SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પિચ્છેષણમાં સળ ઉદ્દગમ દા] ૧૦૭ “भणिआ गवेसणाए, गहणे गासे अ एसणा तिविहा । વન–૮–વંવ-વોલવિમુળ મા વામણો III” (ત્તિનિર્ધા૨૫) ભાવાર્થ-“એક અન્વેષણ (શોધ) કરવામાં, બીજી ગ્રહણ કરવામાં અને ત્રીજી ભજન કરવામાં, એમ ત્રણ પ્રકારે એષણા કહી છે. અર્થાત્ ઔષણા ત્રણ પ્રકારની છે. તે અનુક્રમે બત્રીસ, દશ, અને પાંચ દોષોથી રહિત-નિર્દોષ આ પ્રમાણે કરવી. ” તેમાં સેળ ઉદ્દગમદોષ કહે છે. "आहाकम्मुद्देसिअ, पूइकम्मे अ मीसजाए । પરિવાઇ, પોઝર (૩ર) રાગ વારિ II૭૪ શા परिअट्टिए अभिहडुब्भिन्ने मालोहडे अ अच्छिज्जे । अणिसिट्टे अझोअर, सोलस पिंडुग्गमे दोसा ॥७४२॥ पञ्चवस्तु०॥ વ્યાખ્યા–૧-આધાકર્મ, ર-દેશિક, ૩-પૂતિકર્મ, ૪-મિશ્રજાત, પ–સ્થાપના, ૬પ્રાભૂતિકા, ૭-પ્રાદુષ્કરણ, ૮-કિત, ૯-પ્રામિયક, ૧૦–પરાવર્તિત, ૧૧-અભ્યાહત, ૧૨-ઉભિન્ન, ૧૩–માલાપહત, ૧૪–આછિદ્ય, ૧૫-અનિષ્ટ અને ૧૬–અધ્યવપૂરક, એમ પિણ્ડ બનાવવામાં સોળ દેષો લાગે છે. તેમાં– ૧-આધાકમ–આધા” એટલે સાધુને ચિત્તમાં ધારણ કરીને, અર્થાત્ સાધુનું નિમિત્ત ધારીને કરેલું કર્મ એટલે સચિત્તને અચિત્ત કરવું કે અચિત્તને પકાવવું, તેને “ધર્મ” એમ (પદચ્છેદથી) “આધાકર્મ કહેલું છે. કહ્યું છે કે " सच्चित्तं जमचित्तं, साहूणहाए कीरई जं च । નિમેવ વરુ, શાહબ્બે તાં મણિશં ” (પન્નવસ્તુ જાવ ૭૪૩) ભાવાર્થ-“સાધુને માટે જે સચિત્ત વસ્તુને અચિત્ત કરાય, કે અચિત્તને પકાવાય તેને આધાકમકહ્યું છે.” ૮૬-આધાકર્મમાં હિંસા થાય છે અને સાધુએ હિંસાને ત્રિવિધ ત્યાગ કરેલ હોય છે, માટે તે અકખ્ય છે. અહીં એમ પ્રશ્ન થાય કે ગૃહસ્થ આહારને બનાવતાં હિંસા તો કરી લીધી અને એમાં સાધુએ તો આદેશ પણ કર્યો નથી, તે સાધુને તે હિંસા કેમ લાગે ? ત્યાં સમજવું કે હિંસાને કરવાને, કરાવવાને અને અનુમોદવાને પણ સાધુને નિષેધ છે. આધાકમ આહારમાં તેણે સ્વયં હિંસા કરી નથી, કરાવી નથી, પણ એને સ્વીકાર કરે તે હિંસાની અનુમોદના થાય, માટે તે લે જોઈએ નહિ. કારણ કે-અનુમોદનાના ૧-અનિધિ, ર–ઉપગ અને ૩–સહવાસ, એમ ત્રણ ભેદે છે. અધિકાર છતાં પાપકાયન નિષેધ નહિ કરવાથી અનિધિઅનુમોદના, પાપથી તૈયાર કરેલી વસ્તુને ઉપભાગ કરવાથી ઉપભોગઅનુમોદના અને પાપ કરનારાઓની સાથે વસવાથી સહવાસ અનુમોદના થાય છે. એ કારણે જ જાણવા છતાં ચાર વિગેરેને ચિરીથી નહિ અટકાવનાર કે જાહેર નહિ કરનાર ગુન્હેગાર ગણાય છે, તેમ ચારીની વસ્તુ લેનારા અને એની સાથે રહેનારો પણ ચારી નહિ કરવા છતાં શિક્ષાને પાત્ર બને છે. જેમ જગતના બાહ્ય વ્યવહારમાં પણ આ ન્યાય સ્વીકારાએલો છે તેમ સાધુને ઉદ્દેશીને હિસાથી ગૃહસ્થ સ્વયં તૈયાર કરેલો આહાર વિગેરે પણ લેતાં સાધુને “ઉપભેગ અનુમોદના” દેષ લાગે છે અને તે નહિ લેવાથી દેષ લાગતો નથી. અહીં' એ કારણે સાધુને દોષ લાગે કે ગૃહસ્થ એ આહારાદિ તૈયાર કરવામાં સાધુને ઉદેશ રાખેલ હેય છે. એમ આગળના દે પણ ગૃહસ્થ સાધુની પ્રેરણા વિના સેગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy