ્પલેપ માં ભેદ છે, કારણ કે “કાંજી-ઓસામણ વિગેરે અપકૃત છે એમ શાસ્ત્રમાં કહેલું છે, શેરડીનારસ વિગેરે બાકીનાં પાણી લેપકૃત છે, તેને વાપરવાથી સાધુને કમને લેપ (બન્ધ) થાય.” ઉપર્યુક્ત પાણી પિકીનું કઈ પાણી ન મળે તે વર્ણાદિ બદલાઈ જવાથી અચિત્ત થએલું પાણી પણ લઈ શકાય. કહ્યું છે કે – “જિજ્ઞ ગાનારું, વા (વિરુ) ધોવા તિકિલો • ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy