SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સંવે ભા૦ ૧-વિ૦ ૧-ગ. ૧૮ પ્રગટે છે. (આસન એટલે વિકાસન, ઉત્કટાસન, પદ્માસન, વજાસન, વીરાસન, પર્યકાસન, ભદ્રાસન વગેરે શાસ્ત્રોમાં જણાવેલી અંગરચનારૂપ ભિન્ન ભિન્ન પ્રકારની બેઠક.) આવા આસનના બળથી ચિત્તની સ્થિરતા સાધી શકાય છે, તેથી સાધકને જે જે આસન પિતાની ચિત્તરિથરતા માટે ઉપયોગી જણાય તે આસનની સાધના આ દૃષ્ટિમાં તે કરે છે. વળી તત્ત્વ જાણવાની ઈછામાંથી આગળ વધીને “યુવાવસ્થાવાળે, શરીરાદિથી સુખી અને ચતુર પુરુષ પોતાની ઉત્તમ સ્ત્રીની બાજુમાં બેસી દિવ્ય સંગીત સાંભળવામાં જેવી પ્રીતિ રાખે,” તેનાથી પણ અધિક પ્રીતિપૂર્વક તે તત્ત્વશ્રવણ કરે છે, એગના વિષયમાં આકર્ષાય છે, એટલે કે–ગસાધના માટે તેનામાં ઉત્કંઠા જાગે છે અને ચિત્તમાં સ્થિરતા પ્રગટતી હોવાથી ગસાધનાના ઉપાયોમાં કુશળ બને છે. (આ દૃષ્ટિમાં એક ક્રિયા કરતાં વચ્ચે બીજી ક્રિયા કરવારૂપ ક્ષેપદેષ હોતો નથી. કુવામાં પાણીને આવવાના માર્ગરૂપ સેર (આવરા) સમાન અહીં તત્ત્વશ્રવણની એવી તીવ્ર ઈચ્છા જાગે છે કે–ત સાંભળવાના ગે ચેથી દૃષ્ટિમાં સુંદર બંધ પ્રગટે છે.) ૪. “દીપ્રા નામની દૃષ્ટિમાં “પ્રાણાયામ ” નામના યોગના ચોથા અંગની પ્રાપ્તિ થાય છે. શરીરમાં ભિન્ન ભિન્ન વિભાગમાં રહેલા પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન નામને વાયુ, કે જે વર્ણથી ક્રમશઃ લીલે, કાળો, સફેદ, રાત અને મિશ્ર રંગવાળો હોય છે, તે વાયુની ગતિ ઉપર વિજય મેળવવા તેને પ્રાણાયામ કહે છે. તેના ત્રણ પ્રકારે છે. ૧–શરીરના તે તે સ્થાનમાંથી વાયુ ખાલી કરવો તે રેચક, ૨-તે તે સ્થાને ભરે તે પૂરક અને ૩–તે તે સ્થાને વાયુને રેકી રાખવે તે કુંભક કહેવાય છે. આ ત્રણેય, શરીરમાં વાયુની ગતિના વિયરૂપ હોઈ દ્રવ્ય પ્રાણાયામ કહેવાય છે અને તેના બળે “આત્માની બહિરાત્મદશાના ત્યાગરૂપ રેચક, અંતરાત્મદશાના પ્રકાશરૂપ પૂરક અને પ્રગટ થયેલી અંતરાત્મદશામાં રમણતારૂપ ભક–એ ત્રણ પ્રકારના ભાવપ્રાણાયામની પ્રાપ્તિ અહીં થી દૃષ્ટિમાં જીવને થાય છે. તથા પ્રકારના પ્રશાંતરસની પ્રાપ્તિ થવાથી યોગની ક્રિયા વખતે બીજી ક્રિયાના ઉપગ-ધ્યાનરૂપ “ગેસ્થાન દેવ” પણ અહીં મટી જાય છે, ત્રીજી દષ્ટિમાં જાગેલી તત્વશ્રવણની તીવ્ર ઈચ્છાના ફળરૂપે અહીં તત્ત્વશ્રવણનો લાભ મળે છે અને તે શ્રવણથી પ્રાપ્ત થયેલા ધર્મતત્વને પ્રાણથી પણ અધિક ગણે છે, અર્થાત્ ધર્મ માટે પ્રાણ આપે છે પણ તેને છેડતો નથી, તેમ જ તત્ત્વના શ્રવણથી સંભળાવનાર ગુરુવર્ગ પ્રત્યે અતિ ભક્તિ જાગવાથી સમાપત્તિ વગેરેથી તેને શ્રીતીર્થકરનું દર્શન થાય છે. ૪૬. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા–એમ આત્માના ત્રણ પ્રકારે છે. પિતાના સ્વરૂપને ભૂલી પરભાને પિતાના માને તે બહિરાત્મા, પરભાવયુક્ત છતાં પરને પર માની “પિતાના ગુણ એ જ પિતાનું સ્વરૂપ છે ...એમ માને તે અંતરાત્મા અને ચારે ય ધાતકર્મોને કે આઠ ય કર્મોના જેને મૂળથી નાથ થયો હોય તે પરમાત્મા કહેવાય છે. થાનાવસ્થામાં અંતરાત્મા ધ્યાતા છે, પરમાત્મા ધ્યેય છે અને અંતરાત્માની પરમાત્મસ્વરૂપમાં એકાગ્રતા થવી તેને ધ્યાન કહે છે. આ ગ્યાતા, ધ્યેય અને ધ્યાન-એ ત્રણે ય એકાકાર બની જાય તેને સમાપત્તિ કહેવાય છે. જેમાં નિર્મળ સ્ફટિકરત્નમાં બીજી વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તેમ અંતરાત્મામાં પરમાત્માનું પ્રતિબિંબ પડે તેને સમાપત્તિ કહેવાય છે. આને જ શ્રી તીર્થકરદર્શન કહેવાય છે અથવા તે પિતાનો આત્મા જે શુદ્ધ ચિદાનંદમય પરમાત્મરૂપ છે, તેનું ધ્યાનમાં દર્શન થાય તેને આત્મદર્શન કહેવાય છે. આ સમપત્તિના બળે તીર્થંકરનામકર્મરૂપ ઉત્કૃષ્ટ પુણ્યને બંધ થવો, તેને ઉદય થવો વગેરેને આપત્તિ કહેવાય છે અને તેનાથી શ્રી તીર્થંકરદેવને જે ઋદ્ધિ પ્રગટે અર્થાત્ તીર્થંકરપણાની પ્રાપ્તિ થાય તેને સંપતિ કહેવાય છે. ( જ્ઞાનસાર-અષ્ટક ૩૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy