SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૩ એ ગ્રહણષણાના દશ દો કહ્યા, તે મળીને કુલ બેંતાલીસ દેશો થયા. આ દોષથી રહિત પિચ્છની વિશુદ્ધિ સંક્ષેપથી કહીએ તે તેના નવ પ્રકારે આ પ્રમાણે થાય. સાધુ સ્વયં હણે (સચિત્તનું અચિત્ત કરે) નહિ, ખરીદ કરે નહિ, અને અગ્નિથી પકાવે નહિ એ ત્રણ, એમ બીજા પાસે એ ત્રણ પૈકી કઈ આરમ્ભ કરાવે નહિ એ ત્રણ, તથા બીજે વિના પ્રેરણાએ પણ સાધુને વહેરાવવા માટે એ ત્રણ પૈકી કેઈ આરમ્ભ કરે તે અનુમોદ પણ નહિ એ ત્રણ, એમ કુલ નવ વિભાગોમાં સંપૂર્ણ પિણ્ડવિશુદ્ધિ આવી જાય છે. એ માટે કહ્યું છે કે "पिंडेसणा य सव्वा, संखित्ता अवतरइ नवसु कोडीसु । न हणइ न किणइ पयई, कारावण-अणुमईहिं वा ॥ दशवै० नियुक्ति-२४२॥ ભાવાર્થ-“સઘળી પિડેષણ સંક્ષેપથી નવકેટિમાં આવી જાય છે. તે નવકેટિ સ્વયં હણે નહિ, ખરીદે નહિ, પકાવે નહિ, બીજા દ્વારા એ ત્રણ કરાવે નહિ અને એ ત્રણ કરનારને અનુદે પણ નહિ, એ રીતે થાય છે.” એમ સકળ દોષ રહિત આહારાદિ પિણ્ડને ગ્રહણ કરવા રૂપ ગ્રહષણા કહી, એનું પાલન અગીઆર કારોથી કરવું. કહ્યું છે કે – “તો જ સાથ જેવ, રામ "ss ". વરિષ” હિર નુ તિદ્દામાલ ” શોધનિરિ–કદ્દરા ભાવાર્થ–૧–સ્થાન, ૨-દાયક, ૩-ગમન, ૪–ગ્રહણ, ૫-આગમન, ૬-પાત્ર અથવા પ્રાપ્ત, હ-પરાવર્તિત, ૮-પાતિત, ૯-ગુરૂક ૧૦-ત્રિવિધ અને ૧૧-ભાવ, એમ પિન્ડનાં અગીઆર દ્વારે છે, માટે તે પ્રમાણે શુદ્ધપિડ લેવાનું જણાવ્યું. એ દ્વારેની વ્યાખ્યા આ પ્રમાણે છે ૧-સ્થાન–પિડ વહેરવામાં ત્રણ સ્થાને તજવાં. ૧-આત્મપઘાતી ૨-સંયમપઘાતી અને ૩-પ્રવચનેપઘાતી. તેમાં પહેલું–ગાય વિગેરે પશુઓવાળું સ્થાન, ત્યાં ઉભા રહીને ભિક્ષા નહિ લેવી, કારણ કે ગાય વિગેરે પશુઓથી ઉપદ્રવ થવાને સંભવ રહે, એમ આગળ પણ જે જે દેશે સંભવિત હોય તે સ્વયં વિચારી લેવા. બીજું-સચિત્ત પૃથ્વી-પાણી વિગેરે હોય તેવું સ્થાન, ત્યાં ઉભા રહેવાથી તેની વિરાધના થાય, અથવા વહરાવનાર જ્યાં ઉભા રહીને વહેરાવે ત્યાં તે ઉપર કે નીચે સચિત્ત ફળ વિગેરેને સંઘટ્ટ કરે તેવું સ્થાન સંયમપઘાતી હોવાથી તજવું. ત્રીજુ-બાળ વિગેરે અશુચિવાળું સ્થાન, ત્યાં ઉભા રહીને ભિક્ષા લેતાં શાસનને ઉઠાહ (હલકાઈ) થાય, માટે પ્રવચનપઘાતી સમજીને તેને પણ તજવું. મહેલાના કુતરાએ તેની ઉપર ત્રાપ મારી. એમ બન્નેનું યુદ્ધ થવાથી તેને પરાભવ નહિ સહી શકનારા તે તે કુતરાઓના માલીકોએ પ્રતિસ્પર્ધ કુતરાઓને દૂર કરવા જતાં તેમાં જ મારામારી શરૂ થઈ. આ બધું જોઈને અમાત્ય વિચાર્યું કે “ઘીનું માત્ર એક બિન્દુ પડવાથી પણ આવું અનર્થકારક પરિણામ આવે તેમ સમજી દયાસાગર મુનિ પાછા ફર્યા. ધન્ય છે તેઓના ધર્મને, સર્વજ્ઞ વિના આ નિર્દોષ ધર્મ કેણુ બતાવી શકે ? માટે એના પ્રરૂપક વીતરાગ ખરેખર સર્વજ્ઞ છે, તે જ મારા દેવ અને તેમને કહેલો ધર્મ જ મારે ધર્મ, એમ નિશ્ચય કરી સિંહ ગુફામાંથી નીકળે તેમ વૈરાગ્ય અને સત્ત્વથી ગૃહવાસ છેડી સાધુ બની નિરતિચાર ચારિત્રનું પાલન કરતા તે જ ભવે સિદ્ધિને પામ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy