SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ८२ [ધવ સંભા. ૨ વિ. ૩-ગાહ ૯૧ આ બધા લાભે ઉપરાન્ત “પરદેશકત્વ એટલે સ્વ–પરને સંસારથી પાર ઉતરવાનું પણ સ્વાધ્યાયથી થાય છે. આ પરોપદેશકગુણથી શ્રીજિનાજ્ઞા પ્રત્યે વાત્સલ્ય, તેને પ્રચાર, તથા તેના પ્રત્યે ભક્તિભાવ જાગે છે અને એ રીતે જૈનશાસનને અવિચ્છેદ થાય છે. ઉપદેશથી ભવિષ્યમાં પણ જીને ઉત્તરોત્તર જિનશાસનની આરાધનાને લાભ પ્રવાહ રૂપે મળતા રહે છે, માટે વિધિપૂ ર્વક સ્વાધ્યાય કરવો જોઈએ, સ્વાધ્યાય નહિ કરવાથી ઉન્માદ વિગેરે દોષ પ્રગટે છે. કહ્યું છે કે “૩માં ૩ મિન્ના, સાયં પાપને લીધું. केवलिपन्नत्ताओ, धम्माओ वावि भंसिज्जा ॥१॥" (पञ्चवस्तु गा० ५६८) ભાવાર્થ-“(સ્વાધ્યાયના અભાવે) વિપરીત માર્ગે ચઢવાથી ઉન્માદી થાય, દીર્ધકાલીન ક્ષય-તાવ, વિગેરે રોગો–આતકે પ્રગટ થાય, અને પરિણામે શ્રી કેવલિભગવન્ત કહેલા ચારિત્ર ધર્મથી ભ્રષ્ટ પણ થાય જે મુનિઓ સૂત્ર-અર્થ સપૂર્ણ ગ્રહણ કરીને અને શિષ્યને સૂત્ર-અર્થ ભણાવીને પિતાની જવાબદારી પૂર્ણ કરી ચૂક્યા હોય તેઓ, અથવા જેઓ મદ્ બુદ્ધિને લીધે ભણી શકે તેમ ન હોય તેઓ આતાપનાદિ કરે. દિનચર્યામાં કહ્યું છે કે “સમયના નિર્માણ સિન્નિપુરસ્યા अहवा वि मंदमइणा, तेसि इमो उज्जमो भणिओ।"यतिदिनचर्या-गा०१०५॥ ભાવાર્થ-“જેઓ સિદ્ધાન્તને સાર ગ્રહણ કરી ચૂક્યા હોય અને શિષ્યને સૂત્રાર્થ ભણાવી પણ ચૂકયા હેય, અથવા જે મન્દબુદ્ધિવાળા હોય, તેઓને શું કરવું? તે માટે કહ્યું છે કે “ગાવાવયંતિ નિયું. દેણું વાસણા वासासु पडिसंलीणा, संजया सुसमाहिआ ॥" दशवै० अ० ३ गा० १२॥ ભાવાર્થ-જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધનામાં તત્પર સાધુઓ ઉષ્ણકાળમાં આતાપના લે, શીતકાળમાં અને ત્યાગ કરી શીતપરીષહને સહે અને વર્ષાકાળમાં એક સ્થાનમાં રહીને (અલ્ગ ૭ર-સ્વાધ્યાય સાધુ જીવનનું વિશેષ કર્તવ્ય છે. ગૃહસ્થને જેમ દેવગુદિની સેવા, કે ખાન-પાન વિગેરે આવશ્યક કર્તવ્યો સિવાયનો સમય ધને પાર્જન માટે જાય છે તેમ સાધુને પ્રતિલેખન-પ્રતિક્રમણ કે આહાર-નિહાર-વિહાર, વિગેરે આવક કર્તવ્ય સિવાયને સઘળા સમય સ્વાધ્યાયમાં ગાળવે, એવું શાસ્ત્રીય વિધાન છે. કારણ કે સ્વાધ્યાય એક મોટું તપ છે. અનશન વિગેરે બાહ્ય તપમાં મન-વચન કાયાના વેગેને વશ કરવાની જે તાકાદ છે તેનાથી અભ્યન્તર તપમાં એ ગાને વશ કરવાની કે ઈગુણી તાકાદ છે, એટલું જ નહિ, આત્માના જ્ઞાન-દર્શન અને ચારિત્ર વેગેને ખીલવવાનું બળ અભ્યતર તપમાં છે. સામાન્યતયા લોકોમાં ભલે બાહ્ય તપને મહિમા ઝળહળતા હાય, પણ અભ્યન્ત૨ તપની કિસ્મત અનાખી છે, આત્માને સીધે ઉપકાર તે કરી શકે છે, તેમાં પણ સ્વાધ્યાયનું મહત્ત્વ ઘણું છે. અહીં જણાવ્યા પ્રમાણે બાર પ્રકારના તાપમાં સ્વાધ્યાય સમાન બીજે તપ નથી, તેનાથી ક્રમશઃ તે માટે લાભ અને એમાં પ્રમાદ કરવાથી બાહ્ય અભ્યતર થતું અહિત પણ ખૂબ મનન કરવા જેવું છે. ભલે, સામાન્ય બુદ્ધિથી એ વાત ન સમજાય, પણ અહીં કહેલું સ્વાધ્યાયનું ઉત્તમ ફળ અને તેમાં પ્રમાદ કરવાથી થતું અહિત, એ જ્ઞાનીઓએ કરેલું એક્કસ નિદાન છે, તેને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી સ્વાધ્યાયમાં ૨ક્ત રહેનારે અવશ્ય સર્વ પ્રકારનાં સાચાં સુખને પામી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy